Pakistan: યુદ્ધ પછી પાકિસ્તાન લશ્કરી ખર્ચમાં વધારો, IMF લોનના વચ્ચે નવો નિર્ણય
Pakistan: ભારતના ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનને ભારે નુકસાન ભોગવવું પડ્યું છે. યુએસ ઈન્ડો-પેસિફિક કમાન્ડ સંલગ્ન વેબસાઇટ ઈન્ડો-પેસિફિક ફોરમ દ્વારા યુદ્ધ પૂર્ણ થયાના લગભગ એક મહિના પછી તેનું વિશ્લેષણ રજૂ કરવામાં આવ્યું છે. રિપોર્ટમાં વિવિધ થિંકટેન્ક, સેટેલાઇટ ઈમેજિસ અને વૈશ્વિક નિષ્ણાતોની ચર્ચાઓનો સમાવેશ થાય છે.
Pakistan: આ વિશ્લેષણમાં જણાવવામાં આવ્યું છે કે ભારતીય હુમલાથી પાકિસ્તાની વાયુસેના તેની અંદાજિત 20% સંપત્તિ ગુમાવી ચૂકી છે. ખાસ કરીને રિપોર્ટમાં ચીનથી આયાત કરેલા શસ્ત્રો પણ ભારતીય હુમલાઓ સામે નિષ્ફળ સાબિત થયા હોવાનું જણાવાયું છે. પાકિસ્તાનના દાવાઓ ઉંચા હોવા છતાં, તે ભારતને વ્યાપક નુકસાન પહોંચાડવામાં નિષ્ફળ રહ્યું છે.
આ વચ્ચે, પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ મુજબ, સરકારે સંરક્ષણ ખર્ચમાં મોટો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. અર્થતંત્ર માટે વિવાદાસ્પદ પગલું એ છે કે, IMF લોનના આધાર પર ચાલી રહેલું પાકિસ્તાન હવે જાહેર ખર્ચમાં ઘટાડો કરીને સેના માટે વધુ નાણાં ફાળવે છે.
મુનીર માટે રાજકીય જીત
આ નિર્ણય પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર માટે મોટી જીત રૂપે જોવામાં આવી રહ્યો છે. ભલે યુદ્ધમાં પાકિસ્તાની સેનાને નુકસાન થયું હોય, પરંતુ દેશમાં તેનું રાજકીય પ્રભાવ વધ્યું છે. હવે લશ્કર માટે વધુ ભંડોળ ફાળવાશે અને ઉચ્ચ અધિકારીઓ માટે વધુ તકો ઉભી થશે.
પાકિસ્તાની અહેવાલ મુજબ 2025-26ના સંરક્ષણ બજેટમાં લગભગ 18% વધારો કરવામાં આવશે. નવી અંદાજિત ફાળવણી $14 બિલિયન સુધી પહોંચશે, જે ભારે આર્થિક સંકટ વચ્ચે એક મોટા નિર્ણયો રૂપે જોવામાં આવે છે.
દેવું અને ગરીબી વચ્ચે વધતો સંરક્ષણ ખર્ચ
હકીકત એ છે કે આ બધું ત્યારે થાય છે જ્યારે પાકિસ્તાનનું જાહેર દેવું 76 ટ્રિલિયન રૂપિયાના ઈતિહાસમાં સર્વોચ્ચ સ્તરે છે. 2020-21ના રૂ. 39.8 ટ્રિલિયનથી એ રકમ લગભગ બમણી થઈ છે. દેશ છેલ્લા દાયકામાં પાંચગણી દેવામાં ફસાયેલો છે.
તાજેતરના આર્થિક સર્વે અનુસાર વધતું દેવું અને નબળું નાણાકીય સંચાલન આર્થિક સ્થિરતા માટે ગંભીર જોખમ છે. પાકિસ્તાનને તાજેતરમાં જ IMF પાસેથી $3.5 બિલિયનનું બેલઆઉટ પેકેજ મળ્યું છે — જેને ભારત સહિત ઘણા દેશોએ વિરોધ કર્યો હતો. હવે જો પાકિસ્તાન આ નાણાંમાંથી લશ્કરી ખર્ચમાં વધારો કરે છે, તો આંતરરાષ્ટ્રીય સ્તરે તેની નીતિ પર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.
ભારત સામે સ્પર્ધાની અસંભવ દોડ
જોકે પાકિસ્તાન સરકાર ભારત તરફથી સુરક્ષા માટેના ખતરાનો હવાલો આપે છે, તથ્ય એ છે કે તે ભારતની સામે કોઈ તુલનાત્મક શક્તિ ધરાવતું નથી. ભારતનું વાર્ષિક સંરક્ષણ બજેટ લગભગ $86 બિલિયન છે — જે પાકિસ્તાન કરતાં લગભગ નવ ગણું વધુ છે.
સામાન્ય જનતા માટે સવાલ એ છે કે જો દેશ ભંડોળનું મોટું ભાગ લશ્કર પર ખર્ચે છે, તો આમજનતાનું પોષણ અને વિકાસ કેમ થશે?. નિષ્ણાતો ચેતવી રહ્યાં છે કે આ દોડમાં પાકિસ્તાનનું અર્થતંત્ર વધુ ખીલશે અને સામાન્ય નાગરિકો પર તેના દુષ્પરીણામો જોવા મળશે.