મિડલ ઈસ્ટમાં ફસાયેલા ભારતીયો માટે રાહત: એર ઈન્ડિયા અને ઈન્ડિગો આજથી શરૂ કરશે સ્પેશિયલ ફ્લાઈટ્સ
મધ્ય પૂર્વના દેશોમાં ફસાયેલા હજારો ભારતીયો માટે આખરે રાહતના સમાચાર આવ્યા છે. અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધતા તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિને જોતા ભારત સરકાર સતત સતર્ક છે. આ પરિસ્થિતિમાં ત્યાં ફસાયેલા નાગરિકોને પરત લાવવા માટે એર ઈન્ડિયા અને ઈન્ડિગો એ આજથી દુબઈ, અબુ ધાબી અને શારજાહ સહિતના વિવિધ દેશો માટે સ્પેશિયલ ફ્લાઈટ્સનું સંચાલન શરૂ કર્યું છે.
એર ઈન્ડિયા અને ઈન્ડિગોની મોટી તૈયારી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એર ઈન્ડિયા પશ્ચિમ એશિયાથી આવવા-જવા માટે કુલ 58 સ્પેશિયલ ફ્લાઈટ્સ ઓપરેટ કરશે. આ જ રીતે, ઈન્ડિગો પણ આજથી મિડલ ઈસ્ટના 8 અલગ-અલગ ગંતવ્ય સ્થાનો માટે પોતાની સેવાઓ શરૂ કરી રહી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના ડેટા મુજબ, ગત 9 માર્ચના રોજ ભારતીય એરલાઈન્સ દ્વારા 45 ફ્લાઈટ્સ ચલાવવામાં આવી હતી, જેના દ્વારા 7,047 મુસાફરો સુરક્ષિત રીતે ભારત પરત ફર્યા છે.
એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસ દ્વારા સંયુક્ત આરબ અમીરાત (UAE) થી અંદાજે 36 અનિયમિત ફ્લાઈટ્સ ચલાવવામાં આવી રહી છે, જે સ્થાનિક વહીવટીતંત્ર અને સ્લોટની ઉપલબ્ધતા પર આધારિત છે.
કયા શહેરો માટે શરૂ થશે ફ્લાઈટ્સ?
એરલાઈન્સ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ, જેદ્દાહ અને મસ્કત જેવા મુખ્ય શહેરો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે:
- જેદ્દાહ: એર ઈન્ડિયા દિલ્હી અને મુંબઈથી જેદ્દાહ માટે રાઉન્ડ-ટ્રિપ ઓપરેટ કરશે. જ્યારે એર ઈન્ડિયા એક્સપ્રેસ હૈદરાબાદ અને કોઝિકોડથી આ સેવા આપશે.
- મસ્કત: મસ્કત માટે દિલ્હી, મુંબઈ, કન્નૂર, તિરુવનંતપુરમ અને કોચ્ચિ જેવા શહેરોથી સીધી ફ્લાઈટ્સ ઉપલબ્ધ રહેશે.
- યુરોપ: ઈન્ડિગો માત્ર મિડલ ઈસ્ટ જ નહીં, પરંતુ યુરોપના કેટલાક પસંદગીના દેશો માટે પણ તેની ફ્લાઈટ્સ ચાલુ રાખશે.
Travel Advisory
IndiGo is working closely with the relevant authorities to gradually rebuild its flight network in Middle East, enabling customers to reunite with their loved ones and continue their journeys.
On 11 March 2026, IndiGo will operate flights to 8 destinations… pic.twitter.com/3MooQwIzbc
— IndiGo (@IndiGo6E) March 10, 2026
મુસાફરોની સુરક્ષા સરકારની પ્રાથમિકતા
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે તેઓ મધ્ય પૂર્વની બદલાતી પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. મુસાફરોની સુરક્ષા અને સેવાઓમાં કોઈ વિક્ષેપ ન પડે તે માટે DGCA (નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય) એ વધારાના સ્લોટ્સની મંજૂરી આપી દીધી છે.
Air India and Air India Express will together operate a total of 58 scheduled and non-scheduled flights to and from the West Asia region on 11 March 2026.
View the full list here: https://t.co/lIXfE9u6je
— Air India (@airindia) March 10, 2026
તણાવપૂર્ણ સ્થિતિને ધ્યાનમાં રાખીને, જો જરૂર પડે તો મસ્કત ઇન્ટરનેશનલ એરપોર્ટને વૈકલ્પિક એરપોર્ટ તરીકે વાપરવા માટે પણ મંજૂરી લેવામાં આવી છે. આ વ્યવસ્થા દુબઈ, શારજાહ, જેદ્દાહ અને મદીના જતી ફ્લાઈટ્સ માટે બેકઅપ પ્લાન તરીકે કામ કરશે.
