પાટીદાર અનામત આંદોલન સમિતિ પાસના કન્વીનર હાર્દિક પટેલની પાંચમાંથી ચાર માંગણી સ્વીકાર્યા બાદ કોંગ્રેસ હવે ટૂંક જ સમયમાં પાટીદારોને OBC ક્વોટા આપવા અંગે પોતાના નિર્ણય અંગે જાહેરાત કરશે. રવિવારે ભૂતપૂર્વ કાયદામંત્રી અને ગુજરાત કોંગ્રેસ કેમ્પેઈન કમિટીના ચેરમેન સિદ્ધાર્થ પટેલે પાર્ટીના લીગલ કમિટી ચીફ બાબુ મંગુકિયા સાથે મળીને પાર્ટી વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલની મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં પાટીદારોને ક્વોટા આપી શકાય કે નહિ તેના પેચીદા પ્રશ્ન પર પણ ચર્ચા થઈ હતી. સિબ્બલે કોંગ્રેસના વાઈસ પ્રેસિડન્ટ સોનિયા ગાંધીને શુક્રવારે ક્વોટા પર ફાઈનલ રિપોર્ટ સમિટ કર્યો હતો. સોનિયા ગાંધી ટૂંક જ સમયમાં આ મુદ્દે નિર્ણય કરશે.
સિબ્બલે જણાવ્યું, “મેં મારુ મંતવ્ય આપી દીધું છે. હવે કોંગ્રેસના વડા આ પ્રશ્ન પર ટૂંક જ સમયમાં નિર્ણય કરશે. અમે આ પ્રશ્નનું એનાલિસિસ કર્યું છે અને તે બંધારણની દૃષ્ટિએ યોગ્ય છે કે નહિ તેની ચકાસણી કરી છે. આના આધારે અમે રિપોર્ટના હાર્દમાં ગુજરાતના લોકોનું હિત અને ગરીબ તથા કચડાયેલા વર્ગને આગળ લાવવાની વાત કરી છે.”
સિદ્ધાર્થ પટેલે જણાવ્યું, “અમે કેટલાંક વિકલ્પો વિચાર્યા છે. પાર્ટીના હાઈ કમાન્ડ સાથે વાત કરીને આ પ્રસ્તાવને આકાર આપવામાં આવશે. અને તે હાર્દિક પટેલ સાથે શેર કરવામાં આવશે. હાર્દિક આ રિપોર્ટ સ્વીકારશે કે નહિ તે અત્યારે કહી ન શકાય અને પાસના આગેવાન સાથે આ મુદ્દે ચર્ચા કરશે.”