અમદાવાદમાં એસ્પાયર-2 નામના બિલ્ડિંગમાં 7મા માળેથી લિફ્ટ તૂટી, સાતના મોત
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી નજીક બંધાઈ રહેલ નવી એસ્પાયર નામના બિલ્ડિંગમાં ચાલુ બાંધકામ દરમિયાન લિફ્ટ તૂટતાં 7 શ્રમિકનાં મોત થયા છે. એસ્પાયર-2 નામના બિલ્ડિંગમાં બાંધકામ દરમિયાન સાતમા માળેથી લિફ્ટ તૂટતાં 7 મજૂરનાં મોત થયાં હોવાના અહેવાલ છે.
આ દુર્ઘટનામાં મૃતકોમાં સંજયભાઈ બાબુભાઇ નાયક ,જગદીશભાઈ રમેશભાઈ નાયક,અશ્વિનભાઈ સોમાભાઈ નાયક ,મુકેશ ભરતભાઈ નાયક ,મુકેશભાઇ ભરતભાઇ નાયક,
રાજમલ સુરેશભાઇ ખરાડી,અને
પંકજભાઇ શંકરભાઇ ખરાડીનો સમાવેશ થાય છે.
આ ઘટનાને પગલે ભારે અરેરાટી ફેલાઈ જવા પામી છે.