સીલ કરાયેલા પાનના ગલ્લાંઓ ખોલવા માટેની ઉઠેલી માંગના પગલે આજથી કોર્પોરેશને સીલ મારેલા પાનના ગલ્લાંઓ ખોલવાનું શરૂ કર્યું હતું. .કોવિડ 19 અંતર્ગત અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ટીમે અમદાવાદ શહેરમાં 500થી વધુ પાનના ગલ્લાંને સીલ મારીને સપાટો બોલાવી દીધો હતો. જેના પગલે ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. ત્યાં સુધી કે ડરના માર્યા પાનના ગલ્લાંવાળાઓએ સ્વયંભૂ ગલ્લાં બંધ કરી દેતાં ચોતરફ હાહાકાર મચી જવા પામ્યો હતો. પરિણામ સ્વરુપે કોર્પોરેશને સીલ મારવાની કામગીરી બંધ કરી દીધી હતી.
પ્રત્યેક પાનના ગલ્લાના સીલ ખોલવા બદલ 5 હજાર રૂપિયા દંડ વસૂલવાનું નક્કી કર્યું હતું. પ્રથમ તબક્કામાં આજે 300 પાનના ગલ્લાંઓ ખોલીને 13,95,000ની રકમ રિકવરી કરવામાં આવી હતી. બાકીના 200થી વધુ પાનના ગલ્લાં આવતીકાલે બુધવારે ખોલવામાં આવે તેવી શક્યતા છે.