અમદાવાદમાં કોરોના ની હાડમારી હજુ પણ યથાવત છે અને રોજ નવા કેસો નોંધાઇ રહયા છે તેવે સમયે સુરત સહિત દક્ષિણ ગુજરાત માં કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સંક્રમણ આગળ વધતું રોકવા અમદાવાદ માં ટેસ્ટિંગ વધારી દેવામાં આવ્યું છે અમદાવાદ માં ગીતામંદિર, રાણીપ અને કૃષ્ણનગર એસટી બસ મથકે આવતા પેસેન્જરોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. મ્યુનિ. હેલ્થ વિભાગની ટીમોએ 1 હજારથી વધુ પેસેન્જરોનું ચેકિંગ કર્યું હતું જેમાંથી 22 પેસેન્જરો કોરોના પોઝિટિવ હોવાનું જણાયું હતું.
કોરોના પોઝિટિવ આવેલા મોટાભાગના પેસેન્જરો વડોદરા, ભરૂચ સહિત દક્ષિણ ગુજરાત તરફથી આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. પોઝિટિવ આવેલા આ તમામ દર્દીઓમાંથી શહેરના લોકોને તેમના ઘરે હોમ ક્વોરન્ટીન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આમ એસટી માર્ગે આવતા બહાર ન દર્દીઓ સંક્રમણ વધારી રહ્યા હોવાનું જણાય રહ્યું છે.
Tuesday, May 14