રાજકોટમાં 59 કોરોના કેસ નોંધાયા છે પરંતુ ગઇકાલે પહેલું મોત થયું હતું. 65 વર્ષના વૃદ્ધા મોમીનાબેન ઝીકરભાઇને 9 દિવસ પહેલા કોરોના પોઝિટિવ કેસ આવ્યો હતો પરંતુ સારવાર સફળ ન રેહતા તેનું મોત થયું નીપજયું હતું. બે દિવસથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. ગઇકાલે વૃદ્ધાને બચાવવા માટે બેંગ્લોરથી 37 હજારનું 10 એમએલનું ટોસીલીઝુમાબ એક્ટેંમર નામનું ઇન્જેક્શન મગાવ્યું હતું. ઇન્જેક્શન આવ્યા બાદ આઇવી ફ્લૂઇડ એટલે કે બાટલા વડે તેમના શરીરમાં અપાયું હતું. ઇન્જેક્શન શરીરમાં અસર શરૂ કરે તેની 15 મિનિટ બાદ વૃદ્ધાએ દમ તોડી દીધો હતો. વૃદ્ધાના મોત બાદ તેનો મૃતદેહ 6 કલાક સુધી સિવિલ હોસ્પિટલમાં પડી રહ્યો હતો. બાદમાં મોડી…
કવિ: Satya Day News
રાજકોટમાં પોલીસની બીક રાખ્યા વગર દંપતી ડ્રગ્સની હેરાફેરી કરતું હતું. 3 લાખ 30 હજારના હેરોઇન સાથે એક દંપતીને પોલીસે ઝડપી લીધું છે. આ બંનેએ પોતે જંગલેશ્વરની સલમા ઉર્ફે ચીનુડી મારફત હેરોઇનનો જથ્થો મેળવ્યાની કબૂલાત કરી છે. તેમજ ભૂરો નામનો છોકરો આ જથ્થો આપી ગયાનું પણ પોલીસને જણાવ્યું છે. આથી પોલીસે તે બંનેની શોધખોળ હાથ ધરી છે. કોઠારીયા રોડ સ્વીમિંગ પુલ પાછળ માસ્તર સોસાયટીના રસ્તા પરથી રૂખડીયાપરાના દંપતીને એક્ટીવા પરથી પોલીસ ઝડપી લીધું હતું. આ બંને આરોપીનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે.
લગભગ 280 વર્ષ પછી પ્રથવાર એવું બની શકે છે કે કોરોના વાઇરસના કારણે રથયાત્રા રોકવી પડે અને એવું પણ શક્ય છે કે, આ વર્ષે રથયાત્રા ભક્તો વગર જ નીકળે. હજુ આ વાત પર કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી. 3 મેના રોજ લોકડાઉનનો બીજો તબક્કો પૂરો થાય તે પછી જ આગળની સ્થિતિને જોઈને રથયાત્રા પર નિર્ણય લેવામાં આવશે. 23 જૂને રથયાત્રા નીકળવાની છે. અક્ષય તૃતીયા એટલે કે 26 એપ્રિલથી તેની તૈયારીઓ શરુ થઇ ગઈ છે. મંદિરની અંદર અક્ષય તૃતીયા અને ચંદન યાત્રાની પરંપરાઓની વચ્ચે રથ નિર્માણની તૈયારીઓ શરુ થઇ ગઈ છે. મંદિરના અધિકારીઓ અને બ્રાહ્મણોએ ગોવર્ધન મઠના શંકરાચાર્ય જગતગુરુ શ્રી નિશ્ચલાનંદ…
અમેરિકામાં H-1B વિઝા ધરાવતા લોકોની મુશ્કેલીઓ આવનારા દિવસોમાં વધી શકે છે. આ સ્પેશિયલાઈઝ્ડ વિઝાના આધારે અમેરિકા ગયેલા પ્રોફેશનલ્સની નોકરી જતી રહે, તો તેઓ અમેરિકામાં 60 દિવસ કાયદેસર રીતે રહીને નોકરી શોધી શકે છે, તેનાથી વધુ દિવસ રહેવા વધારે પડતી રકમ ચૂકવવી પડતી હોય છે. આ વિઝા પર અમેરિકામાં નોકરી કરનારા સૌથી વધુ ભારતીયો છે. કોરોના વાઈરસના લીધે લોકડાઉન ના કારણે અનેક કંપનીઓએ મોટી સંખ્યામાં લોકોને પગાર વિના રજા પર ઉતારી દીધા છે. અમેરિકન થિંક ટેન્ક નિસ્કેનેને સેન્ટરમાં ઈમિગ્રેશન પોલિસીના નિષ્ણાત જેર્મે ન્યૂફેલ્ડના કહેવા પ્રમાણે, અમેરિકામાં બે લાખથી વધુ H-1B વિઝાધારકો જૂન સુધી કાયદેસરના અધિકારો ખોઈ દેશે.
