અનહેલ્થી ડાઇટ અને ખરાબ લાઇફસ્ટાઇલના કારણે આજ કાલ વધુ લોકો વજનની સ્મસ્યાને લઇને પરેશાન છે. વજન ઓછો કરવા લોકો કલાકો સુધી જીમમા કાઢે છે. હાલમાં જ એક સ્ટડીના રીપોર્ટમાં સામે આવ્યુ છે કે એક્સરસાઇઝ કરતા વજન ઉતારવા ડાઇટ વધુ મહત્વપૂર્ણ છે. જો તમે વજન ઉતારવા માંગતા હોવ તો તમારી ડાઇટ ઉપર વધુ ધ્યાન આપે. US સેંટર ફોર ડિજીજ કંટ્રોલના જણાવ્યા મુજબ જે લોકો અઠવાડિયામાં 100 થી 200 ગ્રામ વજન ઉતારે છે તેનો વજન જલદી નથી વધતો. રીપોર્ટમાં જાણવા મળ્યુ છે કે ભોજન પચવાની પ્રક્રિયામાં 10 ટકા કેલેરી બર્ન થાય છે. જ્યારે 10 થી 30 ટકા કેલેરી ફિજીકલ એક્ટિવીટમાં ઓછી થાય…
Author: SATYA DESK
મેષ કોઈ પારિવારિક કામથી આપને કદાચ બહાર જવું પડે. આપે કદાચ વિદેશ યાત્રાથી ખૂબજ ખુશી મળશે. વૃષભ આજે આપ કોઈ ઉત્સવ મનાવવાને માટે તૈયાર થઈ જાવ. દોસ્ત અને સગાસંબંધીઓ એકઠા થઈને ખૂબ મઝા કરશો. જેની મધૂર સ્મૃતિઓને કદીએ ભૂલી નહી શકો. આ સમય એક બીજા સાથે ખૂબ મઝા લેવાનો છે. મિથુન આજે આપના ઘરે સમુદ્ર પારથી મહેમાનોની આવવાની સંભાવના છે. એથી આપના ઘરે ખુશીનું વાતાવરણ હશે. જો આપ કામમાં વ્યસ્ત પણ હશો તો પણ સમય કાઢીને એમની સાથે આનંદ લો. આપના દોસ્તોનો સાથ આપને ઘણી બધી ખુશીઓ આપશે. કર્ક અત્યારે ઉચ્ચ અધિકારીઓથી કોઈપણ ઝઘડો કરવાથી બચજો. ખાસ કરીને જ્યારે આપે…
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ જાહેરાત કરી છે કે આ વર્ષની ઈન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પર્ધા ભારતમાં યોજાશે. સ્પર્ધા 23 માર્ચથી શરૂ થશે. બીસીસીઆઈ તરફથી જણાવાયું છે કે આઈપીએલ-2019 અથવા આઈપીએલ-12 સંપૂર્ણ સ્પર્ધા ભારતમાં જ યોજાશે. આ વર્ષે એપ્રિલ-મે મહિનામાં લોકસભાની ચૂંટણી પણ યોજાવાની છે તેથી આઈપીએલ સ્પર્ધા અને ચૂંટણીની પ્રક્રિયા ટકરાશે. તે છતાં લગભગ દોઢ મહિનો ચાલતી આઈપીએલની 12મી આવૃત્તિ ભારતમાં જ યોજવાની ક્રિકેટ બોર્ડે જાહેરાત કરી છે. ક્રિકેટ બોર્ડે એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે આ વખતની સ્પર્ધા ભારતમાં જ યોજવાનો નિર્ણય કેન્દ્રીય તેમજ રાજ્યોના સંબંધિત સત્તાવાળાઓ સાથે થયેલી પ્રાથમિક મંત્રણાને આધારે લેવામાં આવ્યો છે. સત્તાવાળાઓ સાથે મસલત…
ભાજપના દિગ્ગજ નેતા અને કચ્છ અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિભાઈ ભાનુશાળીની ટ્રેનમાં હત્યાની ઘટનાથી ચકચાર મચી છે. તેઓ સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેન દ્વારા ભૂજથી અમદાવાદ જઈ રહ્યાં હતાં. માળીયા નજીક ટ્રેનમાંથી તેમની હત્યા કરી નાખેલી લાશ મળી આવી. આ ઘટનાના પગલે ગુજરાતના રાજકારણમાં ગરમાવો વધી ગયો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ઘટનાને વખોડી છે. આ હત્યા મામલે SITની રચના કરવામાં આવી છે. કેસની તપાસ સીઆઈડી અને ATS દ્વારા કરવામાં આવશે. આ બાજુ જે કોચમાં તેઓ સવાર હતાં તેમાંથી 3 કારચૂસમળી આવ્યાં છે. તેમના પર પાંચ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાંથી 2 ગોળી તેમને વાગી હતી.
અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ જયંતી ભાનુશાળીની મોડી રાતે ટ્રેનમાં પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારી હત્યા કરાતાં ભારે ખળભળાટ મચી ગયો છે. ભૂજથી દાદર જતી સયાજીનગરી એક્સપ્રેસના એસી કોચમાં જયંતી ભાનુશાળી અમદાવાદ આવી રહ્યા હતા ત્યારે શાર્પશૂટરે સાઈલેન્સરવાળી રિવોલ્વરથી છાતી અને મોઢા પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જયંતિ ભાનુશાળીનો મૃતદેહ અમદાવાદ સીવીલ હોસ્પીટલ લવાયો, મૃતદેહ અસારવા સિવીલ હોસ્પીટલ પીએમ માટે લવાયો છે. સાથે કરેલ મુસાફરોની પણ પુછપરછ કરવામાં આવી હતી.
ગુજરાતના ભાપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીને ટ્રેનમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. જયંતિ ભાનુશાળી ઉપર ગયા વર્ષે મહિલા ઉપર દુષ્કર્મ કરવાનો આરોપ લાગ્યો હતો. ત્યારબાદ તેમણે પોતાના પદ ઉપરથી રાજીનામુ આપી દીધુ હતુ. અને પછી મહિલાએ આ મામલે તપાસ ન કરવાની અપીલ કરી હતી. સુરતની રહેવાસી મહિલાએ પોલીસ કાર્યાલ.માં 10 જુલાઇ 2018માં એક આવેદન જમા કર્યુ હતુ જેમા ભાનુશાળી વિરૂધ્ધ દુષ્કર્મનો મામલો નોંધાવી અને તપાસની માંગ કરી હતી. ત્યાર પછી આઇપીસી ધારા 376,294,406,420 342 અને આઇટી એક્ટ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
પ્રધાનમંત્રી નરેંદ્ન મોદીના ખાસ અને BJP અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની સયાજી એક્સપ્રેસમાં ચાલુ ટ્રેન એ 2 ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. મોરબી અને માળિયા વચ્ચે ટ્રેનમાં ગોળી મારવામાં આવી. મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ ટ્રેનમાં ઘૂસી ગોળી મારી હતી. તેઓ ભુજથી અમદાવાદ આવી રહ્યા હતા.જયંતી ભાનુશાળી પ્રદેશ ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ હતા. અને તેમના પર ગયા વર્ષે સુરતની એક યુવતી દ્વારા બળાત્કારના સનસનીખેજ આરોપ લગાવ્યા હતા. અને થોડા સમય બાદ તેમના વચ્ચે સમાધાન થઈ ગયું હતું. જયંતિ ભાનુશાળીના પરિવારજનોએ હત્યા માટે કચ્છ ભાજપના નેતા છબિલ પટેલને જવાબદાર ગણાવ્યા હતા. જયંતિ ભાનુશાલીના પત્નીએ આક્ષેપ લગાવતા કહ્યું કે, મારા પતિની હત્યા…
ભુજથી મુંબઈ તરફ જઈ રહેલી સયાજીનગરી ટ્રેનમાં અમદાવાદ આવી રહેલા જયંતિ ભાનુશાળીને H-1 કોચમાં ગોળી મારી દેવામાં આવી હતી. ફર્સ્ટ એસી કોચમાં મુસાફરી કરી રહેલા જયંતિ ભાનુશાળી સામે મહારાષ્ટ્રના પવન મોરે મુસાફરી કરી રહ્યા હતા.તેમણે પોલીસને આપેલા નિવેદન પ્રમાણે ભુજથી ટ્રેન નિકળ્યા બાદ થોડીવારમાં તેઓ સુઈ ગયા હતા અને તેમની સામેની સીટમાં બેઠેલા જયંતિ ભાનુશાળી પણ સીટ ઉપર આડા પડ્યા હતા. ભાનુશાળી જે કુપેમાં મુસાફરી કરી રહ્યા હતા તેની પાછળ એક જ પરિવારના છ વ્યક્તિઓ પણ મુસાફરી કરી રહ્યા હતા.
