દિવાળીના તહેવારની રજાઓમાં ફરવા નીકળેલા પરિવારને નડ્યો ગોઝારો અકસ્માત પરિવારના મોભી અને તેમનો દીકરો આગળના બેસેલા હોવાથી કારમાંથી બહાર નીકળી ગયા.કારની પાછળનો દરવાજો ન ખૂલતાં પાણી ભરાતાં પાછળ બેસેલી મહિલાઓ અને બાળકોનાં મોત થયા હતા.
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના કણકોટ ગામ નજીક રવિવારની રાત્રે દિવાળીની રજાઓમાં ફરવા નીકળેલો પરિવારની ગાડીને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો, જેમાં આ ઈકો કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર કુવામાં ડૂબી હતી.
આ ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારની બે મહિલા અને બે બાળકો સહિત ચાર સભ્યોનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત થયાં હતાં. એક જ પરિવારના ચાર સભ્યોનાં મોતએક ક્ષણમાં જ વિખરાઈ ગયો આ ઘટનાની જાણ થતાં પોલીસ સ્ટાફે તે સ્થળે દોડી જઈને અકસ્માત અંગે તપાસ હાથ ધરી હતી.
આ ગમખ્વાર અકસ્માતની બઘી જ વિગતો અનુસાર, અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા રતિભાઈ ભવાનભાઈ પ્રજાપતિ અને તેમનો પરિવાર દિવાળીની રજાઓમાં સોમનાથ-દ્વારકા બાજુ ફરવા માટે પોતાના ઘરેથી ઇકો ગાડી લઈનેનીકળ્યા હતા. એ પછી ગઈકાલે રવિવારે તેઓ વાંકાનેર થઇ મકનસર ગામે સંબંધીના ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમની ઈકો કાર ચાલકે વાંકાનેર તાલુકાના કણકોટ ગામ નજીક કોઈ કારણોસર સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર રોડની સાઈડબાજુ ઊતરી ગઈ અને રોડની બાજુમાં આવેલા પાણી ભરેલા કૂવાની અંદર ડૂબી ગઈ હતી
આ અકસ્માતમાં કારચાલક, પરિવારના મોભી રતિભાઈ તેમજ તેમનો દીકરો દિનેશભાઈ પ્રજાપતિ આગળના આગળ બેઠેલા હોવાથી તેઓ કોઈ રીતે કારમાંથી બહાર નીકળી ગયા હતા, પરંતુ કારની પાછળનો દરવાજો ફિટ થઈ જતા પાણી ભરાતાં કારમાં બેઠેલા રતિભાઈનાં પત્ની મંજુલાબેન પ્રજાપતિ, પુત્રવધૂ મીનાબેન દિનેશભાઈ પ્રજાપતિ અને બે પૌત્ર આદિત્ય અને ઓમના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા.
વાંકાનેર તાલુકાના કણકોટ ગામ પાસે રાજકોટ જવાના ખોરાણાવાળા શોર્ટ રસ્તા પર ઇકો કાર ફુલ સ્પીડમાં આવતી હતી અને કાબૂ ગુમાવતાં રોડથી આશરે 60 ફૂટ દૂર આવેલા એક કૂવામાં ખાબકી હતી, જેનો ડ્રાઇવર કૂદકો મારીને નીકળી ગયો હતો, જ્યારે ગાડીમાં બે પુરુષ પણ બચી ગયા હતા. તેઓ કૂવામાં આવેલા કડ પર ચડી ગયા હતા અનેસ્થનિકોએ તેમને બહાર કાઢ્યા હતા. જ્યારે બે બાળક અને બે મહિલા સાથે કાર કૂવામાં પડી હતી. કૂવામાં પાણી વધારે હોવાથી કાર પાણીમાં કૂવામાં પાણી વધારે હોવાથી કાર ડૂબી ગઈ
આ અકસ્માતમાં એક જ પરિવારના ચાર-ચાર સભ્યોનાં મોત થતાં શોક વ્યાપી ગયો. ઘટના બાદ ઈકો કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. જેથી રતિભાઈ પ્રજાપતિએ ગફલતભરી રીતે ગાડી ચલાવી આ અકસ્માત થનાર ઈકો કારના ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી કારચાલક વિરુદ્ધ અકસ્માતે મોત અંગેવધુ તપાસ હાથ ધરી છે