શહેરના ખાડિયાના કોર્પોરેટર મયુર દવેનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા ખળભળાટ મચવા પામ્યો છે. . તેમને સારવાર અર્થે એસવીપી હોસ્પિટલમાં દાખલ કર્યા છે. અત્યારસુધીમાં 20 જેટલાં કોર્પોરેટરો કોરોનાના ઝપટમાં આવ્યા હતા. જેમાં બે કોર્પોરેટર બદ્દરુદ્દીન શેખ તથા ગયાપ્રસાદનું અવસાન થયું છે. આ ઉપરાંત શહેરના ચાર ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, જગદીશ પંચાલ, કિશોર ચૈહાણ તથા બલરામ થાવાણીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 1441 ડ્રાયવરો, વેસ્ટ કલેકટર્સ અને સફાઇ કામદારોમાં 5 કર્મચારીઓ પોઝીટીવ આવ્યા હતા.
શહેરમાં ચાલી રહેલી કોરોના(Corona) મહામારી સામે લડવા માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ટીમે છેલ્લાં કેટલાંક દિવસથી સુપર સ્પ્રેડર્સ સહિત ધાર્મિક સંસ્થાનો તેમ જ આજે ડ્રાયવરો, વેસ્ટ કલેકટર્સ તથા સફાઇ કામદારોના કોરોના રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. 1441 જણાંના કરાયેલા રિપોર્ટમાં 5 કર્મચારીઓના રિપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. આ પાંચેય કર્મચારીઓ વટવા તથા આઠ વોર્ડના કરાયેલા ટેસ્ટમાં કોરોના (Corona)પોઝીટીવ હોવાનું માલૂમ પડયું હતું. આ પાંચેય કર્મચારીઓને ચેપીરોગ હોસ્પિટલ ખાતે દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી છે. જયારે તેમના પરિવારજનોના ટેસ્ટીંગ અને હોમ કવોરન્ટાઇનની કાર્યવાહી કરવામાં આવી છે.