કોરોના મહામારી સામે જંગની વચ્ચે દક્ષિણ કોરિયાના એક નિષ્ણાતે જણાયું કે બહાર કરતા ઘરમાં રહેનારા લોકો કોરોનાનો વધુ શિકાર થાય છે. તેમાં પણ કિશોરો અને વૃદ્ધોને લીધે આ મહામારી ફેલાવવાનું જોખણ વધુ રહે છે.
દક્ષિણ કોરિયાના મહામારી નિયંત્રણ સેન્ટર જિઓંગ ઇઉન ક્યોંગ સહિતના નિષ્ણાતોએ 20 જાન્યુઆરીથી 27 માર્ચ સુધી સંશોધન કર્યું. જેમાં 5706 કોરોનો પોઝિટિવ દર્દીઓ અને તેમના સંપર્કમાં આવેલા 59 હજાર લોકો પર અભ્યાસ કરવામાં આવ્યો. જેમાં જણાયું કે 100માંથી માત્ર બે લોકો જ ઘરની બહાર કોરોના વાઇરસના સંપર્કમાં આવ્યા. જ્યારે 100માંથી 10 લોકો ઘર પરિવારના જ કોઇ સભ્યને કારણે કોરોના વાઇરસનો શિકાર બન્યા છે.