આજ રોજ અમદાવાદમાં બસમાં ચોરી અને લૂંટફાટની ઘટના બનવા પામી હતી. જેમાં અમદાવાદથી પાલનપુર જતી એસ ટી બસને હાઈજેક કરીને લૂંટ ચલાવવામાં આવી હતી, જેમાં 9 લુંટારાઓ ઉનાવાથી હથિયાર સાથે બસમાં ચડ્યા હતા અને લગભગ 1 કરોડ રબપિયાનો મુદ્દામાલ લઈને ફરાર થઈ ગયા હતા.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ લૂટારૂઓએ બસ ડ્રાઈવરને રિવોલ્વર બતાવીને નંદાસણ પાસે બસ ઉભી રખાવી ડિસાથી અમદાવાદ બસમાં બેસેલા આંગડીયા પેઢીના કર્મચારીઓ વસંત અંબાલાલ, જયંતી સોમા અને એચ પ્રવીણ પાસેથી 1 કરોડનો માલ જપ્ત કરી ફરાર થઈ ગયા હતા. પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.