સિરમૌર જિલ્લાના સનૌરા પાસે એક ખાનગી બસ સોલનના પુલહલ કોડપરથી ઉંડી ખીણમાં ખાબકી ગઈ હતી. આ ઘટનામાં 8 લોકોના મોત નિપજ્યા છે. એક બાળકનું હોસ્પિટલ લઈ જતી વખતે જ મોત નિપજ્યુ હતુ. ઘટના લગભગ સવારના 8.45 વાગ્યાની છે. જાણકારી પ્રમાણે લગભગ 15 જેટલા ઘાયલ લોકોને સોલનની સ્થાનિક હોસ્પિટમમાં ભરતી કરવામાં આવ્યા છે.બસમાં 25 થી 30 જેટલા લોકો સવાર હતા. બસ મનવાથી ધમ્મલા-સોલન સુધી જઈ રહી હતી. એસડીએમ રાજગઢ નરેશ વર્મા પોલીસદળ સાથે ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા અને બચાવકાર્ય શરૂ કર્યુ હતુ. ઘાયલોને જિલ્લા હોસ્પિટલ સોલન લઈ જતી વખતે એક બાળકે અને હોસ્પિટલ પહોંચ્યા બાદ એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. અત્યાર સુધીમાં આ ઘટનામાં 8 લોકોએ જીવ ગુમાવ્યો છે. કેટલાક દિવસ પહેલા બુદ્ધ પુર્ણિમાંના દિવસે બાબા બડભાદ સિંહ ગુરૂદ્વારા મૈડીમાં માથુ ટેકવીને પરત ફરી રહેલા પંજાબના શ્રદ્ધાળુઓથી ભરેલી ક્વાલિસ 50 ફુટ ઉંડી ખીણમાં પડી હતી. આ ઘટનામાં પણ 4 મહિલાઓ સમેત 6 લોકોના ઘટના સ્થળ પર જ મોત નિપજ્યા હતા. જ્યારે 9 ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટના હિમાચલના ઉના જિલ્લાના ઉપમંડલ અંબના નૈહરિયામાં બની હતી.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.