અમદાવાદ શહેરમાં કોરોના નું સંક્રમણ વધ્યું છે અને અગાઉ જે માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન હતા તેમાં વધારો કરાયો છે. શહેરમાં ગોતા, બોડકદેવ, ઘાટલોડિયા, ચાંદલોડિયા, જોધપુર, નવરંગપુરા, નારણપુરા, મણિનગર, ઘોડાસર, ખોખરા, વટવા અને નિકોલના વધુ 19 વિસ્તારોને નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન વિસ્તાર ઉમેરાયા છે, જ્યારે ગોતા, બોડકદેવ, સરદારનગર, સરખેજ, જોધપુર, નારણપુરા, નવરંગપુરા, પાલડી, વાસણા, અને મણિનગરના 24 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનને દૂર કરાયા છે ત્યારે 276 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યાં છે.
નવા માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારો સહિત શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આજે તા. 2 એપ્રિલ થી સઘન અને ઘનિષ્ઠ ડોર ટુ ડોર સર્વેલન્સ અને સ્કિનિંગની કામગીરી હાથ ધરાશે. સર્વે દરમિયાન ધ્યાને આવેલા કોરોનાના લક્ષણ ધરાવતા શંકાસ્પદ વ્યક્તિઓના સેમ્પલ લેવા તંત્ર કામે લાગ્યુ છે.