અમદાવાદ માં કોંગ્રેસે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઉમેદવારોની યાદી જાહેર કર્યા બાદ હવે ભાજપ અને ઓવૈસી ની પાર્ટી ને ફાયદો થશે તેવી વાતો ચર્ચાઈ રહી છે.
કેટલાક ઉમેદવારો ને ટિકિટ નહિ મળતા કાર્યકરોનો વિરોધ દિવસભર ચાલુ રહ્યો હતો. ધારાસભ્યો તેમના ટેકેદારોને ચૂંટણી લડાવવાની જીદ પકડતા મામલો પેચીદો બન્યો હતો. સ્થાનિક સંગઠન અને પ્રદેશ નેતાઓ કાર્યકર્તા અને પક્ષને વફાદાર રહીને કામ કરતા નેતાઓને ટિકિટ આપવા માગતા હોવાથી ધારાસભ્યો-સંગઠન વચ્ચે ચાલતી માથાકૂટ વચ્ચે અમદાવાદમાં કોર્પોરેશનની ચૂંટણીમાં ટિકિટ નહીં મળતાં NSUIના હોદ્દાદારો લડી લેવાના મૂડમાં છે અને અમદાવાદ જિલ્લાના 700 જેટલા હોદ્દાદારોએ રાજીનામા ધરી દીધા છે. ત્યારે આજે દરિયાપુરના કોંગ્રેસના 500 કાર્યકર્તાઓએ રાજીનામા આપ્યા છે. દરિયાપુરના ઝીલ શાહે અમદાવાદ શહેર કોંગેસ ઉપપ્રમુખ પદેથી રાજીનામુ આપી દીધું છે.
યાદી જાહેર થયા બાદ NSUIના નેતાઓ એટલે સુધી રોષે ભરાયેલા હતા કે, તેમણે આ સમગ્ર બાબતને લઈને કોંગ્રેસના આંતરીક વિખવાદને ઉજાગર કર્યો હતો. તેમણે ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખ સામે ગંભીર આક્ષેપો કર્યા હતો.
