અમેરિકામાં ગુજરાતીઓ પર હુમલા ચાલુ છે. ગુરુવારે ફરી એકવાર અમેરિકામાં એક ગુજરાતી યુગલની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ પહેલા પણ ગુજરાતીઓ પર ગોળીબારના બનાવો બન્યા છે. અમેરિકામાં છેલ્લા ઘણા સમયથી ગુજરાતીઓ પર હુમલાની ઘટનાઓ વધી રહી છે. અમેરિકામાં ફરી એકવાર એક ગુજરાતી પર જીવલેણ હુમલો થયો છે. આ હુમલામાં અમેરિકામાં સ્થાયી થયેલા અરવલ્લી મેઘરજના વેપારી દંપતીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ જૂની અદાવતના કારણે હત્યાની આશંકા છે. ત્રણ દિવસ પહેલા ગુજરાતી દંપતીની હત્યા કરવામાં આવી હતી. દંપતી મોટેલના વ્યવસાય સાથે સંકળાયેલું હતું. મૃતકોમાં પતિ રજનીકાંત વલ્લભદાસ સેઠ અને પત્ની નિરીક્ષાબેનનો સમાવેશ થાય છે.
આ પતિ-પત્નીની હત્યાના સમાચાર તેના પરિવારને મળતા જ તે અમેરિકા ચાલ્યો ગયો હતો. આ બનાવ અંગે સ્થાનિક પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. રજનીકાંત એક મહિના પહેલા જ ભારતથી અમેરિકા પરત ફર્યા છે. અગાઉ મોટેલ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો સાથે તકરાર (વિવાદ) થતો હતો. આ હત્યા પાછળ જૂની અદાવત પણ હોવાનું માનવામાં આવે છે. સ્થાનિક લોકોની હેરાનગતિને કારણે રજનીકાંતભાઈ મોટેલ વેચવી પડી હતી. આ બનાવને પગલે તેમના વતન મેઘરજમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
છેલ્લા કેટલાક દિવસોથી અમેરિકામાં ગુજરાતીઓ પર ફાયરિંગની ઘટનાઓ વધી રહી છે. થોડા સમય પહેલા જ અમેરિકામાં એક સત્સંગી ગુજરાતીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અમેરિકામાં સ્થાયી થયેલા કરમસદના વતની પિનલ પટેલની અમેરિકાના એટલાન્ટામાં અશ્વેત લોકોએ ગોળી મારીને હત્યા કરી હતી.