ગુજરાતી માં કહેવત છે કે ‘ પાપ નો ઘડો છલકાય એટલે ફૂટ્યા વગર ન રહે’ અને બીજી કહેવત ‘જેને કોઈ ન પહોંચે તેને તેનું પેટ પહોંચે ‘ ચાઈના માંથી વછુટેલા કોરોના વાયરસ લઈને દુનિયાભર માં ચીન વિરૂદ્ધ જુવાળ ઉભો થયો છે, ત્યારે હવે ચીનની સરકારની સૌથી ઉંચી રાજનૈતિક સલાહકાર સંસ્થા CPPCC ( ચાઈનીઝ પીપલ્સ પોલિટિકલ કંસલ્ટેટિવ કોન્ફરન્સ) ની અકે અગત્યની વાર્ષિક બેઠક આજે 21 મે થી 27 મે દરમિયાન બેઈજીંગમાં યોજાવવા જઈ રહીછે. માનવામાં આવે છે કે ચીનની આ સૌથી મોટી રાજકીય બેઠક છે. આ બેઠકમાં લેવામાં આવનારા નિર્ણય પર દુનિયાભરની નજર છે.
આ બેઠકમાં જિનપિંગ વિરૂદ્ધ જ અવાજ ઉઠવાની શક્યતા છે. અવાજ ઉઠાવનારાઓમાં કમ્યુનિસ્ટ પાર્ટીના સભ્યો અને ચીનની શક્તિશાળી સેનાના કેટલાક પૂર્વ અધિકારીઓ નું ગ્રુપ ભાગ લઈ રહ્યું છે.
ચીન માં જ્યારે કોરોના પ્રસર્યો ત્યારે લોકો ટપોટપ મરવા લાગ્યા તે સમયે સરકાર સામે અવાજ ઉઠાવનારાઓ વિરૂદ્ધ જે ક્રુરતા કરવામાં આવી રહી છે તેને લઈને નારાજગી પણ છે.
ચીન પર એકહથ્થુ શાસન કરનારા શી જિનપિંગની સત્તા વિરૂદ્ધ હવે મોટા પાયે એકસાથે વિરોધી અવાજ ઉઠવા લાગે તેવી શક્યતા છે. તેના કેટલાક કારણ છે. જે પૈકી એક છે 2018માં ચીનની સંસદના કાર્યકાળને સમાપ્ત કરી દેવો. એટલે કે જિનપિંગ જીવે ત્યાં સુધી રાષ્ટ્રપતિ રહી શકે તેવો અધિકાર. જેથી અનેક નેતાઓના પત્તા હંમેશા માટે કપાઈ ગયા છે. જેથી હવે કેટલાક એવા પણ લોકો છે જે જિનપિંગના આ નિર્ણય વિરૂદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે.
હવે કોરોના વાયરસની સ્થિતિનો લાભ લઈને જિનપિંગ વિરૂદ્ધ અવાજ બુલંદ કરવાના પ્રયાસોએ જોર પકડ્યું છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના ઘણા એવા સભ્યો અને કાર્યકર્તાઓ વન મેન રૂલ્સ નથી ઈચ્છતા. CPPCC અને NPC એટલે કે નેશનલ પીપલ્સ કોંગ્રેસમાં આવનારા 7000 પ્રતિનિધિઓનું પણ સમર્થન મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ચીનની શક્તિશાળી પીપલ્સ લિબરેશન આર્મીના પણ કેટલાક નિવૃત્ત અધિકારીઓ પણ આ પ્લાનમાં સાથ આપી રહ્યાં છે. વિદ્યાર્થીઓના સંગઠનો, બુદ્ધીજીવીઓનો પણ સાથ છે. તેમાં પણ કોરોના મામલે ચીન જે રીતે દુનિયા આખીને અંધારામાં રાખી રહ્યું છે અને દુનિયા આખી તેને આ મહામારી અને ખુવારી માટે જવાબદાર માની રહ્યું છે ત્યારે ચીનની અંદરથી પણ જિનપિંગ વિરૂદ્ધ અવાજ ઉઠવા લાગ્યો છે.
ચીનના કોરોના પાપનો ખુલાસો કરનારા ડોક્ટરનું રહસ્યમય મોતની લઈને પણ લોકોમાં ભારે નારાજગી છે. સોશિયલ મીડિયા પર કોરોના વિરૂદ્ધ અવાજ ઉઠાવનારાઓ સાથે જે પ્રકારનું વર્તન કરવામાં આવી રહ્યું છે તેને લઈને પણ જિનપિંગ વિરૂદ્ધ ભારોભાર રોષ છે. કોરોનાને લઈને ચીન જે રીતે દુનિયાથી અલગ થઈ રહ્યું છે અને અમેરિકા જેવી મહાશક્તિ અને ભારત સામેં કોરોના મહામારી માં પણ સરહદે બબાલ કરી રહ્યું છે, જેથી યુદ્ધ નો માહોલ છે જેનાથી કોરોના બાદ યુદ્ધ ની વાત થી ચીનમાં લોકો ભારે ચિંતિત છે. હવે દુનિયાભરની કંપનીઓ ચીનમાંથી પોતાના ધંધા સંકેલી રહી છે અને ચીનના માલ સામાનનો બહિષ્કાર કરી રહી છે તેને લઈને ભવિષ્યમાં ભયંકર બેરોજગારી ઉભી થાય તેવી શક્યતા છે. રોજગારીની સમસ્યા તો આજે પણ છે જ. છેલ્લા બે વર્ષમાં જ બેરોજગારીનો આંકડો 2 કરોડથી વધીને 7 થી 8 કરોડ સુધી પહોંચી ગયો છે.ત્યારે હવે જીપીનિંગ ઘર આંગણે જ ઘેરાઈ ગયા છે અને પોતાના જ દેશ માં પોતાની સામે બળવો થવાના અણસાર મળી રહ્યા છે તેવે સમયે આજની આ બેઠક માં શુ થાય છે તેની સામે સૌની મીટ મંડાઈ છે.
