સુપ્રીમ કોર્ટે એક ચુકાદામાં નોંધ્યું છે કે RBI (રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા)ની મંજૂરી વિના કોઇપણ વિદેશી વ્યક્તિ ભારતમાં મિલકત વેચી ન શકે અને મિલકત કોઇને ભેટમાં પણ ન આપી શકે. કર્ણાટકમાં 1977માં ચાર્લ્સ રાટ નામના વિદેશી વ્યક્તિની પત્નીએ ભારતીય વ્યક્તિને જમીન આર.બી.આઇ.ની પરવાનગી વગર ભેટમાં આપી હતી. કર્ણાટક હાઇકોર્ટે આ સોદાને મંજૂરી આપતા મામલો સુપ્રીમ કોર્ટ સમક્ષ આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે સોદો રદબાતલ ઠેરવી આ અવલોકન નોંધ્યું છે.બેંગાલુરૂમાં 12,306 સ્કવેર ફીટનો એકની માલિકી ધરાવતા ચાર્લ્સ રાટની વિધવાએ આ જમીન વિક્રમ મલ્હોત્રા નામના વ્યક્તિને 1977માં ભેટમાં આપી હતી. ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ-1973 પ્રમાણે કોઇપણ વિદેશી વ્યક્તિએ ભારતમાં સિૃથત મિલકત વેચવા કે ભેટમાં આપવા આર.બી.આઇ.ની પરવાનગી જરૂરી છે. વિદેશી નાગરિકોને ભારતમાં રિયલ એસ્ટેટનાં ખરીદ-વેચાણ કરવામાંથી નિયંત્રિત કરવાના કાયદાઓના આધારે આ સોદો રદ કરવામાં આવે છે. જો કે સુપ્રીમ કોર્ટે નોંધ્યું છે કે જે સોદાઓને અગાઉ કોર્ટ સમક્ષ કે કોર્ટ સમકક્ષની ઓથોરિટી દ્વારા મંજૂરી મળી ચૂકી છે તે સોદાઓ યથાવત્ રહેશે અને તેના પર વિપરિત અસર નહીં થાય.
