અમદાવાદ ડીસીપી ક્રાઈમ દિપેન ભદ્રનની જામનગર એસપી તરીકે બદલી કરવામાં આવી છે. પરતું હજી સુધી અમદાવાદ ક્રાઈમના નવા ડીસીપીની નિમણૂક કરી નથી કે પછી હજી સુધી કોઈને ચાર્જ પણ સોંપવામાં આવ્યો નથી.
રાજય સરકારે શનિવારે માોડી સાંજે ત્રણ આઈપીએસ અધિકારીઓના બદલીના હુકમો કર્યા હતા. રાજય સરકારે ત્રણ એસપી રેન્કના અધિકારીઓની બદલી કરી હતી. જેમાં અમદાવાદ ડીસીપી ક્રાઈમ દિપેન ભદ્રનની જામનગર એસપી તરીકે બદલી કરવામાં આવી છે. જામનગર એસપી શ્વેતા શ્રીમાળી મેટરલિટી લીવ પર જવાના હોવાથી તેમની બદલી એસઆરપી ગ્રુપ-17 જામનગરના કમાનડન્ડ તરીકે બદલી કરવામાં આવી છે. જયારે એસઆરપી ગ્રુપ-17ના કમાનડન્ડ કે.એ.નીનામાની એસઆરપી ગ્રુપ-18 કેવડિયા કોલોની તરીકે નીમવામાં આવ્યા છે.
અમદાવાદ શહેરના ડીસીપી ક્રાઈમ દિપેન ભદ્રનને જામનગર જિલ્લાના એસપી બનાવવા પાછળ મોટું કારણ છે. જામનગર જિલ્લાના એસપી શ્વેતા શ્રીમાળી થોડા દિવસોમાં મેટરલિટી લીવ પર જવાના છે. રાજય સરકાર ધારે તો તેમના આઈપીએસ પતિ દેવભૂમિ દ્રારકાના એસપી સુનિલ જોષીને જામનગર જિલ્લાના ડીએસપીનો ચાર્જ આપી શક્યા હોત.