સાઉદી અરબના સૌથી મોટા પ્રાંતમાંથી એક અલ-અહસા (Al-Ahsa) ખાસ પ્રકારના ઘોડા માટે ઓળખાય છે. અલ-અહસામાં ઘણી મોટી સંખ્યામાં ઘોડા પાળવામાં આવે છે. અહીંયાના ઘોડા ખૂબ જ ખાસ છે, તે માણસોથી પણ વધુ શાનદાર જીવન જીવે છે. આવી જ એક રિપોર્ટ પ્રમાણે અહીંયાના ઘોડા માટે એક વિશેષ સ્વિમિંગ પૂલ તૈયાર કરવામાં આવ્યો છે. ખાસ પશુ ડૉક્ટર રાખે સંભાળ અહીંયાના વાદળી કલરના ખાસ પ્રકારના ઘોડા માટે એક ખાસ સ્વિમિંગ પૂલ બનાવવામાં આવ્યુ છે. સ્વિમિંગ પૂલમાં આ રમત પ્રતિયોગિતાની તૈયારી કરે છે. એટલુ જ નહી આ ઘોડા માટે પશુ ચિકિત્સક, વિશેષ હાઉસ બોક્સ બનાવવામાં આવ્યા છે. સ્વિમિંગ પૂલ તેમની માંસપેશિયોને વધુ મજબૂત બનાવવા માટે…
કવિ: Satya Day News
ગાંધીના ગુજરાતમાં જ્યાં દારૂબંધીના દાવા કરાય છે ત્યાં વાસ્તવિકતા કઈક અલગ છે. સુરતમાં દારૂની રેલમછેલ જોવા મળી હતી. સુરતના સચિન વિસ્તારમાં દારૂની ખુલ્લેઆમ હાટડીઓ જોવા મળી હતી. સુરતના સચિનના એપેરેલ પાર્ક નજીક આવેલા એલઆઈબી બિલ્ડીંગ વિસ્તારનો વીડીયો વાયરલ થયો છે.સુરતમાં ખુલ્લેઆમ ચાલતી દારૂની બદી પાછળ સ્થાનિક પોલીસ અને બ્રાન્ચના પડદા પાછળ રહેલા વહીવટદારોની ભાગીદારી હોવાનો આક્ષેપ છે. સુરત પોલીસ કમિશનર દારૂની બદી સામે સ્થાનિક અને બ્રાન્ચના જવાબદારો સામે પગલાં ભરશે કે કેમ તે એક મોટો સવાલ છે.
અમદાવાદ મહાનગરપાલિકાના શાસકો વિવિધ પ્રોજેક્ટ બનાવવામાં મહિર છે. પરંતુ તેને સમયસર પૂરા થાય તેનું કોઈ ધ્યાન રાખવામાં આવતું નથી. અને તેને કારણે કોર્પોરેશનની તિજોરી ખાલી થાય છે. પ્રજાના પરસેવાના પૈસા ક્યાં વપરાય છે તેવા પણ સવાલ ઉઠે છે. રિવરફ્ન્ટ પર બની રહેલા સ્પોર્ટસ કોમપ્લેક્ષ-ફુટ ઓવર બ્રીજ-મલ્ટીલેવલ પાર્કીંગ સમસયર પુર્ણ ન થવા પાછળ કોરોનાનું કારણ આગળ ધરવામાં આવ્યું.ભાવતુ હતુ ને વૈદ્યે કીધુ તેવું કંઈક બન્યું છે અએમસીના પ્રોજેક્ટમાં. લોકડાઉન આવતા કેટલાક પ્રોજેક્ટની કામગીરી ખોરંભે ચઢી ગઈ છે. રીવરફ્ર્ન્ટ પર ચાલતા ત્રણ પ્રોજેક્ટ વિલંબમા મુકાયા છે. વિલંબમા મુકાયેલા પ્રોજેક્ટની વાત કરીએ તો AMCએ રૂ.૫૯.૮૭ કરોડના ખર્ચે એસવીપી હોસ્પિટલ પાસે ૮,૭૧૦ ચોરસ મીટરના…
