Russia: રશિયાએ ભારતના દુશ્મન સાથે કરોડો ડોલરના કરારની અફવા નકારી, કહ્યું – આ ખબર સંપૂર્ણ ખોટી છે
Russia: રશિયાએ પાકિસ્તાન સાથે 2.6 અબજ ડોલરના કરાર અંગેની મિડિયા રિપોર્ટ્સને કડક શબ્દોમાં નકાર્યા છે. મૉસ્કોએ સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાન સાથે કોઈ મોટી આર્થિક વાતચીત કે કરાર નથી થયો. રશિયાએ જણાવ્યું કે આ અફવાઓનો ઉદ્દેશ ભારત-રશિયા વચ્ચેની રણનીતિક ભાગીદારીને નબળું કરવો છે.
પાકિસ્તાની મીડિયા દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે રશિયા અને પાકિસ્તાને કરાચી સ્થિત સોવિયેત યુગના સ્ટીલ પ્લાંટને ફરીથી શરૂ કરવા માટે 2.6 અબજ ડોલરના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ પ્લાંટ 1970ના દાયકામાં સોવિયેત યુનિયન દ્વારા બનાવવામાં આવ્યો હતો.
રશિયાના એક વરિષ્ઠ અધિકારીએ આ ખબરોને “અતિશયોક્તિ અને સંવેદનશીલ” ગણાવીને જણાવ્યું કે આ પ્રકારની અફવાઓ ભારત-રશિયાના મજબૂત સંબંધોને નુકસાન પહોંચાડવા માટે છે, ખાસ કરીને જયારે ભારતે પી ઓ કે વિસ્તારમાં આતંકવાદ સામે કાર્યવાહી કરી છે.
રશિયાની મીડિયા એજન્સીએ પણ આ અફવાઓને ખોટા ઠેરવ્યા અને જણાવ્યું કે વાતચીત તો થઈ છે પરંતુ કોઈ વિશાળ કરાર નથી થયો. આ અફવાઓની શરૂઆત નિક્કેઈ એશિયા રિપોર્ટ પરથી થઈ છે, જેમાં પૂરતા પુરાવા નથી.
રશિયાએ સ્પષ્ટ કર્યું છે કે ભારત સાથે તેના સંબંધ મજબૂત છે અને તેને નબળું કરવાનો કોઈ પ્રયત્ન સફળ નહીં થાય.