કોરોના ની મહામારી વચ્ચે કચ્છના તૃણા બંદરથી છેલ્લા ત્રણ દિવસથી થતી હતી હજારો જીવતા પશુઓનો નિકાસ. જીવદયાપ્રેમીઓ નો ઉગ્ર વિરોધ ઉઠતા અંતે નિકાસ સ્થગિત રખાઈ. વિદેશી હૂંડિયામણની લાલચએ કચ્છ થી અખાતી દેશોમાં થતી ઘેટા બકરાને નિકાસ કાયમ માટે સજ્જડ બંધ કરવાની જીવદયાપ્રેમીઓએ ઝુંબેશ શરૂ કરી હતી “અબતક”. કોરોનાની મહામારી વચ્ચે પણ કચ્છના ધૃણા બંદરથી છેલ્લા ત્રણ દિવસથી હજારોની સંખ્યામાં જીવતા પશુઓનો વિકાસ થઇ રહી હતી જેની સામે જીવદયાપ્રેમીઓએ ઉગ્ર વિરોધ ઉઠાવતા અંતે કોરોનાની સ્થિતિમાં જીવતાં પશુઓની નિકાસ સ્થગિત કરી દેવામાં આવ્યો છે જોકે આ નિકાસ હાલ પુરતી મોકૂફ રખાઇ છે હવે કાયમી માટે આ નિકાસ અટકે તે માટે જીવદયાપ્રેમીઓએ રીતસર…
દુનિયાભરમાં ફેલાયેલા ખતરનાક વાઈરસ કે જેણે અર્થતંત્રથી લઈને લોકો ના જીવન ને અસ્ત-વ્યસ્ત કરી નાખ્યું છે અને તેનું જન્મસ્થળ ચીનનું વુહાન શહેર છે. વુહાન શહેરમાં લોકડાઉન પૂરું થઇ ગયું છે અને ચીનમાં લોકો ધીમે-ધીમે ફરીથી જીવન શરુ કરી રહ્યા છે, પરંતુ કોરોના વાઈરસની બીકે લોકો હજુ પણ સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું ભૂલતા નથી,નાના ભૂલકાંઓ માથા પર અનોખી 1 મીટર લાંબી ટોપી પહેરીને સ્કૂલમાં ભણી રહ્યા છે. ચીનમાં ભલે કોરોના વાઇરસના કેસ શૂન્ય થઇ ગયા પણ હજુ પણ આ વાઈરસ ઉથલો મારશે તેનો ડર લોકોના મનમાં છે.
