જાફરાબાદના નાગેશ્રી ગામે ગત રાત્રે રહેણાંક વિસ્તારમાં એક સિંહ આવી ચડ્યો હતો. સિંહ રસ્તા પર રઝળતા એક પશુનો શિકાર કર્યો હતો. સિંહ મિજબાની માણી રહ્યો હતો. ત્યારે ચાલુ વરસાદે જીવંત વીજ વાયર તેની બાજુમાં જ પડ્યો હતો. આથી સિંહને બચાવવા માટે ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગના ટ્રેક્ટર વડે સિંહને ખસેડ્યો હતો અને તેનો જીવ બચાવ્યો હતો. આ ઘટનાની સ્થાનિક લોકોએ PGVCLને પણ જાણ કરી હતી. પરંતુ PGVCLના કર્મચારીઓ ઘટનાસ્થળે ડોકાયા પણ નહોતા. વન વિભાગની ટીમે ટ્રેક્ટર વડે સિંહને બચાવતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. એક તરફ વરસાદ ચાલુ હતો ત્યારે જ જીવંત વીજ વાયર સિંહ મિજબાની માણી…
કવિ: Satya Day News
મિસૌરીના એક ઝૂમાં બૉલ પાઈથને કેટલાય ઈંડાને જન્મ આપ્યો છે. જેને જોઈ ઝૂ કીપર્સ પણ હેરાન થઈ ગયા છે. સેંટ લૂઈસ પોસ્ટ ડિસ્પૈચના જણાવ્યા અનુસાર સેંટ લૂઈસ ઝૂમાં 62 વર્ષિય ફિમેલ બૉલ અજગર છેલ્લા 15 વર્ષથી કોઈ મેલ અજગરના સંપર્કમાં આવી નથી. તેમ છતાં પણ તેણે ઈંડા આપ્યા છે. આ ઘટનામાં હૈરાન કરનારી વાત એ છે કે, બૉલ પાઈથન 6 વર્ષની ઉંમરમાં જ ઈંડા આપવાનું શરૂ કરે છે અને 60 વર્ષની ઉંમરે આવતા આવતા તે ઈંડા આપવાનું બંધ કરી દે છે. આ ઘટના બાદ જૂલોજિકલ મેનેજર માર્ક વાનનેર કહે છે કે, આ દુનિયાની સૌથી વૃદ્ધ માદા અજગર છે. જેને આટલી…
પિતૃપક્ષ પછી 18 સપ્ટેમ્બરથી આસો મહિનાનો અધિકમાસ શરૂ થઇ રહ્યો છે. આ મહિનાના કારણે પિતૃ પક્ષ પછી નવરાત્રિ શરૂ થશે નહીં. અધિકમાસને અધિમાસ, મળમાસ, પુરૂષોત્તમ માસ કહેવામાં આવે છે. અધિકમાસના કારણે ઋતુ અને તહેવારો વચ્ચે તાલમેલ જળવાયેલો રહે છે. હિંદુ ધર્મમાં તહેવારોની વ્યવસ્થા પણ ઋતુઓના આધારે બનાવવામાં આવી છે. શ્રાવણ મહિનો વર્ષા ઋતુમાં આવે છે. દિવાળી ઠંડીની ઋતુની શરૂઆતમાં આવે છે. મકર સંક્રાંતિ ઠંડીના છેલ્લાં દિવસોમાં આવે છે. ઋતુઓના સંધિકાળમાં એક વર્ષમાં ચાર વાર નવરાત્રિ આવે છે. અધિકમાસના કારણે જે તહેવાર જે ઋતુમાં આવવો જોઇએ, તે ઋતુમાં આવે છે. ભગવાન વિષ્ણુએ મળમાસને પોતાનું નામ પુરૂષોત્તમ આપ્યું છે. સાથે જ, વિષ્ણુજીએ…
કેબિનેટની નિયુક્તિ સમિતિએ પ્રધાનમંત્રી કાર્યાલયમાં ત્રણ આઈએએસ અધિકારીઓને મહત્વની જવાબદારી સોંપી છે. જે ત્રણ અધિકારીઓ છે તેમાં ઉત્તરાખંડના ટિહરીના ડીએમ મંગેશ ધિલ્ડિયાલ, મધ્યપ્રદેશ કેડરના આઈએસ અધિકારી રઘુરાજ રાજેન્દ્રન અને આંધ્ર પ્રદેશ કેડરના આઈએએસ અધિકારી આમ્રપાલી કાટાનો સમાવેશ થાય છે. PM મોદીની મહત્વની યોજનાઓ ઉપર ધ્યાન રાખી રહ્યાં છે આ અધિકારીઓ ઉત્તરાખંડના ટિહરીના ડિએમ મંગેશ ધિલ્ડિયાલે પીએમઓમાં અંડર સેક્રેટરી પદ ઉપર નિયુક્ત કરવામાં આવ્યાં છે. જ્યારે મધ્ય પ્રદેશના કેડરના આઈએએસ અધિકારી રઘુરાજ રાજેન્દ્રનને પીએમઓમાં ડાયરેક્ટર અને આંધ્રપ્રદેશના કેડરના આઈએએસ અધિકારી આમ્રપાલી કાટાને ડેપ્યુટી સેક્રેટરીની જવાબદારી સોંપવામાં આવી છે. મંગેશ ધિલ્ડિયાલ રૂદ્રપ્રયાગ જિલ્લામાં ડિએમ હતા અને હાલ તે કેદારનાથના પૂનઃનિર્માણ અને ચાર…
