બંગાળમાં ભાજપની જીત બાદ તણાવ: કોલકાતામાં વિજય સરઘસો પર પ્રતિબંધ, હિંસા રોકવા તંત્ર એલર્ટ

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
3 Min Read

બંગાળમાં ભાજપની ‘બમ્પર’ જીત બાદ હિંસાનો ડર: કોલકાતામાં વિજય સરઘસ પર પ્રતિબંધ, પોલીસની કડક એડવાઈઝરી

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોએ આજે દેશભરનું ધ્યાન ખેંચ્યું છે. શરૂઆતના વલણોમાં ભારતીય જનતા પાર્ટી (BJP) એ જે રીતે બંગાળમાં ‘કમાલ’ કરી છે અને 150થી વધુ બેઠકો પર લીડ મેળવીને બહુમતીનો આંકડો પાર કર્યો છે, તેનાથી રાજકીય ગરમાવો વધી ગયો છે. જોકે, આ જીતની ખુશીની સાથે જ બંગાળમાં ફરી એકવાર હિંસા અને બવાલ થવાનો ભય પણ સતાવી રહ્યો છે. આ પરિસ્થિતિને ગંભીરતાથી લેતા કોલકાતા પોલીસે સુરક્ષા વ્યવસ્થા સખત કરી દીધી છે અને શહેરમાં શાંતિ જાળવવા માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે.

આજે કોઈ ઉજવણી નહીં: વિજય સરઘસો પર સંપૂર્ણ રોક

કોલકાતા પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલી એડવાઈઝરીમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે મતગણતરીની પ્રક્રિયા આજે મોડી રાત સુધી ચાલવાની છે. શહેરમાં શાંતિ, કાયદો અને વ્યવસ્થા તેમજ ભાઈચારો જળવાઈ રહે તે હેતુથી આજે એટલે કે 4 મેના રોજ કોઈ પણ રાજકીય પક્ષ કે સંગઠનને વિજય સરઘસ (Victory Procession) કાઢવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

- Advertisement -

bjp5.jpg

પોલીસે કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે આ પ્રતિબંધ તમામ પક્ષો પર સમાન રીતે લાગુ પડશે. જો કોઈ પણ પક્ષ અથવા તેના કાર્યકરો આ નિયમનો ભંગ કરશે, તો તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસનો ઉદ્દેશ્ય ચૂંટણીના પરિણામો બાદ ઉદ્ભવતી સંભવિત હિંસક અથડામણોને અટકાવવાનો છે.

- Advertisement -

ઉજવણી માટે નવા નિયમો: 5 મે પછી જ મળશે પરવા નગી

પોલીસ એડવાઈઝરી મુજબ, જો કોઈ પક્ષ પોતાની જીતનો જશ્ન મનાવવા અથવા સરઘસ કાઢવા માંગતો હોય, તો તેણે આવતીકાલે એટલે કે 5 મે 2026 અથવા ત્યારપછીની તારીખની રાહ જોવી પડશે. જોકે, તેના માટે પણ પ્રશાસને કેટલાક કડક નિયમો બનાવ્યા છે:

કોઈપણ સરઘસ કાઢતા પહેલા સંબંધિત વિસ્તારના પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ (OC) પાસેથી લેખિતમાં પરવાનગી લેવી પડશે.

પરવાનગી મળ્યા બાદ પણ પોલીસે નક્કી કરેલા રૂટ અને શરતોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

- Advertisement -

જો આ દરમિયાન જાહેર વ્યવસ્થામાં ખલેલ પહોંચશે અથવા કોઈ હિંસક ઘટના બનશે, તો આયોજકો સામે કાયદાકીય ગાજ પડશે.

ss.jpg

સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનો ‘પહેરો’

ચૂંટણીના વલણોમાં ભાજપની મોટી સરસાઈ બાદ તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થવાની પ્રબળ શક્યતા છે. આથી, કોલકાતાના જે વિસ્તારો રાજકીય દ્રષ્ટિએ સંવેદનશીલ માનવામાં આવે છે, ત્યાં વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરી દેવામાં આવી છે. મતગણતરી કેન્દ્રોની બહાર અને વિવિધ પક્ષોના કાર્યાલયો પાસે સુરક્ષા ચુસ્ત બનાવી દેવામાં આવી છે.

Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.