રાજદ્રોહ કેસમાં જામીન પર છૂટ્યા બાદ પોલીસ સાથે અભદ્ર વર્તન કરતાં અલ્પેશને ફરી લાજપોર જેલમાં મોકલી અપાયો છે ત્યારે આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.કોર્ટ પરિસરમાં અલ્પેશ કથિરીયાએ હાર્દિક પરના હુમલા અંગે કહ્યું હતું કે અંદરો અંદરના જૂથવાદના કારણે હુમલો થઈ શક્યો હોય તેવું નિવેદન આપવાની સાથે તક્ષશિલા અગ્નિકાંડ મુદ્દે અલ્પેશે ઉમેર્યું કે, પોલીસ તપાસ કરશે. કોર્ટમાંથી આગામી સુનાવણી 2 જુલાઈ પર રાખતા અલ્પેશને ફરી લાજપોર જેલમાં મોકલી દેવાયો હતો.
