ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આ વર્ષના અંત સુધીમાં યોજાશે, જેને લઈ ભાજપ દ્વારા અત્યારથી જ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આગામી 11મી માર્ચે PM મોદી ગુજરાતના 2 દિવસના પ્રવાસે આવી રહ્યા છે. આ સંદર્ભે ગુજરાત ભાજપા દ્વારા તેમના કાર્યક્રમની તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા પીએમ મોદીના કાર્યક્રમની વ્યવસ્થાને લઈ રુટ ડાયવર્ટનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે
-: જાહેરનામાની અમલવારીની તારીખ અને સમય :
આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ-૩૩ ની જોગવાઇ હેઠળ. મહત્તમ સમયમર્યાદાને આધિન રહીને તા.૧૧/૩/૨૦૨૨ ના કલાક ૧૨.૦૦ થી કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી જરૂરીયાત મુજબ પોલીસ દ્વારા અમલવારી કરાવવામાં આવે ત્યાં સુધી કરવાનો રહેશે.
11 માર્ચે બપોરે 12 વાગ્યાથી અમદાવાદમાં વસ્ત્રાપુર લેકની આસપાસથી GMDC ગ્રાઉન્ડને જોડતા તમામ રસ્તા બંધ રહેશે
12 માર્ચે બપોરે 2 વાગ્યાથી નવરંગપુરા સ્ટેડિયમની આસપાસના રસ્તા, ઈન્કમટેક્ષ ક્રોસ રોડ, કોમર્સ સર્કલ રોડ, અને વેસ્ટ રિવરફ્રન્ટનો સંપૂર્ણ રોડ બંધ વાહન વ્યવહાર માટે બંધ રહેશે.
12 માર્ચે માટેનું જાહેરનામું
હુકમ : અમદાવાદ શહેરમાં તા.૧૨/૩/૨૦૧૨ ના રોજ સરદાર પટેલ સ્ટેડીયમ, નવરંગપુરા ખાતે “ખેલ મહાકુંભ-૨૦૨૨” નો કાર્યક્રમ યોજાનાર છે. જે કાર્યક્રમ દરમિયાન નીચે જણાવેલ માર્ગ/વિસ્તાર પરથી પસાર થતો ટ્રાફિક તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત ડાયવર્ઝન કરવામાં આવે છે. વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત