અમદાવાદના પૂર્વ વિસ્તાર અને ટ્રાફિકથી ગીચોગીચ કહી શક્યા તેવા હાટકેશ્વર-ખોખરા માર્ગ પર યુવકનું AMTS બસની અડફેટે મોત નીપજ્યું હતું. શ્રી છત્રપતિ શિવાજી ઓવરબિજના શનિ મંદિર નજીક ઘટેલી આ ઘટનામાં AMTS ના રૂટ 160 ની બસે યુવકને અડફેટે ચડાવ્યો હતો. દુર્ઘટના બાદ ઈજા પામેલા યુવકને નજીકની એલ જી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો . બસની ભારે ટક્કરથી ગંભીર ઈજા પામેલા યુવકનું ટૂંકી સારવાર દરમિયાન જ મોત નીપજતા મામલો પોલીસ મથકે પહોચ્યો હતો. તો AMTS બસ ચાલક અકસ્માત બાદ ખુદ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
અમદાવાદના પૂર્વ વિસ્તાર અને ટ્રાફિકથી ગીચોગીચ કહી શક્યા તેવા હાટકેશ્વર-ખોખરા માર્ગ પર યુવકનું AMTS બસની અડફેટે મોત નીપજ્યું હતું. દુર્ઘટના બાદ ઈજા પામેલા યુવકને નજીકની એલ જી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો . બસની ભારે ટક્કરથી ગંભીર ઈજા પામેલા યુવકનું ટૂંકી સારવાર દરમિયાન જ મોત નીપજતા મામલો પોલીસ મથકે પહોચ્યો હતો. તો AMTS બસ ચાલક અકસ્માત બાદ ખુદ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.