Pakistan: વિશ્વ યુદ્ધના ભય વચ્ચે પાકિસ્તાનનું ઉશ્કેરણ,ઈઝરાયલ સામે પરમાણુ હથિયારની ધમકી
Pakistan: ભારત સામે તાજેતરમાં મળેલી કારમી હાર પછી, પાકિસ્તાન હવે આંતરરાષ્ટ્રીય યુદ્ધભાવનામાં ઉગ્ર નિવેદનો આપી રહ્યું છે. પ્રાપ્ત અહેવાલો મુજબ, પાકિસ્તાને ઈઝરાયલને પરમાણુ હુમલાની ખૂલ્લી ધમકી આપી છે. આ ધમકી ઈરાનના સમર્થનમાં આપવામાં આવી છે, જે હાલમાં ઇઝરાયલ સાથે ગંભીર તણાવમાં છે.
Pakistan: ઈરાનની નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના સભ્ય મોહસેન રેઝાઈએ ઈરાની ટેલીવિઝનને આપેલા ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો કે પાકિસ્તાને ઈરાનને કહ્યું છે, “જો ઈઝરાયલ તમારું પરમાણુ હુમલાથી નિશાન બનાવશે, તો અમે પણ તેના પર પરમાણુ હુમલો કરીશું.”
પાકિસ્તાનના પરમાણુ શક્તિના દાવા
અહેવાલો અનુસાર, પાકિસ્તાન પાસે હાલમાં આશરે 170 પરમાણુ શસ્ત્રો છે અને આશા છે કે 2025 સુધીમાં આ સંખ્યા 200 થી વધુ પહોંચી શકે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI) અને ફેડરેશન ઓફ અમેરિકન સાયન્ટિસ્ટ્સ (FAS)ના આંકડા આ દાવાને આધાર આપે છે.
બીજી તરફ, ઈઝરાયલ પોતાનું પરમાણુ arsenals જાહેર કરતું નથી અને ‘પરમાણુ અસ્પષ્ટતા’ ની નીતિનું પાલન કરે છે. તટસ્થ અનુમાન પ્રમાણે ઈઝરાયલ પાસે 90થી લઈને 300 સુધી પરમાણુ શસ્ત્રો હોઈ શકે છે.
યુદ્ધમાં જોડાવાની તૈયારી કે રાજકીય સ્ટંટ?
ભારત સામે હાર બાદ પાકિસ્તાનના રાજકીય નેતાઓ અને સેનાએ આંતરરાષ્ટ્રીય મુદ્દાઓમાં શાબ્દિક હસ્તક્ષેપ શરૂ કર્યો છે. તાજેતરમાં પેલગામ હુમલા પછી ભારતે કરેલા ‘ઓપરેશન સિંદૂર’ના પ્રતિસાદમાં, પાકિસ્તાનને ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું. ત્યારે હવે તે પોતાનું ધ્યાન બહાર વાળીને ઈરાન-ઈઝરાયલ સંઘર્ષમાં ધૂસી પડ્યું છે.
વિશ્વ સમુદાય માટે મોટો પ્રશ્ન એ છે કે – શું પાકિસ્તાન સાચે જ યુદ્ધમાં કુદવા માંગે છે કે માત્ર રાજકીય દબાણ માટે ઘોષણાઓ કરી રહ્યો છે?