થાઈલેન્ડના રાજા મહા વજિરલોન્ગકોર્ને પોતાની પત્ની સિનેનાત્રા વોંગવાજીરાપાકડીને એક વર્ષ સુધી કેદમાં રાખ્યા બાદ માફી આપી દીધી છે. સિનેનાત્રાને જેલમાંથી મુક્ત કર્યા બાદ તુરંત રાજાની પસે જર્મની મોકલી આપવામાં આવી છે. રાજાએ તેને માફ કર્યા બાદ રોયલ અને મિલિટ્રી અધિકાર પણ પાછા આપી દીધા છે. જો કે, સિનેનાત્રાને શા માટે જેલમાં મોકલવામાં આવી, હતી તેનો ખુલાસો થયો નથી. રજા માણવા આવેલા રાજાએ હોટલમાં ઉભો કર્યો આલિશાન મહેલ એક રિપોર્ટ મુજબ જોઈએ તો, થાઈ રાજા વજિરલોન્ગકોર્ન માર્ચ, 2020થી જ દક્ષિણી જર્મની અલ્પાઈન હોટલમાં રોકાયેલા છે. તેમણે હોટલનો ચોથો ફ્લોર બુક કર્યો હતો. જેને મહેલની માફક સજાવ્યો હતો. આ હોટલમાં રાજાએ પોતાના…
કવિ: Satya Day News
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થિઓને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે. આ યોજનાના લાભાર્થિઓ ઉપરાંત કિસાન ક્રેડિટ કાર્ડ અન્ય પાત્ર ખેડૂતોને પણ આપવામાં આવે છે. આ કાર્ડનો ઉપયોગ ખેડૂતો સસ્તા દર ઉપર કૃષિ લોન લેવા માટે કરવામાં આવે છે. સરકાર તેના મારફતે 4 ટકાના સસ્તા વ્યાજની લોન આપી રહી છે. પાંચ વર્ષમાં 3 લાખ રૂપિયા સુધીની શોર્ટ ટર્મ લોન લઈ શકાય છે. લોન સામાન્ય રીતે 9 ટકાના વ્યાજદરે મળે છે. પરંતુ સરકાર તેના ઉપર બે ટકા સબ્સીડી આપે છે. સમય ઉપર લોનની ભરપાઈ કરવાથી ખેડૂતોને વધારાના ત્રણ ટકાનું ડિસ્કાઉન્ટ મળશે. ખેડૂતોએ લોન લીધા બાદ નથી કરી ચુકવણી અનેક કિસ્સાઓ આવ્યા સામે…
ભરૂચના ઝઘડિયા તાલુકાના ગામોમાં નર્મદા નદીના પૂરના પાણી ફરી વળ્યા હતા. સતત સાત દિવસ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી સરદાર સરોવરના 23 દરવાજા ખોલવામાં આવ્યા હતા. ખાસ કરીને ભરૂચના ઝઘડિયા તાલુકાના કિનારા વિસ્તારના ગામોની સીમમાં તૈયાર થયેલો પાક નાશ પામ્યો છે. સાથે મુંગા પશુઓને ચરવા માટેની ગૌચરની જમીનનું ઘાસ પણ નષ્ટ થઇ ગયું છે. કાંઠા વિસ્તારમાં પાણી ઘૂસવાના કારણે મગરો, દીપડા, શ્વાન વિગેરે પણ હાડમારી ભોગવી રહ્યાં છે. જો કે ગત રાત્રિએ ઓરપટાર ગામના રોડ પર મગર હોવાના અહેવાલ મળ્યા હતા. જ્યારે આજે વહેલી સવારે ભાલોદ ગામના ખેતરમાંથી રેસ્ક્યુ કરી અજગરને ઝડપી લેવામાં આવ્યો હતો. ઝઘડિયા તાલુકામાં હજી તમામ વિસ્તારોમાંથી પાણી…
