પંજાબ નેશનલ બેંક (પીએનબી) કૌભાંડ કેસમાં મુંબઈની એક સ્પેશિયલ કોર્ટે શનિવારે હીરા વેપારી નીરવ મોદી અને મેહુલ ચોકસી સામે બિનજામીનપાત્ર વોરંટ કાઢ્યું હતું. સ્પેશિયલ પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ એક્ટ (PMLA) કોર્ટ દ્વારા મુખ્ય આરોપી નીરવ અને તેના સંબંધીઓ તથા ગીતાંજલિ જેમ્સના માલિક મેહુલ ચોકસી વિરુદ્ધ વોરન્ટ્સ કાઢ્યાં છે.
બીજી તરફ નીરવ મોદીના વકીલ વિજય અગ્રવાલે કહ્યું છે કે, તે હાઈ કોર્ટમાં આ બિનજામીનપાત્ર વૉરન્ટને પડકાર ફેંકશે. તેમણે કહ્યું છે કે, ‘અમે નીરવ મોદી તરફથી આ આદેશને હાઈ કોર્ટમાં પડકારવાનું વિચાર કરી રહ્યા છીએ. જોકે નિર્ણય વાંચ્યા બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે. અમને ED દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની કૉપી પણ આપવામાં આવી નથી.’
અન્ય એક ઘટનાક્રમ અંતર્ગત CBIએ છ આરોપીઓને સ્પેશિયલ સીબીઆઈ કોર્ટ સમક્ષ રજૂ કર્યા છે. એજન્સીએ ગોકુલનાથ શેટ્ટી માટે પોલીસ કસ્ટડી અને અન્ય પાંચ આરોપી માટે જ્યુડિશિયલ કસ્ટડી માગી છે. આ પહેલાં 28 ફેબ્રુઆરીએ CBIએ પંજાબ નેશનલ બેંકના ઇન્ટરનલ ચીફ ઑડિટરની ધરપકડ કરી હતી. એવું કહેવાય છે કે, ધરપકડ કરાયેલા ઑડિટર એમ. કે. શર્મા જ પીએનબીની બ્રેડી હાઉસ બ્રાન્ચમાં ઑડિટ માટે કથિત રીતે જવાબદાર હતા.
આ પહેલાં CBIએ આ કેસમાં PNBના પાંચ અધિકારીઓની ધરપકડ કરી હતી, જેમાં એક જનરલ મેનેજર રેન્કના અધિકારી અને PNBના ભૂતપૂર્વ ડેપ્યુટી મેનેજર ગોકુલનાથ શેટ્ટી સામેલ હતા. આ સિવાય એજન્સીએ નીરવ મોદી અને ચોકસીની કંપનીઓના અધિકારીઓની પણ ધરપકડ કરી છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.