ભારતીય કોચ રવી શાસ્ત્રીએ ઓસ્ટ્રેલિયાની ધરતી ઉપર ભારતની ટેસ્ટ સીરીજમાં પહેલી જીતને 1983ના વર્લ્ડમાં એતિહાસીક જીત બરાબર બતાવ્યુ. અને કહ્યુ કે આ વિશ્વ કપ જીતથી મોટી નહી પરંતુ બરાબરની છે. ભારતે ઓસ્ટ્રેલિયાને 2-1 થી હરાવ્યુ અને ઓસ્ટ્રેલિયાની જમીન ઉપર 71 વર્ષોમાં પહેલી વાર ટેસ્ટ સીરીજ જીતી ત્યાર બાદ શાસ્ત્રીએ ટીમના ખુબ વખાણ કર્યા. શાસ્ત્રીજીએ કહ્યુ કે હુ તમને જણાવી દઉ કે આ મારા માટે સંતોશજનક વાત છે. વિશ્વ કપ 1983, ક્રિકેટ વિશ્વ ચૈંપિયનશિપ 1985 આ પણ તેમની જેમ મોટી છે. અથવા તમે આમને એમનાથી પણ મોટી માની શકો છો. કેમકે આ સૌથી મોટા ખેલના સ્વરૂપમાં મળી છે. આ ટેસ્ટ ક્રિકેટ…
ચીની ટેક કંપની હુઆવેની બ્રાંડ ઓનર આજ ભારતમાં Honor 10 Lite લોન્ચ કરશે. ઇ-કોમર્સ વેબસાઇટ ફ્લિપકાર્ટ ઉપર તેમનુ ટીજર રજુ કરવામાં આવ્યુ છે. અને આ સ્માર્ટફોન ફક્ત ફ્લિપકાર્ટ ઉપર જ મલશે. હાલમાં કંપનીએ આ ફોનનુ નામ નથી બતાવ્યુ પરંતુ ટીજરમાં વોટર ડ્રોપ નોચ જોઇ શકાય છે. તમને જણાવી દઇએ કે આ ફોન ચીનમાં પહેલાથી જ લોન્ચ કરવામાં આવી ગયો છે.ભારતમાં આફોનની કિંમત 15,000 રૂપિયાની અંદર રહેવાની આશા છે.ભારતના માર્કેટમાં 15 જાન્યુઆરી એ લોન્ચ કરવામાં આવશે. આ સ્માર્ટફોનમાં Kirin 710 પ્રોસેસર અને લેટેસ્ટ Android Pie આપવામાં આવ્યુ છે. કંપનીના હિસાબે બોડીને પ્રિમિયમ લુક આપવા માટે 8 લેયર્સ આપવામાં આવ્યુ છે. છે…