હિંદુ ધર્મમાં શ્રાદ્ધ દરમિયાન પિતૃઓને ખીરનો ભોગ લગાવવાનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યુ છે. માન્યતા છે કે, ખીરનો ભોગ લગાવવાથી પિતૃ પ્રસન્ન હોય છે અને પરિવારને ખુશાલીનો આશીર્વાદ આપે છે. તો આવો જાણીએ કેવી રીતે બનાવવામાં આવે છે શ્રાદ્ધમાં ખીર… ખીર બનાવવા માટે જરૂરી સામગ્રી દુધ- 1 લીટર મખાને- 2 કપ ખાંડ- 4 ચમચી ઘી- 2 ચમચી બદામ-કાજૂનું ક્લિપિંગ કિશમિશ નારિયેરનું છીણ-1/3 કપ એલચી પાવડર અડધી ચમચી કેસરના લચ્છ દૂધમાં પલાળેલા ખીર બનાવવાની રીત ખીર બનાવવા માટે સૌ પ્રથમ એક કપમાં ઘી ગરમ કરી મખાનેને શેકી લો. ત્યારબાદ શેકેલા મખાનેને એક પ્લેટમાં કાઢી ઠંડા કરી કૂટી લો. હવે દૂધને ઉકળવા દો.…
ડોલર સામે રૂપિયો આજે 44 પૈસા તૂટીને 73.47ની સપાટીએ બંધ રહ્યો છે. સ્થાનિક શેરબજારમાં મંદી અને યુએસ ડોલરની મજબૂતાઈના કારણે રૂપિયો દબાણમાં હતો. ઇન્ટરબેંક વિદેશી વિનિમય બજારમાં રૂપિયો 73.23 ના સ્તરે નબળો રહ્યો હતો. ડોલર સામે બુધવારે રૂપિયો 16 પૈસા તૂટીને 73.03 ની સપાટીએ બંધ રહ્યો હતો. વિસ્વની છ મોટી કરન્સી સામે યુએસ ડોલરની સ્થિતિ દર્શાવતો, 0.04 ટકા વધીને 92.88 પર પહોંચી ગયો.મજબૂત ડોલર અને સુસ્ત સ્થાનિક શેરબજારથી રોકાણકારોની ભાવના નબળી પડી હતી. વિદેશી ભંડોળની આવક ઘટશે તો ભારત માટે મુશ્કેલીના પહાડ તૂટી પડશે. નબળા રૂપિયાને કારણે ભારતને અબજો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. ક્રૂડ ઓઇલનું આયાત બિલ વધશે અને…
સુપ્રીમ કોર્ટે રાજધાની દિલ્હીમાં આશરે 140 કિલોમીટર રેલવે ટ્રેકની આસપાસના લગભગ 48,000 ઝૂંપડપટ્ટીને ત્રણ મહિનામાં હટાવવાનો આદેશ આપ્યો છે. અદાલતોએ તેમાં કોઈપણ પ્રકારનો “સ્ટે” ન આપવો જોઈએ એવી ટકોર કરી છે. 2018 માં, રાષ્ટ્રીય હરીત સત્તામંડળે (એનજીટી) એ આ ઝૂંપડપટ્ટીઓ અંગે ચિંતાઓ દર્શાવતો નિર્ણય આપ્યો હતો. ઝૂંપડપટ્ટી હટાવવાની કામગીરી તબક્કાવાર રીતે થવી જોઈએ. સલામતી ક્ષેત્રમાં થયેલ અતિક્રમણ પહેલા હટાવવું જોઈએ. જે ત્રણ મહિનામાં પૂર્ણ થવું જોઈએ. સુપ્રીમ કોર્ટે ભારપૂર્વક જણાવ્યું છે કે રેલ્વે લાઇનની આજુબાજુના અતિક્રમણને દૂર કરવાના કામમાં કોઈ રાજકીય દબાણ અને દખલગીરી સહન કરવામાં આવશે નહીં. આ પછી, રેલ્વેએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે દિલ્હી-એનસીઆરમાં 70 કિલોમીટરમાં સૌથી…
