યશસ્વી જાયસ્વાલ શૂન્ય રણે આઉટ: ટેસ્ટ સિરીઝ પહેલાં ખરાબ ફોર્મે વધારી ટીમ ઈન્ડિયાની ચિંતા

3 Min Read

યશસ્વી જયસ્વાલ ખાતું ખોલવામાં નિષ્ફળ: ટેસ્ટ શ્રેણી પહેલાં ઓપનરનું ખરાબ ફોર્મ ટીમ ઈન્ડિયા માટે ચિંતાનો વિષય

શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણીની શરૂઆત પહેલાં જ ભારતીય ક્રિકેટ ટીમ માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાના યુવા અને આક્રમક ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલની શ્રીલંકા પ્રવાસ પર અત્યંત ખરાબ શરૂઆત થઈ છે. શ્રીલંકા ક્રિકેટ ઈલેવન સામે કોલંબો ખાતે રમાઈ રહેલી ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચની પ્રથમ ઇનિંગમાં જયસ્વાલ ખાતું ખોલવામાં નિષ્ફળ રહ્યો હતો અને શૂન્ય રને આઉટ થઈને પેવેલિયન ભેગો થયો હતો.

ભારત અને શ્રીલંકા વચ્ચે ૧૫ ઓગસ્ટથી બે મેચોની ટેસ્ટ શ્રેણીની શરૂઆત થવા જઈ રહી છે. ટેસ્ટ શ્રેણી શરૂ થવામાં ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઓપનરનું આ પ્રકારે સસ્તામાં આઉટ થવું ભારતીય ટીમ મેનેજમેન્ટ માટે ચિંતાનો વિષય બન્યું છે.

- Advertisement -

jayesh.jpg

માત્ર બે બોલમાં શૂન્ય રને આઉટ, ડાબા હાથના બોલરો સામેની નબળાઈ ફરી ખુલ્લી પડી

કોલંબોમાં રમાઈ રહેલી આ વોર્મ-અપ મેચમાં જયસ્વાલ પાસેથી એક મોટી ઇનિંગની અપેક્ષા રાખવામાં આવી રહી હતી, પરંતુ તે માત્ર બે બોલનો સામનો કરીને શૂન્ય રને આઉટ થઈ ગયો હતો. નોંધનીય બાબત એ છે કે તેને ફરી એકવાર ડાબા હાથના ફાસ્ટ બોલરે આઉટ કર્યો હતો. છેલ્લા કેટલાક સમયથી ડાબા હાથના બોલરો સામે જયસ્વાલ સંઘર્ષ કરતો જોવા મળ્યો છે અને આ નબળાઈ તેને વારંવાર નડી રહી છે.

- Advertisement -

રેડ-બોલ ક્રિકેટમાં જયસ્વાલનો તાજેતરનો સંઘર્ષ

રેડ-બોલ (ટેસ્ટ) ક્રિકેટમાં યશસ્વી જયસ્વાલના તાજેતરના આંકડા તેના ઘટી રહેલા ફોર્મ તરફ ઈશારો કરે છે. પોતાની છેલ્લી પાંચ ટેસ્ટ ઇનિંગ્સમાં તે માત્ર એક જ અડધી સદી ફટકારી શક્યો છે. જો શ્રીલંકા ક્રિકેટ ઈલેવન સામેની આ પ્રેક્ટિસ મેચની ઇનિંગ્સને પણ ઉમેરવામાં આવે તો, તે તેની છેલ્લી છ ઇનિંગ્સમાં બે વાર શૂન્ય (ડક) પર આઉટ થયો છે.

તેની છેલ્લી છ ઇનિંગ્સના સ્કોર પર નજર કરીએ તો દક્ષિણ આફ્રિકા સામે તેણે ૦, ૧૨, ૧૩ અને ૫૮ રન બનાવ્યા હતા. આ પછી અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ મેચમાં પણ તે માત્ર ૨૪ રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. હવે શ્રીલંકા ઈલેવન સામે પણ તે ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ જતાં તેનું ખરાબ ફોર્મ ચર્ચાનો વિષય બન્યું છે.

jayesh1.jpg

- Advertisement -

અફઘાનિસ્તાન સામે પણ મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો

આગામી ટેસ્ટ શ્રેણીમાં કેએલ રાહુલ સાથે મળીને ટીમને મજબૂત શરૂઆત આપવાની મોટી જવાબદારી યશસ્વી જયસ્વાલના ખભા પર છે. જોકે, તાજેતરમાં અફઘાનિસ્તાન સામે રમાયેલી એકમાત્ર ટેસ્ટમાં પણ તે કોઈ મોટી ઇનિંગ રમી શક્યો નહોતો અને ૨૪ રનના વ્યક્તિગત સ્કોર પર વિકેટ ગુમાવી બેઠો હતો.

જોકે, ૨૦૨૫ના વર્ષમાં જયસ્વાલનું એકંદર પ્રદર્શન ઘણું પ્રભાવશાળી રહ્યું હતું. તેણે ૧૦ મેચોની ૧૯ ઇનિંગ્સમાં ૭૪૫ રન બનાવ્યા હતા, જેમાં ૩ સદી અને ૩ અડધી સદીનો સમાવેશ થાય છે. આ જ કારણસર ચાહકો અને ટીમ મેનેજમેન્ટને આશા છે કે શ્રીલંકા સામેની મુખ્ય ટેસ્ટ શ્રેણી શરૂ થતાં જ જયસ્વાલ પોતાના જૂના ફોર્મમાં વાપસી કરશે.

Share This Article