ગુજરાતી અભિનેતા મનોજ જોશીને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરાશે મનોજ જોષી ઢોલીવુડ અને બોલીવુડ એમ બંને જગ્યાએ ચરિત્ર અભિનેતા તરીકે નામના મેળવી છે.
ગુજરાતી કલાકાર મનોજ જોશીનો જન્મ ત્રીજી સપ્ટેમ્બર,1965ના રોજ હિંમતનગરના આડપોદરા ગામમાં થયો હતો. ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન જગતના આ જાણીતા કલાકારની પ્રતિભાથી ભાગ્યેજ કોઈ ગુજરાતી કે ફિલ્મ રસિક અજાણ હશે. મનોજ જોશીને મળનારા આ સન્માનથી ગુજરાતી-મરાઠી રંગભૂમિ અને ફિલ્મ ક્ષેત્રના કલાકારો ભારે આનંદની લાગણી અનુભવી રહ્યા છે.
જ્હોન મથાઈની ફિલ્મ સરફરોશથી 1999માં ફિલ્મ ક્ષેત્રમાં પદાર્પણ કરનારા મનોજ જોશીના અભિનયને રંગભૂમિએ ખૂબ વખાણી છે. તેઅો સ્ટેજ પર પોતાના અભિનય પાથરવામાં માહિર છે. તેમની અભિનય ક્ષમતા પર કોઈ સવાલ ન ઉઠાવી શકાય.
હંગામા, હલચલ, ધૂમ, ફિર હેરા ફેરી, ચૂપ ચૂપ કે, ભાગમ ભાગ, ભૂલભૂલૈયા,બિલ્લુ બાર્બર જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. 60 થી વધુ બોલિવૂડની ફિલ્મો ઉપરાંત તેમણે ચાણક્ય, એક મહેલ હો સપનો કા, મરાઠી શ્રેણીઓ- રાઉ, મુરા રાસ્કા માઇ લા અને સંગદિલ, સૌતન કી સહેલી, ખીચડી જેવી સંખ્યાબંધ ટેલિવિઝન સિરીઝમાં પણ અભિનય કર્યો છે.
તમામ ગુજરાતીઓ માટે તેમને પદ્મશ્રી એવોર્ડ મળશે તેના પર ગર્વ છે.