માર્ગ, પરિવહન અને હાઇવે મંત્રાલયે 1 ડિસેમ્બર, 2019થી દેશભરના રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર તમામ ખાનગી અને જાહેર વાહનો – ફોર વ્હીલર માટે ફાસ્ટટૈગ ફરજિયાત બનાવ્યું છે. હવે પરિવહન મંત્રાલયે ડિસેમ્બર 2017 પહેલાં વેચાયેલા મોટા વાહનોમાં ફાસ્ટટૈગ ફરજિયાત કરારનો એક મુસદ્દો જાહેર કર્યો છે, જે જાન્યુઆરી 2021 થી લાગુ થશે. સરકારે બહાર પાડ્યુ જાહેરનામું માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયની નવી માર્ગદર્શિકા મુજબ, આગામી વર્ષે જાન્યુઆરીથી 1 ડિસેમ્બર, 2017 પહેલાં નોંધાયેલા તે વાહનોમાં પણ ફાસ્ટટૈગ સ્થાપિત કરવું ફરજિયાત રહેશે. આ સિવાય મંત્રાલયે એપ્રિલ 2021 થી અસરકારક થર્ડ પાર્ટી વીમા માટે ફાસ્ટેટૈગ ફરજિયાત બનાવવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે. આ સંદર્ભે, માર્ગ પરિવહન અને હાઇવે…
જો તમે તમારું નેશનલ પેંશન સિસ્ટમ એટલેકે NPS એકાઉન્ટને લોગઈન કરી શકતા નથી તો બની શકે કે, તમારું ખાતુ ફ્રીઝ થઈ ગયુ હશે. NPS એકાઉન્ટ હોલ્ડરને દરેક નાણાકીય વર્ષમાં 1000 રૂપિયા જમા કરાવવાનાં હોય છે. મિનિમમ ડિપોઝિટ એમાઉન્ટ 500 રૂપિયા છે. જો તમે આ રકમ જમા કરાવી નથી તો તમારું ખાતું ફ્રીઝ થઈ શકે છે. જેથી તેને રિ-એક્ટિવેટ કરાવવું જરૂરી છે. તો ચાલો જાણીએ તેને કેવી રીતે રી-એક્ટિવેટ કરાવી શકો છો. NPSમાં યોગદાન આપનારા દરેક કંટ્રીબ્યૂટરને એક પર્મનેન્ટ રિટાયરમેંટ એકાઉન્ટ નંબર એટલે PRAN આપવામાં આવે છે. જો તમારો આ નંબર ફ્રીઝ થઈ ગયો છો તો તમે તેને બેંક અથવા પોસ્ટઓફિસમાંથી…
સુરતના અલથાન વિસ્તારમાં આવેલી ખાડીમાં મહિલાએ પુત્રી સાથે મોતની છલાંગ લગાવી. અગમ્ય કારણોસર મહિલાએ પુત્રી સાથે ખાડીમાં ઝંપલાવ્યુ. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ફાયરના જવાનો દ્વારા માતા પુત્રીની શોધખોળ હાથ ધરવામાં આવી. સુરતમાં ઉદભવેલી રસ્તાની પરિસ્થિતિને લઈને કોંગ્રેસનો અનોખો વિરોધ કર્યો હતો. કતારગામ દરવાજા વિસ્તારમાં કોંગ્રેસે રસ્તા વચ્ચે વિરોધ કરીને ખાડા પૂર્યા હતા. કોંગ્રેસે રસ્તા પર ખાડા પૂરીને વૃક્ષારોપણ કર્યુ હતુ. જો કે આશરે ૧૫થી વધુ લોકોની અટકાયત કરી હતી.
ક્યારેક ક્યારેક અમુક ખોપરી લોકો એવી અજીબોગરીબ હરકતો કરતા હોય છે, આપણે હસવુ તો આવે પણ સાથે સાથે ગુસ્સો પણ આવે. આવું જ કંઈક એક મહિલાએ કર્યુ છે, તેણે એવુ કારનામું કર્યુ કે, સોશિયલ મીડિયામાં રાતોરાત વાયરલ થઈ ગયુ હતું . આ મહિલાને વિમાનમાં ગરમી લાગતા ફ્લાઈટનું ઈમરજન્સી ડોર ખોલી વિંગ પર આંટા મારવા લાગી હતી. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.આ વીડિયો યુક્રેનનો છે. જ્યાં આ મહિલાને ઈમરજન્સી રેસ્પોંસ ટીમે પ્લેનની વિંગ પરથી નીચે ઉતરવા જણાવ્યુ હતું. આ વિમાન તુર્કીથી ઉડાન ભર્યા બાદ યુક્રેન એરપોર્ટ પર ઉતર્યુ હતું. જ્યાં વિમાનમાં સવાર એક મહિલા યાત્રિએ…