લોકસભા ચૂંટણી ને ધ્યાનમાં રાખી કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત ના પાટનગર ગાંધીનગર માં ૨૮ મી ફેબ્રુઆરી ના રોજ સભા યોજી ભાજપને તેના જ ગઢ માં પડકાર ફેકશે એમ સૂત્રો જણાવે છે.
કોંગ્રેસ પાર્ટીમાં પ્રિયંકા ગાંધી જોડાતા ફેસવેલ્યુમાં વધારો થયો છે. પ્રિયંકા ગાંધીની પ્રથમ સભામાં ૨૮મી ફેબ્રુઆરીનાં રોજ ગાંધીનગર ના અડાલજ ખાતે આવેલા ત્રિમંદીર ગ્રાઉન્ડમાં મોટી માનવમેદની એકત્રિત થાય તેવી સંભાવના સૂત્રો વ્યક્ત કરે છે. એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે તેઓ ભાજપ અને ગુજરાતના નેતા અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ ને અહીંથી જ પડકારશે.