સુરતમાં કોરોના વોરિયર્સ તબીબને બચવા અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. દર્દીને બચવા માટે પોતાનું ઓક્સિજન માસ્ક કાઢીને દર્દીને આપનાર અંકિત મહેતા જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. તબીબના ફેફસા બદલવા 1 કરોડ રૂપિયાનો ખર્ચ થાય તેમ છે. જેથી તેમને ચેન્નાઈ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે તબીબને બચાવવા માટે ભાજપન પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ રાજ્ય સરકારને મદદ કરવા રજૂઆત કરશે.. તબીબને બચાવવા 35 લાખ રૂપિયાનું ડોનેશન પણ મળ્યુ છે. ત્યારે વધુ નાણાની જરૂર હોવાના કારણે અન્ય લોકો પાસે મદદ માગવામાં આવી રહી છે.
કોવિડ-19 મહામારીની વચ્ચે સાવેચતીના તમામ પગલા સાથે આવતીકાલે સમગ્ર દેશમાં 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ મેડિકલ એન્ટ્રસ એક્ઝામ NEET આપશે તેમ નેશનલ ટેસ્ટિંગ એજન્સી(એનટીએ)ના અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે એનટીએએ પરીક્ષા કેન્દ્રોની સંખ્યા 2546થી વધારીને 3843 કરી છે. એક રૂમમાં વિદ્યાર્થીઓની સંખ્યા 24થી ઘટાડી 12 કરવામાં આવી છે. મેડિકલ કોલેજમાં એડમિશન માટે મહત્ત્વપૂર્ણ ગણાતી નીટ પરીક્ષા કોરોનાને કારણે અગાઉ બે વખત મોકૂફ રાખવામાં આવી હતી. મેડિકલ કોલેજમાં એડમિશન માટે મહત્ત્વપૂર્ણ ગણાતી નીટ નીટ પરીક્ષા સૌૈ પ્રથમ 3 મેના રોજ લેવામાં આવનારી હતી. જે પાછળ ઠેલવીને 26 જુલાઇના રોજ રાખવામાં આવી હતી. જો કે કોરોનાને પગલે આ તારીખે…
અમદાવાદમાં રિવરફ્રન્ટ પર સી-પ્લેન શરૂ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાઈ છે. ત્યારે આજે સી-પ્લેનની ફ્લોટિંગ જેટ્ટીને સરદાર બ્રિજથી આંબેડકર બ્રિજ સુધી લઇ જવાશે. જેથી બ્રિજ પર ફાયર સહીતની ટીમો દ્વારા કામગીરી શરૂ કરાવમાં આવી છે. સી-પ્લેનની પહેલી ઉડાન અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયાની રહેશે. ઉલ્લેખનીય છે કે સી-પ્લેનથી કનેક્ટિવિટી અને ટુરિઝમને પ્રોત્સાહન મળશે. સી-પ્લેન માટે ગુજરાતના કુલ 4 સ્થળોએ વોટર એરોડ્રોમ બનશે. અમદાવાદના સાબરમતી રિવરફ્ર્ન્ટ, કેવડિયામાં નર્મદા ડેમ, પાલીતાણાના શેત્રુંજ્ય ડેમ અને મહેસાણાના ધરોઇ ડેમ પર વોટર એરોડ્રોમ બનશે.
