Pakistan: શાહબાઝની પોતાની પાર્ટીમાં વિભાજનનાં અવાજો: પીપીપી સાથે પ્રાંતો વિભાજનની માંગ
Pakistan: પાકિસ્તાનની રાષ્ટ્રીય સભામાં સરકાર સામે આશ્ચર્યજનક સ્થિતિ ઊભી થઈ છે, કારણ કે વડાપ્રધાન શાહબાઝ શરીફની પોતાની પાર્ટી પીએમએલ-એન અને ભૂતપૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીની પાર્ટી પીપીપીના નેતાઓએ દેશના જુદા-જુદા પ્રાંતોને તોડવાની ખુલ્લી માંગણી કરી છે.
ધાર્મિક બાબતોના સંઘીય મંત્રી સરદાર મુહમ્મદ યુસુફે સંસદમાં પોતાના ભાષણ દરમિયાન ખૈબર પખ્તુનખ્વાથી અલગ “હઝારા પ્રાંત” બનાવવાની જોરદાર માંગ કરી હતી. આ પ્રાંતને ઇમરાન ખાનનો ગઢ માનવામાં આવે છે, જેની સામે પીએમએલ-એન પગપેસારો કરવાનો પ્રયાસ કરી રહી છે.
મંત્રીએ કહ્યું કે હજારા પ્રદેશના લોકો હજુ પણ સ્વચ્છ પાણી અને વિકાસથી વંચિત છે અને સરકાર તરફથી સતત બેદરકારી દાખવવામાં આવી રહી છે. તેમણે નાના વહીવટી એકમોની જરૂરિયાત વ્યક્ત કરી.
બીજી તરફ, પીપીપીના સાંસદ સૈયદ મુર્તઝા મહમૂદે “દક્ષિણ પંજાબ” ને પંજાબથી અલગ રાજ્યોમાં વિભાજીત કરવાની માંગ કરી હતી. તેમના મતે, પંજાબ પાકિસ્તાનના સમગ્ર વિસ્તારના 60% સુધી વિસ્તરી ગયું છે, જે નાના વિસ્તારોના હિતોને દબાવી રહ્યું છે.
વિભાગીય માંગ પાછળનું રાજકારણ
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ માંગ માત્ર વિકાસ માટે નથી, પરંતુ તે પાછળ પ્રાંતવાદ અને સત્તાની રાજકીય પસ્તાવટ છે. પંજાબમાં જ્યાં પીએમએલ-એન મજબૂત છે, ત્યાં પીપીપી પોતાનું સ્થાયી ગઢ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. તેમજ ખૈબર પખ્તુનખ્વામાં પીએમએલ-એનને પ્રવેશ મળ્યો નથી, તેથી ત્યાં હઝારાના જુદાપણાને મુદ્દા તરીકે રજૂ કરીને આગેવાની મેળવવાની કોશિશ થઈ રહી છે.
પાકિસ્તાનના વર્તમાન પ્રાંતો
પાકિસ્તાનમાં હાલ નીચેના મુખ્ય પ્રાંતો છે:
- પંજાબ
- સિંધ
- ખૈબર પખ્તુનખ્વા
- બલૂચિસ્તાન
- ગિલગિટ-બાલ્ટિસ્તાન
(પીઓકે અને ઇસ્લામાબાદ કેન્દ્રશાસિત વિસ્તારો છે)
બલૂચિસ્તાન અને ખૈબર-પખ્તુનખ્વામાં પહેલાથી જ વિભાજન અને સ્વતંત્રતાની માંગ ઉઠતી રહી છે. હવે સરકારની અંદરથી આવતી એવી માંગ સરકારના તણાવને વધુ વઘારી શકે છે.
સાચું કે ખોટું, પરંતુ સરકારના જ મંત્રીઓ અને સાથી દળોના નેતાઓ દ્વારા આમ વિભાજનાત્મક માંગ ઉઠવી એ પાકિસ્તાન માટે નક્કીજ એક મોટું આંતરિક પડકાર છે.