લોકોને કોરોનાની મહામારીના ભરડામાંથી બચાવી શકાય તે હેતુથી વખતોવખત જાણ કરવા છતાં વસ્ત્રાપુર સ્થિત એ વન મોલમાં ગ્રાહકો તથા કર્મચારીઓ માસ્ક વગર તથા સોશિયલ ડિસ્ટન્સીંગનો અમલ ન થવાથી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના આરોગ્ય વિભાગે એ વન મોલને સીલ મારી દેવા માટે નોટીસ ફટકારી છે. જેમાં યોગ્ય પગલાં લેવા જરૂરી સૂચના આપી છે નિયમોનું પાલન કર્યા વગર જો સીલ ખોલવામાં આવશે કે કોઇપણ પ્રકારની વાણિજયિક પ્રવત્તિ મોલમાં થતી જોવા મળશે તો એપેડેમિક એક્ટ મુજબ ફોજદારી ગુનો નોંધવાની ચીમકી આપી છે. રક્ષાબંધનને લઇને મોલમાં ગ્રાહકોની પડાપડી થઇ હતી.
તેમાંય વળી સરકારની ગાઇડલાઇન મુજબ કોઇપણ વાણિજય પ્રવતિ દરમિયાન માલિક, કર્મચારી કે ગ્રાહકો માસ્ક વગર જોવા મળ્યા હતા.અણદાવા સોશીયલ ડિસ્ટન્સીંગ પણ જળવાતું ન હોવાનું ધ્યાન પર આવ્યું હોવાથી મ્યુનિ. કોર્પોરેશનના ઉત્તર પશ્ચિમ ઝોનના આરોગ્ય વિભાગે મોલની પ્રિમાઇસીસ અવરજવર બંધ કરીને મોલને સીલ મારી બંધ કરવા હુક્મ કરવા નોટીસ ફટકારી છે.
કોર્પોરેશને નોટીસમાં જણાવ્યું છે કે, છેલ્લાં થોડાં દિવસોથી એ વન મોલમાં પ્રવેશતા મુલાકાતીઓ દ્રારા મુખ્ય બે શરતો અને નિયમોનું પાલન થતું નહીં હોવાનું ધ્યાન પર આવ્યું છે.