લોકસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. બીજા તબક્કામાં ઘણા બધા નેતાઓની પ્રતિષ્ઠા દાવ પર લાગેલી છે. જેમાં એક પૂર્વ વડાપ્રધાન સહિત બે પૂર્વ મુખ્યમંત્રીઓનો સમાવેશ થાય છે. આજના મતદાનમાં પૂર્વ વડાપ્રધાન એચ ડી દેવગૌડા, દ્રમુક નેતા દયાનિધિ મારન, એ રાજા, કનિમોઈ, મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણ, જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના ફારુક અબ્દુલ્લા, ઉત્તર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ રાજ બબ્બર, ભાજપા નેતા હેમા માલિની, બસપાના દાનિશ અલી જેવા દિગ્ગજ નેતાઓના ભાવિ દાવ પર લાગ્યા છે.
બીજા તબક્કાના મતદાનમાં 19 માર્ચે જાહેર કરેલ સૂચના અનુસાર 13 રાજ્યોની 97 બેઠકો પર મતદાન થવાનું હતું, પરંતુ તાજેતરમાં ચૂંટણી પંચ દ્વારા ત્રિપુરાની પૂર્વી ત્રિપુરા અને તમિલનાડુની વેલ્લોર બેઠક પર થનારા મતદાન સ્થગિત કરવાના કારણે ગુરૂવારે 12 રાજ્યોની કુલ 95 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે.