ખુશીના ફટાકડા મોતનું કારણ બન્યા! આંધ્રપ્રદેશમાં ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ, 18 જિંદગીઓ હોમાઈ

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
2 Min Read

આંધ્રપ્રદેશમાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ: 18ના મોત, ખેતરોમાં ફંગોળાયા મૃતદેહો

કાકીનાડા જિલ્લાના સામરલકોટા મંડળના વેટલાપાલમ ગામમાં આવેલી એક ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં શનિવારે અચાનક વિસ્ફોટ થયો હતો. સત્તાવાર માહિતી મુજબ, જ્યારે આ અકસ્માત થયો ત્યારે યુનિટમાં અંદાજે 20 જેટલા શ્રમિકો કામ કરી રહ્યા હતા. વિસ્ફોટની તીવ્રતા એટલી વધારે હતી કે ફેક્ટરીની ઇમારત ધરાશાયી થઈ ગઈ હતી અને આસપાસના વિસ્તારમાં લાશના ટુકડા વેરવિખેર થઈ ગયા હતા.

ડ્રોન દ્વારા મૃતદેહોની શોધખોળ

ઘટનાસ્થળ પરથી મળતી વિગતો મુજબ, વિસ્ફોટ બાદ ચારેબાજુ ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા. સ્થાનિક લોકોએ ખેતરોમાં પડેલા મૃતદેહોને ખાતરની થેલીઓમાંથી બનાવેલી ચાદરો (બારાકલુ) માં વીણીને ભેગા કર્યા હતા. પોલીસ પ્રશાસને ખેતરોમાં દૂર સુધી ફંગોળાયેલા મૃતદેહો અને શરીરના અંગોને શોધવા માટે ડ્રોન કેમેરાની મદદ લેવી પડી હતી. આ દ્રશ્યો એટલા ભયાનક હતા કે જોનારાઓના કાળજા કંપી ગયા હતા.

- Advertisement -

balst2.jpg

ઇજાગ્રસ્તોની હાલત અતિ ગંભીર

કાકીનાડા સરકારી જનરલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં લાવવામાં આવેલા 7 દર્દીઓ 90 થી 100 ટકા દાઝી ગયા છે. તમામની હાલત અત્યંત નાજુક છે અને તેઓ હાલ સારવાર હેઠળ છે. જિલ્લા કલેક્ટર સાગિલી શાન મોહને પણ પુષ્ટિ કરી છે કે ઇજાગ્રસ્તોમાં ઘણાની સ્થિતિ ગંભીર છે, જેના કારણે મૃત્યુઆંક વધવાની આશંકા સેવાઈ રહી છે.

- Advertisement -

મુખ્યમંત્રી અને ગૃહમંત્રીની પ્રતિક્રિયા

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ આ ઘટના પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા લખ્યું:

“કાકીનાડા જિલ્લાના વેટલાપાલમમાં ફટાકડા ઉત્પાદન કેન્દ્રમાં થયેલા વિસ્ફોટની ઘટનાથી ભારે આઘાત લાગ્યો છે. આ અકસ્માતમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા તે જાણીને હૃદય દ્રવી ઉઠ્યું છે.”

balst.jpg

મુખ્યમંત્રીએ અધિકારીઓને પીડિતોને તાત્કાલિક સહાય પૂરી પાડવા અને બચાવ કામગીરી પર સતત દેખરેખ રાખવા આદેશ આપ્યા છે. રાજ્યના ગૃહમંત્રી વંગાલાપુડી અનિતાએ પણ ઘટનાસ્થળની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને અસરગ્રસ્ત પરિવારોને ન્યાય તેમજ મદદની ખાતરી આપી હતી.

- Advertisement -

તપાસના આદેશ

પ્રાથમિક દ્રષ્ટિએ આ અકસ્માત ફટાકડા બનાવતી વખતે કેમિકલના મિશ્રણમાં થયેલી ખામી અથવા સુરક્ષાના અભાવે થયો હોવાનું મનાય છે. વહીવટીતંત્ર દ્વારા આ ફેક્ટરી પાસે જરૂરી લાયસન્સ હતા કે નહીં અને સુરક્ષાના માપદંડોનું પાલન થતું હતું કેનહીં તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.