PCB એ ખેલાડીઓ સામે આત્મસમર્પણ કર્યું હોવાના આરોપ સાથે પાક. ક્રિકેટમાં નવો વિવાદ

3 Min Read

PCB પર પ્રહાર: ‘બોર્ડ એટલું નબળું પડી ગયું છે કે તે પોતાના જ ખેલાડીઓ સામે ઘૂંટણ ટેકવી રહ્યું છે’

T20 વર્લ્ડ કપ 2026ના સુપર-8માંથી બહાર થયા બાદ અને બાંગ્લાદેશ સામેની વનડે શ્રેણીમાં 1-2થી પરાજય મળ્યા પછી પાકિસ્તાન ક્રિકેટમાં ફરી એકવાર આંતરિક કલહ અને નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે. મેદાન પરના સતત ખરાબ પ્રદર્શન બાદ હવે પૂર્વ ઓપનર અહેમદ શહઝાદે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને ટીમના સિનિયર ખેલાડીઓ સામે અત્યંત આકરા પ્રહારો કર્યા છે. શહઝાદના મતે, બોર્ડ હવે ખેલાડીઓના એક ચોક્કસ જૂથ સામે લાચાર બની ગયું છે.

pcb1.jpg

- Advertisement -

ખેલાડી-કેન્દ્રિત સંસ્કૃતિ પર સવાલો

પોતાની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરેલા વીડિયોમાં અહેમદ શહઝાદે PCBની રણનીતિ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, બોર્ડે છેલ્લા 5-7 વર્ષોમાં માત્ર 6 થી 8 ખેલાડીઓને જ પાકિસ્તાન ક્રિકેટ અને PSLનો ચહેરો બનાવવામાં કરોડો રૂપિયા ખર્ચ્યા છે. શહઝાદે પૂછ્યું, “શું આ જ ખેલાડીઓ પાકિસ્તાનનું નસીબ બદલી શકશે? તમે આ છોકરાઓને તમામ સ્પોન્સરશિપ આપી, તેમનો પ્રચાર કર્યો અને તેમને જ PSLમાં કેપ્ટન બનાવ્યા. તમે આખી પાકિસ્તાન ટીમ આ 6 ખેલાડીઓ અને તેમના એજન્ટોના હવાલે કરી દીધી છે, પણ બદલામાં તેમણે દેશને શું જીતાડ્યું?”

‘અહંકાર અને જવાબદારીનો અભાવ’

શહઝાદે ખેલાડીઓ પર નિશાન સાધતા આરોપ લગાવ્યો કે આટલી નિષ્ફળતાઓ છતાં કોઈ પણ ખેલાડી જવાબદારી સ્વીકારવા તૈયાર નથી. તેમણે કહ્યું, “તેમની હિંમત તો જુઓ, આજે પણ તેઓ એ માનવા તૈયાર નથી કે હાર માટે તેઓ જવાબદાર છે. આજે પણ ટીમમાં એકબીજા પર દોષારોપણની રમત ચાલે છે. ખેલાડીઓનો અહંકાર હજુ પણ તૂટ્યો નથી. જ્યારે પણ તમે તેમની ટીકા કરો છો, ત્યારે તેઓ મનગઢંત વાર્તાઓ સંભળાવવા લાગે છે.” શહઝાદના મતે આ ખેલાડીઓએ માત્ર પોતાની જેબ ભરી છે અને અંગત મોજ-મસ્તી કરી છે, પરંતુ મેદાન પર પાકિસ્તાનને ગૌરવ અપાવવામાં તેઓ નિષ્ફળ રહ્યા છે.

- Advertisement -

pcb.jpg

નબળું પડતું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ

અહેમદ શહઝાદે PCBની નબળાઈ વિશે વાત કરતા કહ્યું કે, તેણે તેના જીવનમાં આટલું લાચાર બોર્ડ ક્યારેય જોયું નથી. તેમણે કહ્યું, “બોર્ડ પાસે શક્તિ છે, પરંતુ તે નિર્ણયો લેવામાં પોતાના જ ખેલાડીઓ સામે ઘૂંટણ ટેકવી રહ્યું હોય તેવું લાગે છે. PCB નવા ચહેરાઓને ટીમમાં લાવવામાં નિષ્ફળ રહ્યું છે. દરેક મોટી ટૂર્નામેન્ટમાં હાર્યા પછી બોર્ડ કોઈ નવી ચાલ ચાલવાનો પ્રયાસ કરે છે, પરંતુ હવે જનતા તેમની આ યુક્તિઓ સમજી ગઈ છે.”

TAGGED:
Share This Article