ગુનાખોરી ની દુનિયા માં ગુનેગારો સામે એક્શન લેવાને બદલે તેઓ સાથે સાંઠગાંઠ રાખનાર પોલીસ અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવ્યા છે, બુટલેગર, જુગાર, સટ્ટો, કોલ સેન્ટરના સંચાલક સાથેની સાંઠગાંઠ, તોડકાંડ, હની ટ્રેપ કે પછી નિર્દોષ શ્રમજીવી પર અત્યાચારની ઘટના હોય. ગુનેગારો સાથે સાંઠગાંઠ ધરાવતા અમદાવાદના 5 પીઆઈ અને 1 પીએસઆઈને 6 જ મહિનામાં સસ્પેન્ડ કરાયા છે. જ્યારે અડધો ડઝન પીઆઈને સજાના ભાગરૂપે બદલી કરવામાં આવી છે.
આ પોલીસ અધિકારીઓ ની વાત કરવામાં આવે તો PI ગીતા પઠાણ કે જેઓ શહેરના મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનના પીઆઈ હતા જેઓની હની ટ્રેપ કૌભાંડમાં ધરપકડ કરાઈ હતી. તેઓ હનીટ્રેપ માં ફસાવતી ટોળકી સાથે સાંઠગાંઠ ધરાવવા મામલે તેમની વિરુદ્ધ રૂ.27 લાખની તોડ મામલે ફરિયાદ થઇ હતી જેઓ સામે એક્શન લેવાયા છે.
જયારે PSI કિશનસિંહ રાઓલ કે જેઓ મોદી સ્ટેડિયમમાં સટ્ટો રમતા બુકીને અમદાવાદ આઈબીના પીએસઆઈ કિશનસિંહ સરકારી જીપમાં જ સ્ટેડિયમ સુધી મૂકી ગયા હતા. જેથી ચાંદખેડા પોલીસે ધરપકડ કરી તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે.
જયારે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ વાય.બી.જાડેજાએ એસજી હાઈવે પરથી કારમાં ક્રિકેટ પર સટ્ટો રમતા 3 બુકીને પકડી લાખોનો તોડ કરવના મામલે તેમને સસ્પેન્ડ કરાયા હતા.
તેજ રીતે PI એમ.બી.બારડ કે જેઓ માધુપુરા પોલીસ સ્ટેશન નજીક ચાલતા દાઉદનું જુગારધામ પોલીસની સાંઠગાંઠથી ચાલતું હોવાનું પુરવાર થતા ડીજીપીએ તત્કાલિન પીઆઈ એેમ.બી.બારડને સસ્પેન્ડ કર્યા હતા.
તથા PI પી.ડી.દરજી ઓનલાઈન સેલ્ફ ડ્રાઈવ માટે ગાડી ભાડે લઈ વેચી મારવાના મોટા કૌભાંડમાં સેટેલાઈટ પોલીસના પીઆઈ પી.ડી.દરજી પર ગાડીઓ કબજે ન કરવાનો આક્ષેપ થતા કમિશનરે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા હતા.
જ્યારે PI વી.આર.ચૌધરી કોરોના કાળમાં શાકભાજીની લારીઓ ઉંધી પાડી શ્રમજીવીઓ પર અત્યાચારના મામલે કૃષ્ણનગરના પીઆઈ વી.આર.ચૌધરીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આમ કાયદા ના રક્ષક જ જ્યારે તોડ, પાણી કરી ગુનેગારો સાથે બેસી જાય ત્યારે કાયદા અને રક્ષણ મામલે સવાલો ઉઠે છે જે અંગે જનતા માં વિશ્વાસ ઉભો કરવા એકશન લેવામાં આવ્યા છે.
