પૃથ્વી પરની સૌથી ચતુર પ્રજાતિ તરીકે વિકસિત થયા બાદ મનુષ્યને મૃત્યુની ઘટના હંમેશા આશ્ચર્યમાં મુક્તિ રહે છે. ધાર્મિક પાઠયપુસ્તકો ટાંકીને આધ્યાત્મવાદીઓ ઘણી વાર એવી દલીલ કરે છે કે માનવ જીવન જે હાલ ભૌતિક સ્વરૂપે છે તે માત્ર કામચલાઉ છે અને મૃત્યુ પછી આત્મા બીજા પરિમાણમાં જીવતો રહે છે. આ થિયરીને વધુ પુરાવો આપતા, હાઝીમ નામના યુવકે પોતાના મૃત્યુ પછીના અનુભવો શેર કર્યા જેમાં તેણે નવા વૈશ્વિક પરિમાણ જોયું હોવાનો દાવો કર્યો.સિરિયન નાગરિક હાઝીમે પોતાના મૃત્યુ-નજીકના અનુભવનો ટેસ્ટીમોનીઅલ NDERF (Near-Death Experience Research Foundation) વેબસાઈટ પર શેર કર્યા હતા. હાઝીમે પોતાના અનુભવો અરબીમાં લખ્યા હતા, બાદમાં જેનું અહમદ હસ્સા દ્વારા અંગ્રેજીમાં ભાષાંતર…
કવિ: Satya Day News
ડાયેરિયા થવા પર વ્યક્તિ ઉલ્ટી અને લૂઝ મોશનથી પરેશાન થઈ જાય છે. સામાન્ય રીતે આપણે વિચારીએ છીએ કે આ રોગ ફક્ત ચેપગ્રસ્ત ખોરાક ખાવાથી અથવા ચેપગ્રસ્ત પાણી પીવાથી થાય છે. પરંતુ તે એવું નથી. કારણ કે, ડાયેરિયા (Loose Motion and Vomiting)ની સમસ્યા તણાવ અને ડર અથવા ભયને કારણે પણ થઈ શકે છે. સ્ટ્રેસને કારણે થઈ શકે છે ડાયેરિયા જે લોકો ખૂબ તણાવમાં જીવે છે તેમને ગમે ત્યારે ડાયેરિયાની સમસ્યા થઈ શકે છે. આનું કારણ એ છે કે તણાવ તમારી આંતરડા પર નકારાત્મક અસર કરે છે. તેનાંથી પાચનમાં ગડબડી ઉભી થાય છે અને તમને ઝાડા થઈ શકે છે. ભય અથવા ડરને…
જો આપણને ખ્યાલ આવી જાય કે, આપણી પાસે હવે કેટલો સમય બચ્યો છે. એટલ કે, ક્યારે હાલત ખરાબ થવાની છે. ક્યારે એવી પરિસ્થિતી આવી જાય કે, માણસ માટે જીવવું મુશ્કેલ થઈ જાય. જો કે, હવે આવું બતાવનારી ઘડિયાળ આવી ગઈ છે. આ ઘડિયાળ અમેરિકાના ન્યૂયોર્કમાં લગાવવામાં આવી છે. જેને કહેવાય છે એસ્ટ્રોનોમિકલ ડિજીટલ ક્લોક. ક્લાઈમેટ બદલાઈ રહ્યુ છે. જો કે, અમુક લોકો માને છે કે, કઈ નથી બદલાયું. આ ઘડિયાળ પણ બતાવે છે કે, દુનિયા પાસે કેટલો સમય બચ્યો છે.આ ઘડિયાળને બે આર્ટિસ્ટે બનાવી છે. જેનુ નામ ગૈન ગોલન અને એંડ્ર્યૂ બોયડ છે. તેમણે આ ઘડિયાળ દ્વારા દુનિયાને બતાવ્યુ છે…
