અમદાવાદ, રાજ્યની ખાનગી શાળાઓ દ્વારા હજી પણ ફી મુદ્દે વાલીઓ સાથે માથાકુટ ચાલી રહી છે. આવતા મહીને ધોરણ 10 અને 12ની બોર્ડની પરિક્ષાઓ શરૂ થવા જઇ રહી છે.ત્યારે બીજી તરફ રાજ્યની કેટલીક ખાનગી શાળાઓ દ્વારા વાલીઓને ફોન તેમજ મેસેજ કરીને ધમકી આપવામાં આવે છે કે, વિદ્યાર્થીઓની બાકી ફી જો ચૂકવવામાં નહીં આવે.તો જે તે વિદ્યાર્થીઓને બોર્ડની પરિક્ષાની રીસીપ્ટ તેમજ પરિક્ષામાં બેસવા દેવા પર પ્રતીબંધ લગાવવામાં આવશે.
અમદાવાદ શહેર સહીત રાજ્યના મોટા શહેરોની ખાનગી શાળાઓના સંચાલકો દ્વારા છેલ્લા કેટલાક સમયથી ફી મુદ્દે વાલીઓ સાથે માથાકુટ કરી રહ્યા છે. એટલુ જ નહીં કેટલીક ખાનગી શાળાઓના સંચાલકો દ્વારા આવતા મહીને શરૂ થનાર બોર્ડની ધોરણ 10 અને 12ની પરિક્ષાઓને ધ્યાનમાં રાખીને સંચાલકોએ એવી ધમકી આપી છે કે, જો વાલીઓ બાકી ફી ભરવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓને પરિક્ષાની રીસીપ્ટ તેમજ કેટલીક શાળાના સંચાલકોએ વિદ્યાર્થીઓને પરિક્ષામાં બેસવા દેવામા નહીં આવે.
શાળા સંચાલકો દ્વારા આપવામાં આવતી આ પ્રકારની ધમકીઓને ધ્યાનમાં રાખીને આજે વાલી મંડળના પ્રમુખ તેમજ શિક્ષણ બોર્ડના એક સભ્ય દ્વારા લેખીતમાં રાજ્ય શિક્ષણ બોર્ડ તેમજ રાજ્યના શિક્ષણ મંત્રીને ફરિયાદ કરવામાં આવી છે.અને તાત્કાલીક રાજ્ય શિક્ષણ બોર્ડ તેમજ રાજ્યનુ શિક્ષણ વિભાગ આ મુદ્દે શાળા સંચાલકો સામે કાર્યવાહી કરીને, વિદ્યાર્થીઓનુ ભાવિ ન બગડે તેવી માંગ કરી છે.