કપરાડા તાલુકાની ગુજરાત વિદ્યાપીઠ ગ્રામ્ય સેવા કેન્દ્ર અંભેટી આશ્રમ શાળા ખાતે તારીખ ૨૪ અને ૨૫ માર્ચ ના રોજ સંસ્કાર ગુ્પ વલસાડ દ્નારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આશ્રમના પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમના ૩૧૦ જેટલાં વિદ્યાર્થીઓને સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત શોટૅ ફિલ્મ પ્રોજેક્ટર પર મોટીવેશનલ મુવી અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તથા કાર્યક્રમની વિશેષતા હતી કે ૮૦ જેટલી વિદ્યાર્થીનીઓને સેનેટરી પેડ્સનુ વિતરણ, તે અંગેની સમજ આપવા માટે સંસ્કાર ગુ્પ દ્નારા ડોક્ટર ને આમંત્રણ આપવામાં આવ્યુ હતુ અને શરીરની સ્વચ્છતા અંગે જાગૃત કરાયા હતા .આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ડોક્ટર બિનીતા પટેલ અને ડોક્ટર ચિકીતા પટેલ કે જેઅો વલસાડમાં હોમિયોપેથી કિ્લનિક ચલાવે છે તેઅોઅે હાજરી આપી હતી.
ડોક્ટર બિનીતા પટેલ અે વિદ્યાર્થીનીઓની સમસ્યાઓ અંગે ચર્ચા કરી હતી.સંસ્કાર ગુ્પનુ આ કાયૅ કરવા પાછળનો હેતુ અેટલોજ હતો કે આશ્રમના વિદ્યાર્થીઓને સ્વચ્છતા અંગે જાગૃતતા અાવે અને સાંસ્કૃતિક કાર્યક્રમ દ્નારા વિદ્યાર્થીઓને મનોરંજન પુરું પાડવામાં આવે.સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઝુમ્બા ડાન્સ ,સીગીંગ અને ડ્રામા નુ આયોજન કરવામાં આવ્યુ હતું .સંસ્કાર ગુ્પ ના સભ્યો દ્નારા કેમ્પસ સફાઈ કરવામાં આવી હતી.વિદ્યાર્થીઓને બોલપેન વિતરણ કરવામાં આવ્યુ હતું .આ કાર્યક્રમમાં સહકાર આપવા બદલ ડોક્ટર બિનીતા પટેલ અને ડોક્ટર ચિકીતા પટેલ નો અાભાર વ્યક્ત કરવામાં આવે છે તથા શાળા સંયોજક ડોક્ટર જયંતિભાઈ અને શાળાના પ્રિન્સિપાલ રમેશભાઈ પટેલ તથા શાળા પરિવારનો સહકાર મળ્યો હતો. આ કાર્યક્રમમાં સંસ્કાર ગ્રુપ વલસાડ ના કાર્યકરો એ ભારે જહેમત ઉઠાવી હતી. અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.