કોરોના સંક્રમિત થનાર વ્યક્તિના ફેફસાં ખૂબ નબળાં પડી જતાં હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે કોરોના મુક્ત થયેલા લોકોના ફેફસાં મજબૂત કરવા યોગની સાથે સાથે હવે ઝુંબા ડાન્સનો ક્રેઝ પણ વધી રહ્યો છે. ઈમ્યુનિટી પાવર વધારવાની સાથે શરીરની ચરબી ઓછી કરવા માટે મદદરૂપ થતાં ઝુંબા ડાન્સ હાલ લોકોમાં ફેવરિટ બની રહ્યો છે. પાલિકા કમિશનર બંછાનિધી પાનીએ પણ જણાવ્યું કે, ઈમ્યુનિટી શક્તિ વધારવા માટે કસરત સહિતની વસ્તુઓ મદદરૂપ થાય છે. ચરબી પણ ઉતરે છે ઝુંબા ડાન્સમાં નિયમિત રીતે ભાગ લેનાર રાહુલે જણાવ્યું હતું કે, ઝુંબા ડાન્સથી શરીરની ચરબી પણ ઓછી થાય છે. વળી મ્યૂઝિક સાથે મનોરંજન મળી રહે છે. હાલ કોરોના…
પેમ બુલકઃ કોરોના વાઈરસના કેસમાં અત્યાર સુધી આપણે જોયું કે તે ફેફસાંને નુકસાન પહોંચાડે છે, પરંતુ અમેરિકામાં આ વાઈરસ લોકોના વાળ ખરવાનું કારણ પણ બની ગયો છે. ડોક્ટરના જણાવ્યા પ્રમાણે, તેમની પાસે વાળ ખરવાની સમસ્યા ધરાવતા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. તેમનું માનવું છે કે, તેનું કારણ કોરોના વાઈરસ હોઈ શકે છે. આ સમસ્યા કોવિડ દર્દીઓ અને સામાન્ય લોકોને સમાન અસર કરી રહી છે. મુખ્ય કારણ સામાન્ય દિવસોમાં બીમારી, મોટી સર્જરી અથવા ભાવનાત્મક સમસ્યાઓથી પીડિત લોકો વાળ વધારે ખરી રહ્યા હોવાનું અનુભવ કરે છે. હવે ડોક્ટરોનું કહેવું છે કે, કોવિડ-19થી સાજા થયેલા દર્દીઓ પણ વાળ ખરવાનું અનુભવ કરી રહ્યા છે.…
દેશમાં અત્યાર સુધી જેટલા પણ મોત કોરોનાથી થયા છે તેનાથી વધારે રેબીઝ (હડકવા) થી થયા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના જણાવ્યા પ્રમાણે, કૂતરાના કરડવાથી થતો રોગ એટલે હડકવા જેનાથી છેલ્લા 5 વર્ષમાં 1 લાખ લોકોનાં મોત નીપજ્યાં છે. આ આંકડો ભારતનો છે. વિશ્વભરમાં હડકવાને લીધે જેટલા પણ મોત થયા છે તેમાંથી 35 ટકા મોત ભારતમાં થયાં છે. આજે વર્લ્ડ રેબીઝ ડે છે. તેને ફ્રેન્ચ વૈજ્ઞાનિક લુઈસ પાશ્ચરની ડેથ એનિવર્સરીના પ્રસંગે મનાવવામાં આવે છે. લુઈસે હડકવાની રસી શોધી હતી અને દર વર્ષે લોકોને હડકવા પ્રત્યે જાગૃત કરવા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. કેવી રીતે ફેલાય છે હડકવા કૂતરાના કરડવાથી હડકવાના…
દેશની સૌથી મોટી પબ્લિક સેક્ટ બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) એ પોતાના ગ્રાહકોને ચેતવણી આપી છે. SBI એ કહ્યુ છે કે, સાઈબર ક્રિમિનલ્સ WhatsApp પર તેમને પોતાનો શિકાર બનાવી શકે છે. પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર એક પોસ્ટમાં SBI એ સ્કેમ વિશા માહિતી શેર કરી છે. તો આવો જાણીએ આ વિશે સંપૂર્ણ માહિતી. WhatsApp કોલ અથવા મેસેજનો જવાબ ન દે ટ્વિટર પોસ્ટમાં SBI એ ચેતવણી આપી હતી કે, સાઈબર ક્રિમિલ્સ વોટ્સએપ કોલ અને મેસેજ થકી ગ્રાહકોને અપ્રોચ કરી રહ્યા છે. આ જરૂરી છે કે, ગ્રાહક કોઈ અજાણ્યા નંબરથી આવનારી વોટ્સએપ કોલ અથવા મેસેજનો જવાબ ન દે. વોટ્સએપ થકી કોલ…