LIC દેશની સૌથી ભરોસાપાત્ર વીમા કંપની છે. સરકાર દ્વારા સંચાલિત આ કંપનીની પોલિસીમાં રોકાણ પર ગ્રાહકોને ઘણો ફાયદો આપવામાં આવે છે. વધતી મોઘવારીના આ દોરમાં આપણા દરેકના માટે એ જરૂરી છે કે પોતાની મહેનતની કમાણીનો અમુક ટકા ભાગ કંઈ પણ કરીને આપણે બચત કરીને કોઈ પોલિસીમાં રોકાણ કરીએ. દરેકનું સપનું હોય છે કે તેમના બાળકોનું ભવિષ્ય સારૂ હોય. ભારતીય જીવન વીમા નિગમની પણ આવી જ એક સ્કીમ છે જે બાળકોની જરૂરીયાતોન ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. આપણે વાત કરી રહ્યા છીએ એલઆઈસીની ‘ન્યૂ ચિલ્ડ્રન્સ મની બેન્ક પ્લાન’(LIC NEW CHILDREN’S MONEY BACK PLAN) ની. આવો જાણીએ આ પોલિસીની ખાસ વાતો… (1)…
કોરોના વાઇરસ ના કેસમાં ભારતમાં વધારો થઈ રહ્યો છે. કોવિડ-19થી થનારા બદતર હાલાતોને જોતા સ્વાસ્થ્ય મંત્રાલય પોસ્ટ કોવિડ-19 પ્રોટોકોલ જાહેર કર્યો છે. આ પ્રોટોકોલમાં દર્દીની રિકવરી અને કોમ્યુનિટી લેવર ઉપર વાયરસની સ્પીડને ઓછી કરવા માટે બતાવવામાં આવ્યો છે. તેમાં ઈમ્યુનીટી વધારવા માટેના ખાસ નુસખાની પણ જાણકારી દેવામાં આવી છે. ઘરમાં ક્વોરેન્ટાઈન રહીને રિકવર થનારા દર્દીઓ માટે પ્રોટોકોલમાં ઘણી મહત્વની વાતો શામેલ છે. પ્રોટોકોલ પ્રમાણે આવા દર્દી માસ્ક, હાથોની સફાઈ, અને રેસ્પિરેટરી હાઈઝીનનો ખાસ ખ્યાલ રાખો. સાથે જ સોશયલ ડિસ્ટેન્સીંગના નિયમોનું પણ ગંભીરતાથી પાલન કરો અને યોગ્ય માત્રામાં ગરમ પાણી પીવો. ઈમ્યુનિટી વધારવા માટે આયુષ મંત્રાલયની દવાઓનો ઉપયોગ કરી શકાય છે. જો…
તમે માણસો કિડનેપ થયાની અને ખંડણી માંગ્યાની વાત તો સાંભળી હશે, પરંતુ એક મગરને કિડનેપ કરીને પૈસા માંગ્યાની વાત ક્યારેય સાંભળી છે? ઉત્તર પ્રદેશના લખમીપુર ખીરી જિલ્લામાં આવી એક ઘટના હકીકતમાં બની છે. આ ઘટના અને તેનો વીડિયો બંને સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. જિલ્લામાં મીડિનીયા ગામમાં એક તળાવ આવેલું છે. આ તળાવમાં એક મગર આવી ચડ્યો. ગામલોકોને આ વાતની જાણ થતા અફરાતફરી મચી ગઇ છે. ગામલોકોએ આ વાતની જાણ વન વિભાગ અને પોલીસને કરી. વનવિભાગ કે પોલીસની ટીમ બંનેમાંથી કોઇ પણ સમય પર પહોંચ્યા નહીં. ગામલોકોએ તેમની પાસેથી 50 હજાર રુપિયાની માંગ કરી ત્યારબાદ ગામલોકોએ લગભગ ત્રણ કલાકની…