વેક્સિનની દોડમાં હાલ તો રશિયા સૌથી આગળ છે. સમાન્ય જનતાને Sputnik V વેક્સિન ઉપલબ્ધ કરાવ્યા બાદ રશિયા હવે વધુ એક વેક્સિન લોન્ચ કરવાની તૈયારીમાં છે. રશિયામાં આ વેક્સિનનું નામ એપીવૈકકોરોના છે. ક્લિનિકલ ટ્રાયલમાં આ વેક્સિન સફળ સાબિત થઈ છે. આશા રાખવામાં આવી રહી છે કે, આ વેક્સિન 15 ઓક્ટોબરના લોન્ચ કરવામાં આવી શકે છે.આ વેક્સિન સાઈબેરિયાના વેક્ટર સ્ટેટ વાયરોલોજી રિસર્ચ સેન્ટરમાં બનાવવામાં આવી છે. રિસર્ચ સેંટરનું કહેવું છે કે, પ્રાયોગિક વેક્સિન એપીવૈકકોરોના પોતાના પ્રારંભિક ચરણના ટ્રાયલમાં કારગર સાબિત થઈ છે. એક રિપોર્ટમાં જણાવાયું છે કે, ક્લિનિકલ ટ્રાયલના પહેલા બે ચરણોમાં એપીવૈકકોરોના વેક્સિન સુરક્ષિત અને અસરદાર રહી છે.વેક્ટરના રિસર્ચ સેન્ટરનું કહેવું છે…
સમગ્ર દુનિયા આજે ભયાનક વાયરસ કોરોના સામે ઝઝૂમી રહી છે. જેના ફેલાવાના અનેક કારણો સામે આવ્યા છે. જેમાંથી એક કારણ કરન્સી નોટની લેવડદેવડ પણ છે. કેન્દ્રીય બેંક આરબીઆઈએ સંકેત આપ્યા છે કે, કરન્સી નોટોથી બેક્ટેરિયા અને વાયરસ એક હાથમાંથી બીજા હાથમાં ફેલાઈ શકે છે. તેથી કરન્સીની જગ્યાએ ડિજીટલ ટ્રાન્ઝેક્શનનો વધુમાં વધુ ઉપયોગ કરવો હિતાવહ છે. CAITએ હાલમાં જ RBIએ એક પત્ર લખીને જવાબ આપ્યો હતો કે, આરબીઆઈ પણ આ અંગે મેલ દ્વારા જવાબ ફોરવર્ડ કરી દીધો છે. CAIT દ્વારા માર્ચ 2020માં કેન્દ્રીય નાણામંત્રીને પત્ર લખી જણાવ્યુ હતું કે, શું લિક્વીડ કરન્સી દ્વારા બેક્ટેરિયા અથવા વાયરસ ફેલાઈ શકે ખરો ? જેના…
લૉકડાઉન દરમિયાન પોતાના દાદીને મળવા માટેે ઈટાલીયન બાળકે 2800 કિલોમીટરનું વોકિંગ કર્યું હતું. દસ વર્ષના આ બાળક રોમિયો કોક્સે જોકે એકલા નહીં પણ પોતાના પિતા સાથે સફર કરી હતી. ઈટાલીના કાંઠે આવેલા સિસિલી ટાપુ પરના પાલ્મેરોથી તેમણે 20મી જૂને ચાલવાની શરૂઆત કરી હતી. ત્રણ મહિના પછી તેઓ ચાલીને 21મી સપ્ટેમ્બરે લંડન પહોંચ્યા હતા.પિતા-પુત્રએ સફર દરમિયાન ઈટાલી, સ્વિત્ઝરલેન્ડ, ફ્રાન્સ અને ઈંગ્લેન્ડ એમ ચાર દેશમાં સફર કરી હતી. લૉકડાઉનને કારણે ત્યારે વાહનો મળવા મુશ્કેલ હતા. વિમાની વ્યવહાર બંધ હતો. બીજી તરફ રોમિયો પોતાના દાદીને મળવા માગંતો જ હતો. રોમિયોએ ચાલીને જવા માટે અનેક વાર માતા-પિતાને પૂછ્યું અને દર વખતે તેમણે ના પાડી…
