T20 વર્લ્ડ કપમાં અર્શદીપ સિંહ રચશે ઈતિહાસ, આર. અશ્વિનનો મોટો રેકોર્ડ તૂટવાની તૈયારીમાં!

4 Min Read

T20 વર્લ્ડ કપમાં ઇતિહાસ રચવાના કિનારે અર્શદીપ સિંહ, આર. અશ્વિનનો ઐતિહાસિક રેકોર્ડ તોડવાની નજીક

ICC T20 વર્લ્ડ કપ 2026માં ભારતીય ટીમ પોતાનો બીજો મુકાબલો નામિબિયા સામે રમવાની તૈયારીમાં છે. આ મેચ માત્ર ટીમ ઈન્ડિયા માટે જ નહીં, પરંતુ ભારતીય ઝડપી બોલર અર્શદીપ સિંહ માટે પણ ખૂબ જ ખાસ સાબિત થઈ શકે છે. અર્શદીપ આ મેચમાં એક એવો કારનામો કરી શકે છે, જેનાથી તેઓ ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરોમાં લખાવી દેશે.

અર્શદીપ સિંહ ઇતિહાસની નજીક

ભારતના ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ હાલમાં T20 વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બનવાથી માત્ર થોડાં પગલાં દૂર છે. જો અર્શદીપ નામિબિયા સામેની મેચમાં ચાર બેટ્સમેનને આઉટ કરે, તો તેઓ ભારતીય દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિનનો ઐતિહાસિક રેકોર્ડ તોડી નાખશે.

- Advertisement -

asdip.jpg

અર્શદીપે અત્યાર સુધી T20 વર્લ્ડ કપમાં ભારત માટે 15 મેચમાં કુલ 29 વિકેટ ઝડપી છે. વર્તમાન ટૂર્નામેન્ટમાં ભારતની પ્રથમ મેચમાં, જે USA સામે રમાઈ હતી, અર્શદીપે બે વિકેટ ઝડપી હતી અને પોતાનો કુલ આંકડો 29 સુધી પહોંચાડ્યો હતો.

- Advertisement -

અશ્વિનનો રેકોર્ડ જોખમમાં

હાલમાં T20 વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ રવિચંદ્રન અશ્વિનના નામે છે. અશ્વિને ભારત માટે 24 મેચમાં કુલ 32 વિકેટ ઝડપી હતી. અર્શદીપ હવે આ આંકડાને પાર કરવા માટે માત્ર 3 વિકેટ દૂર છે.

જો અર્શદીપ નામિબિયા સામે ત્રણ અથવા તેથી વધુ વિકેટ ઝડપી લે છે, તો તેઓ T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારતના સૌથી સફળ બોલર બની જશે.

નામિબિયા સામે તૂટે શકે છે રેકોર્ડ

અર્શદીપની હાલની ફોર્મને જોતા એવું માનવામાં આવી રહ્યું છે કે તેઓ 12 ફેબ્રુઆરીએ દિલ્હી ખાતેના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાનારી નામિબિયા સામેની મેચમાં આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી શકે છે. દિલ્હીનો પિચ અને પરિસ્થિતિ ઝડપી બોલરોને મદદરૂપ સાબિત થાય છે, જે અર્શદીપ માટે અનુકૂળ માનવામાં આવી રહી છે.

- Advertisement -

T20 વર્લ્ડ કપમાં ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેનારા બોલરો

ભારતીય બોલરોના T20 વર્લ્ડ કપના રેકોર્ડ પર નજર કરીએ તો યાદી આ મુજબ છે:

  • રવિચંદ્રન અશ્વિન – 32 વિકેટ
  • અર્શદીપ સિંહ – 29 વિકેટ
  • જસપ્રીત બુમરાહ – 26 વિકેટ
  • હાર્દિક પંડ્યા – 24 વિકેટ
  • રવિન્દ્ર જાડેજા – 22 વિકેટ

T20I ક્રિકેટમાં પણ અર્શદીપનો દબદબો

માત્ર વર્લ્ડ કપ જ નહીં, પરંતુ સમગ્ર T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ અર્શદીપ સિંહનો દબદબો જોવા મળે છે. અર્શદીપ હાલમાં T20I ક્રિકેટમાં ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેનારા બોલર છે.

તેમણે અત્યાર સુધી 77 T20I મેચમાં 76 ઇનિંગ્સ દરમિયાન કુલ 120 વિકેટ ઝડપી છે. તેમનું શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન 5 વિકેટ સામે 51 રન રહ્યું છે. આ યાદીમાં તેમના પછી જસપ્રીત બુમરાહ બીજા ક્રમે છે, જેમણે 107 વિકેટ લીધી છે.

asdip11.jpg

ભારતીય ટીમ દિલ્હી પહોંચી

નામિબિયા સામેની મેચ પહેલા ભારતીય ટીમ દિલ્હી પહોંચી ગઈ છે. ટીમને એક દિવસનો આરામ આપવામાં આવી શકે છે, ત્યારબાદ પ્રેક્ટિસ સેશન શરૂ થશે. એવી શક્યતા છે કે આ મેચ માટે પ્લેઇંગ ઇલેવનમાં કેટલાક ફેરફાર કરવામાં આવે.ખાસ કરીને જસપ્રીત બુમરાહની વાપસી લગભગ નક્કી માનવામાં આવી રહી છે, જ્યારે વોશિંગ્ટન સુંદરને તક મળશે કે નહીં, તે અંગે અંતિમ નિર્ણય ટીમ મેનેજમેન્ટ દ્વારા લેવામાં આવશે

નામિબિયા સામેની મેચ માત્ર ગ્રુપ સ્ટેજની એક મેચ નહીં રહે, પરંતુ અર્શદીપ સિંહ માટે ઇતિહાસ રચવાની સુવર્ણ તક બની શકે છે. જો તેઓ અશ્વિનનો રેકોર્ડ તોડી નાખે છે, તો T20 વર્લ્ડ કપ 2026માં આ ક્ષણ ભારતીય ક્રિકેટ ચાહકો માટે યાદગાર બની જશે

Share This Article