આખી દુનિયા ના બધા ખૂણા ફરે,પણ સાચો રાજા એ જે પોતાની પ્રજા ને ના ભૂલે
આજે કંઈક એવી જ વાત જોઈ આખા દેશ એ. એમાં સૌથી ખાસ ગુજરાતીઓ એ, એક ગુજરાત એ ભારત ને ગણું બધું આપ્યું અને હમણાં એક રાજા પણ આપ્યો બધા ને થતું હશે રાજા શબ્દ જે હું વાપરૃ છું એ યોગ્ય છે? રાજા ના સમય માં લોકશાહી ના હતી અને અત્યારે લોકશાહી છે? આ વાત તો કટાક્ષ કરવાની હતી પણ સમજવાની જરૂર આપણને છે.વાત જાણે એમ જ છે કે ગુજરાત એ આપેલા રાજા આજે 2 દિવસ માટે ગુજરાત પાછા આવ્યા છે.એમનું સમય પત્રક મેં જોયું સવારે એરપોર્ટ આવ્યા ત્યાંથી ડાયરેક્ટ ગાંધી નગર કેશુબાપા ના ઘરે ત્યાંથી કનોડિયા ફેમિલી ના ઘરે સાહેબ આ બધું જરૂરી છે તો હા હું પણ કહીશ કે હા જરૂરી છે.પણ સવાલ એવો હોવો જોઈએ કે જરૂરી કોની માટે છે? મારા માટે ? તમારા માટે? પ્રજા માટે?કે પછી 2022 ના મુદ્દા માટે સાહેબ અત્યારે સી પ્લેન નું લોકાર્પણ છે.બીજા પણ ઘણા લોકાર્પણ થશે થવા જ જોઈએ હજી પણ વધારે સાહેબ માણસ દુખી એટલે છે કે માણસ જરૂરિયાત કરતા વધારે મોજશોખ ને માન આપે છે.હવે તમે બધા ને એમ થશે કે હું વિરૃદ્ધ બોલું છુ કહું છું કે સી પ્લેન ની જરૂર નથી સાહેબ જરૂર છે કે નહિ એ તો તમને ખબર છે જ અને જેને નથી એને પડી જશે જેમ અમદાવાદ વાળા ને મેટ્રો ની પડી ગઈ,બી.આર. ટી.એસ. ની પડી ગઈ.
અને મુદ્દા પર આવતા કહીશ એમના સમય પત્રક માં એક જનતા મિલન હોત તો કેવું લાગત
અત્યારે આકાશ માં ઉડવાની નહિ પણ જમીન પણ જીવવાની જરૂર છે.સારી અને મોટી વાત કરવાથી સારુ લાગે ,પણ પેટ ભરવા માટે અનાજ જોઈએ વાતો નહિ.
“સ્પષ્ટ સમાધાન” જય હિન્દ