બેંકો અથવા નાણાકીય સંસ્થાઓને હોમ લોન ચૂકવી દેવી એ ખૂબ જ રાહતની તક છે. પરંતુ આવા અવસરે ખૂબ જ મહત્વપૂર્ણ કાર્ય એ હોમ લોનનું નો ઓબ્જેક્ટ સર્ટિફિકેટ (No Objection Certificate) એટલે કે એનઓસી મેળવવું છે. તેને અવગણશો નહીં આ સરળ દેખાતું પ્રમાણપત્ર ભવિષ્યમાં તમારા માટે ખરેખર કામ આવી શકે છે. એનઓસી લેવું એ ઘણી રીતે મહત્વપૂર્ણ છે. આના ઘણા ફાયદા મળે છે.બેંક અથવા નાણાકીય સંસ્થાનો પાસેથી હોમ લોનનું પુરુ રીપેમેન્ટ થવા પર એનઓસી (No Objection Certificate) લેવાનો મતલબ છેકે, હવે તમારા ઉપર કોઈ દેવાદારી બચી નથી. એનઓસી લીધા બાદ ઘર પુરી રીતે તમારું થઈ જાય છે. બેંકનો પ્રોપર્ટી ઉપર કોઈ…
1 ઓક્ટોબરના રોજ દુનિયાભરમાં વેજિટેરિયન દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. વેજિટેરિયન ડે ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં શાકાહારી ભોજન અને તેના લાભ વિશે લોકો જાગૃત કરવાનો છે. લોકો કહે છે કે, જે લોકો નોન વેજિટેરીયન છે તેમના શરીરમાં પ્રોટીનની ખામી હોતી નથી, પરંતુ જે વેજિટેરિયન છે તે એ વાતથી પરેશાન છે કે, તેમના શરીરમાં પ્રોટીનની ખામી તો નથી. જો તમને પણ એવુ લાગે છે કે, તમારા શરીરમાં પ્રોટીનની ખામી છે તો તમારે પરેશાન થવાની જરૂરિયાત નથી. અમે તમને કેટલાક એવા વેજિટેરિયન ફૂડ વિશે જણાવીશુ જેમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે. ટોફૂ ટોફૂ પ્રોટીનનો એક સારો સ્ત્રોત હોય છે. જેમાં બધા 8 જરૂરી…
અયોધ્યામાં પાંચ એકર જમીન પર મસ્જીદ બનાવવા માટે પહેલું દાન એક હિંદૂ શખ્સે આપ્યુ છે. અયોધ્યામાં બનનારી મસ્જિદ માટે લખનૌ યુનિવર્સિટીનાં લૉ ડિપાર્ટમેન્ટના ટીચર રોહિત શ્રીવાસ્તવે 21 હજાર રૂપિયાનું દાન આપીને હિંદુ-મુસ્લિમ એકતાનું મિસાલ રજૂ કર્યુ છે. રોહિતે દાનનો ચેક યુપી સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડનાં ઈંડો-ઈસ્લામિક ફાઉન્ડેશનને આપવામાં આવ્યુ છે.અયોધ્યામાં મસ્જીદ નિર્માણ માટે ઈંડો-ઈસ્લામિક ફાઉન્ડેશનનું ગઠન કરવામાં આવ્યુ છે. રામ મંદિર નિર્માણ માટે દેશ-વિદેશથી દાન આપવામાં આવી રહ્યુ છે. તો રોહિત શ્રીવાસ્તવે મસ્જીદને દાન આપીને ધાર્મિક એકતાની મિસાલ રજૂ કરી છે. રોહિતનાં પહેલાં ચેકની સાથે જ મસ્જીદ માટે દાન મળવાની શરૂઆત થઈ ગઈ છે. રોહિત શ્રીવાસ્તવે મસ્જિદ માટે દાન ચેક…
ડીસા ભીલડી નેશનલ હાઇવે પર રસ્તા પર ગાય આવી જતા બાઇક ચાલકને અકસ્માત નડયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલકનું મોત થયુ હતુ. વડાવળ ગામ પાસે બનેલી અકસ્માતની ઘટનમાં માલગઢ ગામના આશાસ્પદ યુવકનું મોત થતા અરેરાટી ફેલાઇ હતી..નેશનલ હાઇવે પર રખડતી ગાયોએ યુવકનો ભોગ લેતા લોકોમાં રોષ ફેલાયો હતો.