હાલ સમગ્ર દેશ માં કોરોના વાઇરસ ગુસી ગયો છે અને અમુક દેશો માં લોક-ડાઉન ની સ્તિથિ યથાવત રહતા લોકો ની જીવન જરૂરિયાત ની વસ્તુની ખરીદી માટે લાંબી લાઇન જોવા મળી રહી છે. ભારત માં સરકાર દ્વારા મફત અનાજ નું વિતરણ પણ જોવા મળી રહ્યું છે અને હવે અમેરિકાના ગ્રેટર પીટર્સબર્ગના બિગ બટલર ફાયરગ્રાઉન્ડમાં લૉકડાઉન વચ્ચે અહીંના ફૂડ બેન્ક નજીક વધારે માત્રામાં કારની લાઇન લાગી ગઇ હતી. આ કાર્સમાં લોકો જમવાનું લેવા પહોંચ્યા હતા અને બધાએ સોશિયલ ડિસ્ટન્સિંગનું સંપૂર્ણ ધ્યાન રાખી ને પાલન કરતાં નજરે પડે છે. લોકો પોતાનો વારો આવે ત્યારે જ તેઓ કારમાંથી નીચે ઉતરી ને પોતાની વસ્તુ ખરીદવા…
શાસ્ત્રો માં કહેવામાં આવેલ કે ગંગામાં સ્નાન કરવાથી,તેની પૂજા કરવાથી અઘોર પાપમાંથી મુક્તિ મળે છે. હાલમાં પુરા દેશ માં કોરોનાવાયરસના કારણે લોકડાઉનની પરિસ્થિતિ ચાલી રહી છે ત્યારે આવા પવિત્ર દિવસએ ઘરે બેસી ને સાચી શ્રદ્ધાથી કેવી રીતે ગંગા મૈયા નું પૂજન કરવું તે જાણો. શિવજીએ પોતાના મસ્તકમાં ગંગાજીને ધારણ કર્યા છે અને મહાદેવના નામનું પણ સ્મરણ કરવું એ પણ એક પૂજા છે અને પાત્ર માં રહેલ જળનું પૂજન કરવું તથા ડાબા હાથમાં ચોખા(અક્ષત)લઈ પાત્ર માં ત્રણ વખત પધરાવવા. ગંગામૈયા ની પૂજા કરતા સમયે આ ત્રણ મંત્ર ના જાપ કરવા થી પૂજા નું ફળ પ્રાપ્ત થાય છે. “ઔમ ભાગીરથાય નમઃ” “ઔમ…
કોરોનાને કારણે હાલ શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે કોરોનાની અદ્રશ્ય લડાઈમાં હવે કલાકારો પણ જોડાયા છે. સુરતના દિવ્યાંગ ફૂટ પેઈન્ટિંગ આર્ટીસ્ટ મનોજ ભીંગારે બે હાથ ન હોવા છતાં પગેથી ચિત્ર બનાવી રહ્યાં છે. મનોજે જાહેર રસ્તા પર પેઈન્ટિંગ દોરીને લોકોને ઘરમાં જ રહી કોરોનાને હરાવવા અપીલ કરતું ચિત્ર દોર્યું છે. મનોજે સામાજિક સંદેશો આપતા 500થી વધુ પેઇન્ટિંગ બનાવ્યા છે.
અમદાવાદ કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે મુખ્યમંત્રીને પત્ર લખી ને જણાવ્યુ કે, ગુજરાત સરકારના નોટિફિકેશનમાં એવું ક્યાંય પણ લખવામાં આવ્યું નથી કે ગુજરાતમાં અઝાન પર પ્રતિબંધ છે છતાં પણ રાજ્યમાં ઘણી જગ્યાએ પોલીસ દ્વારા બંધ કરાવવામાં આવે છે. નોટિફિકેશનનો હેતુ સ્પષ્ટ છે કે, જાહેર ધાર્મિક પ્રવૃત્તિ પૂજા, બંદગી, કે જેમાં લોકો એકત્ર થાય તે માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરી શકાશે નહીં. રાજ્યમાં લોકડાઉન પછી રાજ્યની બધી મસ્જીદો, દરગાહો, કબ્રસ્તાનો, મદરેસાઓમાં મુસ્લિમ સમાજ દ્વારા ચુસ્તપણે લોકડાઉનનું પાલન કરવામાં આવી રહ્યું છે અને મસ્જિદોમાં નમાજ માટે સમાજ એકત્ર થતા નથી, લોકો અઝાન સાંભળી પોતાના ઘરમાં જ નમાઝ અદા કરે છે. હાલ લાઉડ સ્પીકર…