દુનિયાભરમાં હંમેશા અપરાધીઓને નફરતની ભાવનાથી જોવામાં આવે છે. તેનું એક પ્રમુખ કારણ એ છે કે, અપરાધીઓ દ્વારા કરવામાં આવેલ અપરાધ ઘણી વખત એટલા જઘન્ય હોય છે કે, તેમના માટે લગભગ જ કોઈ હમદર્દી રાખે છે. એવામાં અમે પણ બાળપણથી અપરાધીઓથી દૂર રહેવાની સલાહ પણ આપવામાં આવે છે. જેથી તેમના પ્રભાવમાં આવીને અમે પણ કંઈક ખોટુ ન કરી બેસે, પણ શું તમે જાણો છો દુનિયામાં એક એવો પણ દેશ છે જ્યાં અપરાધીઓની પૂજા પણ કરવામાં આવે છે. આ દેશના લોકો અપરાધીઓની ભગવાનની જે પૂજા કરે છે. આ વાત ભલે જ તમને થોડી અજીબ લાગે, પરંતુ આ હકીકત છે. આ સૌ હોય…
ડોકટરોની ભાષામાં, શરીરમાંથી નક્કર વિસર્જન કરનાર પદાર્થને સ્ટૂલ કહેવામાં આવે છે. જર્મનીની ફ્રેન્કફર્ટની યુનિવર્સિટી હોસ્પિટલમાં ચેપી રોગોના નિષ્ણાત મારિયા વેહરશિલ્ડે અનુભવ કર્યો છે કે મોટાભાગના લોકો તેમના સ્ટૂલ વિશે વાત કરવા માંગતા નથી. બીજા કોઈના સ્ટૂલને તેના શરીરમાં નાંખવાના વિચારથી ઘણા લોકો નારાજ થાય છે. પણ રોગ આવતાં અટકાવવા માટે આખરે તો તેઓએ હા તો પાડવી જ પડશે. સ્ટૂલ ટ્રાન્સપ્લાન્ટને તબીબી પરિભાષામાં ફેકલ માઇક્રોબાયોટા ટ્રાન્સપ્લાન્ટ (એફએમટી) કહેવામાં આવે છે. જે લોકોને વારંવાર પેટમાં ચેપ લાગે છે તેમની પાચક શક્તિમાં અન્ય તંદુરસ્ત વ્યક્તિના શરીરમાંથી લેવામાં આવતા સ્ટૂલ પ્લાન્ટથી દૂર કરી શકાય છે.દર્દીના શરીરમાં સારા બેક્ટેરિયાની સંખ્યા વધારવા અને સંતુલન લાવવાનો પ્રયાસ…
સમગ્ર રાજ્યમાં કોરોનાનું સંકટ યથાવત છે, ઉલ્લેખનીય છે કે આ કોરોનાકાળમાં અમદાવાદના ઇલેક્ટ્રોનિક માર્કેટની રોશની ફિક્કી જોવા મળી રહી છે. નોંધપાત્ર છે કે અનલોક જાહેર થયા બાદ જનજીવન સામાન્ય થયું પરંતુ માર્કેટમાં મંદીનો માહોલ યથવાત જોવા મળી રહ્યો છે. નવરાત્રીમાં થતો લાઇટિંગ અને ડેકોરેશનનો બિઝનેસ પડી ભાંગ્યો છે..જેના લીધે વેપારીઓમાં નિરાશા વ્યાપી છે.ત્યારે બીજી તરફ રિલીફ રોડ અને ગાંધી રોડ પર ત્રણ હજાર જેટલી ઇલેક્ટ્રોનિક દુકાનો આવેલી છે. જો કે મંદીના કારણે 25 ટકા દુકાનો બંધ હાલતમાં છે.. નવરાત્રી પહેલા 20થી 25 ટકા જ ખરીદી થઇ રહી છે..આ વર્ષે ઇલેકટ્રોનીક માર્કેટમાં અંદાજિત 100 કરોડનું નુકશાન થવાના એધાંણ વર્તાઈ રહ્યા છે.’