અમદાવાદ, 8 મે 2020
અમદાવાદ શહેરના ચાર ડોક્ટરો covid19 ડેડીકેટેડ હોસ્પિટલમાં સારવારમાં જોડાઈને ચેપી દર્દીઓની સારવાર સુશ્રુષા શરૂ કરી દીધી છે. નામાંકિત ડોક્ટર તુષાર પટેલ, ડોક્ટર જીગર મહેતા, ડોક્ટર ગોપાલ રાવલ, અને ડોક્ટર અમરીશ સિવિલ હોસ્પિટલ પરિસરમાં આવેલી 1200 બેડની covid ડેડીકેટેડ હોસ્પિટલમાં દર્દીઓની સેવા સારવારમાં સરકારની અપીલથી ચાર તબીબોએ રોજ અહીં ત્રણ થી ચાર કલાક સમય આપે છે.
સિવિલ હોસ્પિટલના ઈન્ચાર્જ સુપરિટેન્ડન્ટ ડો.જયપ્રકાશ મોદીએ જણાવ્યું હતું કે આ ચાર તબીબો ભૂતકાળમાં અહીં જ ભણીને બહાર નીકળ્યા છે.
228 વેન્ટિલેટર સાથે અહીં અદ્યતન તબીબી સંસાધનો ઉપલબ્ધ છે ત્યારે ખાનગી નિષ્ણાત તબીબોની સેવા ફળદાયી પરિણામ લાવશે.
ઇન્ડિયન સોસાયટી ઓફ ક્રિટીકલ કેર ના અમે સભ્યો છીએ આજે કોવિડ હોસ્પિટલમાં જે દર્દીઓ વેન્ટિલેટર કે બાયપેક પર છે એવા દર્દીઓ સાથે સીધી વાત કરી તેમની માહિતી મેળવી છે એટલું જ નહીં તબીબો પાસેથી તેમની સારવારની જાણકારી મેળવી છે. જો કે અહીં અપાતી સારવાર શ્રેષ્ઠ જ છે પરંતુ દર્દીઓની મોટી સંખ્યા ધ્યાને લઈને રાજ્ય સરકારની અપીલના પગલે અમે પણ આ સેવાયજ્ઞ માં જોડાવાનો નિર્ધાર કર્યો છે. આ દર્દીઓની 24 કલાક ખડેપગે સેવા કરતા હોસ્પિટલના તબીબોના અભિગમને તેમણે બિરદાવ્યો હતો.
મુલાકાત લઇને બેઝલાઇન સ્ટ્રક્ચર બનાવ્યું છે. કોરોના સામેના યુદ્ધને જીતવા ટીમ વર્કથી કામ કરે છે. આટલા બધા દર્દીઓની એક સાથે સંભાળ લેવા નું કામ કપરું હોઇ સેવામાં સ્વેચ્છાએ જોડાવાનો નિર્ણય કર્યો છે.