અમદાવાદમાં 6 એપ્રિલ 2020ના રોજ ‘જેડ બૅનકેવેટ હોલ ‘ ખાતે ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિએશન કોન્ટ્રાકટરો દ્વારા ગુજરાત રાજ્યમાં ચાલતા સરકારી કામોમાં વપરાતા માલસામાનમાં થયેલ અસામાન્ય ભાવ વધારો અને કોન્ટ્રાક્ટરોને ચૂકવવા તથા અન્ય પ્રશ્નો અંગે ગુજરાત સરકાર સમક્ષ થયેલ રજુઆતઓને રાજ્ય સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવેલ છે તેથી સરકારનો આભાર વ્યકત કરવા અને તેમનું અભિવાદન કરવા સમારંભ યોજાયો હતો .
ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિએશન પ્રમુખ અરવિંદભાઇ પટેલે જણાવ્યું કે ઉપરોક્ત અમારી ન્યાયીક માંગણી અંગે સરકારે હકારાત્મક અભિગમ રાખીને ગુજરાત સરકાર દ્વારા તેનો સ્વીકાર કરવા બદલ ગુજરાતના કોન્ટ્રાક્ટરો વતી ગુજરાતના કોન્ટ્રાક્ટર એસોસિએશન રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા રાજ્ય સરકારના મંત્રીઓ તથા જુદા જુદા વિભાગના સચિવશ્રીઓ ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિયેશનના તમામ હોદ્દેદારો હૃદય પૂર્વક તેમનો આભાર વ્યક્ત કરવા માટે અભિવાદન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, જે પોતે સિવિલ એન્જિનિયર છે, તેમણે ONGC સાથે પ્રોજેક્ટ શરૂ કર્યો ત્યારે તેમના શરૂઆતના દિવસોનો એક ટુચકો શેર કર્યો હતો. તેમણે કહ્યું, “એક સિવિલ એન્જિનિયર તરીકે હું કોન્ટ્રાક્ટરોની ચિંતાઓને સમજું છું, તેઓ રાજ્યના સૌથી મોટા રોજગારદાતાઓમાંના એક છે. માત્ર કોન્ટ્રાક્ટરો જ નહીં. જો ગુજરાતમાં કોઈને સાચી મદદની જરૂર હોય, તો અમે, ગુજરાત સરકાર, હંમેશા તેમની સાથે છીએ. આ મામલે અમારી સરકારની કાર્યવાહી તેની પુષ્ટિ કરે છે.”
છેલ્લા બે વર્ષથી ડીઝલ સિમેન્ટ સ્ટીલ અને બાંધકામના અન્ય માલસામાનના અસહ્ય ભાવવધારો થયો તે બાબતે ગુજરાત સરકારનું દૂરદર્શી નેતૃત્વ અને રાજ્યના હિતમાં ઐતિહાસિક નિર્ણય લઇને માર્ગ અને મકાન વિભાગ ,સિંચાઈ ,શહેરી વિકાસ ,ગુજરાત સરકાર સહાયિત સંસ્થાઓ, અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ વગેરે વિભાગોના કામોને ટેન્ડરોમાં યોગ્ય ન્યાય અને રાહતો આપીને રાજ્યના કામોને ખોવાઈ જતા અટકાવ્યા છે તે બદલ દૂરદર્શી મહાનુભવોના અભિવાદન સમારંભ યોજાયો હતો .જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સી આર પાટીલ, નાણામંત્રી કનુભાઇ દેસાઇ , માર્ગ અને મકાન વાહન વ્યવહાર નાગરિક ઉડ્ડયન પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી પુણેશભાઇ મોદી, તથા પુરવઠા મંત્રી ઋષિકેશ પટેલ અને ડોક્ટર ભરતભાઇ બોઘરા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે આ મહાનુભવોએ હાજરી આપી હતી.