અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ થયો છે, સાબરમતી નદીના ભૂદરના આરે ગંગાપૂજન કરવામાં આવનાર છે, 108 કળશમાં જળ ભરીને મંદિરે લવાશે અને શોડષોપચાર પૂજા વિધી બાદ ભગવાનનો જળાભિષેક કરવામાં આવશે અને ત્યારબાદ ભગવાનના ગજવેશના દર્શન થશે.
11 વાગ્યે ભગવાન જગન્નાથજીને ગજવેશથી શણગારી મોસાળ મોકલવામાં આવશે.
રાજયમંત્રી હર્ષ સંઘવી, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મેયર કિરીટ પરમાર, ભાજપ શહેર પ્રમુખ અમિત શાહ જળયાત્રામાં હાજર રહ્યા છે.
મંદિરેથી ભગવાન સાંજે 4 વાગ્યે સરસપુર ખાતે આવેલા રણછોડરાય મંદિરમાં ભગવાન પોતાના મોસાળમાં પહોંચી જશે
ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા યોજાવાની છે. રથયાત્રા પહેલા મહત્વપૂર્ણ ઉત્સવ વિધિ ”જળયાત્રા’ આજે જમાલપુર જગન્નાથજી મંદિરેથી નીકળી સાબરમતી નદીના સોમનાથ ભુદરના આરે ગંગા પૂજન કરવા વરઘોડા રુપે પહોચશે. સાબરમતી નદીના ભુદરના આરે ગંગાપૂજન કર્યા પછી ત્યાંથી 108 કળશમાં જળ ભરીને લાવવામાં આવશે.