એબી ડી વિલિયર્સનો સવાલ: વૈભવ સૂર્યવંશીને ક્યારે રમવા દેશો? આયર્લેન્ડ સામે ડેબ્યૂ માટે યોગ્ય તક હતી

4 Min Read

વૈભવ સૂર્યવંશીને બેન્ચ પર બેસાડવા મુદ્દે એબી ડી વિલિયર્સ નારાજ: કોચિંગ સ્ટાફ સાથે અસંમતિ દર્શાવતા પૂછ્યું ‘તમે તેને ક્યારે મુક્ત કરશો?’

ભારતીય ક્રિકેટના ૧૫ વર્ષીય બેટિંગ સેન્સેશન વૈભવ સૂર્યવંશીને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ ન કરવા બદલ હવે વૈશ્વિક સ્તરે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. દક્ષિણ આફ્રિકાના પૂર્વ દિગ્ગજ કેપ્ટન એબી ડી વિલિયર્સે વૈભવ સૂર્યવંશીને ન રમાડવા બદલ ભારતીય ટીમ મેનેજમેન્ટના વલણ સામે ખુલ્લો અસંતોષ વ્યક્ત કર્યો છે.

ભારે ઉત્સાહ અને ધામધૂમ વચ્ચે સૂર્યવંશીની આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમમાં પસંદગી કરવામાં આવી હતી, પરંતુ આ યુવા વિસ્ફોટક ઓપનરને અત્યાર સુધી માત્ર બેન્ચ પર જ સમય પસાર કરવો પડ્યો છે. આયર્લેન્ડ સામેની બંને ટી૨૦ મેચમાં તેને અવગણવામાં આવ્યા બાદ, ઇંગ્લેન્ડ સામેની પ્રથમ મેચમાં પણ મેનેજમેન્ટે અભિષેક શર્મા અને સંજુ સેમસનની ઓપનિંગ જોડી પર જ ભરોસો રાખ્યો હતો.

- Advertisement -

vaibavso.jpg

સંજુ સેમસનનું ખરાબ ફોર્મ અને વધતું દબાણ

આયર્લેન્ડ પ્રવાસ દરમિયાન ભારતના સહાયક કોચ રાયન ટેન ડોશેટે સૂર્યવંશીને ન રમાડવા પાછળનો તર્ક આપતા કહ્યું હતું કે, મેનેજમેન્ટ સંજુ સેમસનને પૂરતી તકો આપવા માંગે છે. સેમસને આ વર્ષની શરૂઆતમાં ભારતને ટી૨૦ વર્લ્ડ કપ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, તેથી તેની સાથે ન્યાય થવો જરૂરી છે.

- Advertisement -

પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. સંજુ સેમસન સતત ત્રણ આંતરરાષ્ટ્રીય મેચોમાં ફ્લોપ રહ્યો છે. સેમસનની આ નિષ્ફળતાના કારણે હવે સોશિયલ મીડિયાથી લઈને ક્રિકેટ પંડિતો તરફથી મેનેજમેન્ટ પર દબાણ વધી રહ્યું છે કે તેઓ શાનદાર ફોર્મમાં ચાલી રહેલા સૂર્યવંશીનો મહત્તમ ઉપયોગ કરે. ડાબોડી ઓપનર સૂર્યવંશીએ IPL 2026 માં રાજસ્થાન રોયલ્સ માટે ૭૭૬ રન ફટકાર્યા હતા અને ત્યારબાદ ડોમેસ્ટિક ક્રિકેટમાં લિસ્ટ-એ (List-A) ની સૌથી ઝડપી ફિફ્ટી ફટકારીને પોતાના શાનદાર ફોર્મની સાબિતી આપી હતી.

“તેને સીધો જ મેદાનમાં ઉતારવાનો આ યોગ્ય સમય હતો” : એબી ડી વિલિયર્સ

એબી ડી વિલિયર્સ ભારતીય કોચિંગ સ્ટાફ, ખાસ કરીને રાયન ટેન ડોશેટેના એ નિવેદન સાથે બિલકુલ સહમત નથી કે સૂર્યવંશીએ અન્ય ખેલાડીઓની જેમ લાંબી પ્રક્રિયા (Process) માંથી પસાર થવું પડશે. પોતાની યુટ્યુબ ચેનલ પર વાત કરતા ડી વિલિયર્સે ખુલ્લેઆમ પ્રશ્નો ઉઠાવ્યા:

“તે ક્યારે મેદાન પર આવશે? મને લાગતું હતું કે આયર્લેન્ડ સામેની શ્રેણી તેના માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના માહોલમાં ઢળવા અને કીમતી અનુભવ મેળવવાની એક સુવર્ણ તક હતી. તે ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે કે તેને એક પણ મેચ રમવાની તક ન મળી.”

- Advertisement -

ડી વિલિયર્સે વધુમાં ઉમેર્યું, “હું રાયન ટેન ડોશેટેના વિચારો સાથે અસહમત છું. આઈપીએલ જેવા આટલા મોટા સ્ટેજ પર અદ્ભુત પ્રદર્શન કર્યા પછી, વૈભવને સીધો જ મેદાનમાં (Deep end) ઉતારવાનો આ યોગ્ય સમય હતો, ખાસ કરીને આયર્લેન્ડ જેવી લોઅર-રેન્ક ટીમ સામે તો તેને તક આપવી જ જોઈતી હતી.”

vaibavsorya.jpg

આયર્લેન્ડ સામે કારમી હાર બાદ ટીમ ઈન્ડિયા માટે ખતરાની ઘંટડી

એબી ડી વિલિયર્સનું માનવું છે કે આયર્લેન્ડ સામેની શ્રેણી ૨-૦થી હાર્યા બાદ ભારતે પોતાની રમત અને વ્યૂહરચનામાં ઘણો સુધારો કરવાની જરૂર છે. નવા કેપ્ટન શ્રેયસ અય્યર માટે આ પ્રવાસની શરૂઆત ખૂબ જ ખરાબ રહી છે.

યુકે (UK) ની પરિસ્થિતિઓ અંગે ભારતીય ટીમને સલાહ આપતા ડી વિલિયર્સે કહ્યું:

“ટીમ ઈન્ડિયાએ ઘણું કામ કરવાનું બાકી છે. તેમણે ફરીથી સંગઠિત થવું પડશે અને યુકેની કંડિશન્સમાં રમવા માટે નવી યોજના શોધવી પડશે. ત્યાંની પરિસ્થિતિઓ આઈપીએલ જેવી સહેલી નથી હોતી, જ્યાં તમે આસાનીથી ૨૫૦ કે ૨૬૦ રન બનાવી લો. ત્યાંની રમત વધુ પ્રિડિક્ટેબલ અને વ્યૂહાત્મક હોય છે, જ્યાં ક્યારેક ૧૪૦ કે ૧૬૦ રનનો સ્કોર પણ મેચ જીતવા માટે પૂરતો સાબિત થાય છે.”

Share This Article