વરિયાવ ગામની સીમમાં ખેતરમાં નહેરના પાણી ઘુસી જતા નહેરનો દરવાજો બંધ કરવાના મુદ્દે થયેલા ઝઘડામાં સેગવા ગામના યુવાનોએ હુમલો કરી ખેડુતના દાંત તોડી નાંખતા મામલો જહાંગીરપુરા પોલીસ મથકમાં પહોંચ્યો છે. વરિયાવ-જહાંગીરપુરા રોડ સ્થિત મણીનગર સોસાયટીમાં રહેતા ખેડૂત લલીત ઉર્ફે લલ્લુ ભગવાન પટેલ (ઉ.વ. 48) નું ચાર વિંધાનું ખેતર અટોદરા કેનાલથી છુટી પડતી ટુ એલ કેનાલ પાસે આવેલું છે. જેમાં ગત રોજ નહેરના પાણી ભરાય જતા ઉભા પાકને નુકશાન નહિ થાય તે માટે પુત્ર મિરલ ખેતરે જઇ નહેરનો દરવાજો બંધ કરવા ગયો હતો. પરંતુ ત્યાં નજીકમાં જ ખેતર ધરાવતા વિજયભાઇ (રહે. હળપતિ વાસ, સેગવા-વસવાડી) નામના ખેડૂત સાથે નહેરનો દરવાજો બંધ કરવાના…
કવિ: Satya Day News
સરકારે રાજ્યોમાં જેનેરિક મેડિકલ સ્ટોર એટલે કે પ્રધાનમંત્રી જન ઔષધી સ્ટોરમાંથી 24 કલાક દવા મળી રહે તેવી વ્યવસ્થાની જાહેરાત કરી હતી, પરંતુ સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે વધુ એક વખત જેનરીક મેડીકલ સ્ટોર 24 કલાક ચાલતો નહીં હોવાનું બહાર આવ્યું છે. જેને કારણે દર્દીઓ મુશ્કેલી વેઠી રહ્યા હોવાનું જાણવા મળે છે. ગુજરાત રાજ્યના દર્દીઓને વિવિધ બીમારીઓમા લેવાતી દવાઓ 20થી 80 ટકા સસ્તી મળી રહે તે માટે રાજ્ય સરકારે રાજ્યભરમાં પ્રધાનમંત્રી જન ઔષધી સ્ટોર એટલે કે જેનરીક મેડીકલ સ્ટોરમા 24 કલાક દવાઓ મળશે. તેવી વ્યવસ્થા શરૂ કરી છે. આવા સમયે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પણ જેનેરિક મેડિકલ સ્ટોર શરૂ કરવામાં આવ્યો…
અમરોલી વિસ્તારમાં રહેતી કોલેજીયન યુવતીના પરિવારે લગ્ન કરાવવાનો ઇન્કાર કરતા પ્રેમીએ જબરજસ્તી ઘરમાં ઘુસી જઇ અશ્લિલ હરકતો કરવા ઉપરાંત તેની માતાને બોલાવી જાતિ વિષયક અપશબ્દો ઉચ્ચારવાની સાથે હું સોશીયલ વર્કર છું અને રાજકારણમાં મારી બહું ઓળખાણ છે તેવી ધમકી આપ્યાની ફરિયાદ અમરોલી પોલીસ મથકમાં નોંધાય છે. મૂળ નર્મદા જિલ્લાની પરંતુ હાલમાં અમરોલી વિસ્તારમાં રહેતી કોલેજીયન યુવતી મમતા (નામ બદલ્યું છે)નો પરિચય ફેસબુક પર નિલય વસંદ મોદી (રહે. ખોડિયાર નગર ટેનામેન્ટ, ભટાર રોડ) સાથે થયો હતો અને તેઓ સમયાંતરે ફોન પર વાતચીત કરતા હતા. દરમિયાનમાં ગત માર્ચ મહિનામાં મમતા અને નિલય પ્રથમ વખત મળ્યા હતા અને તેઓ વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. મમતા…
મુંબઈના અંધેરી વીરા દેસાઈ રોડ વિસ્તારની એક બિલ્ડિંગમાં આગ લાગવાથી ભાગદોડ મચી ગઈ છે. આ આગ દેસાઈ રોડ સ્થિત પેનુશુલા બિલ્ડિંગમાં લાગી છે. ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવામાં કાર્યરત છે. ફાયર બ્રિગેડે અત્યાર સુધી 3 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે. બિલ્ડિંગમાં વધુ કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા છે. ઘટના સ્થળે રેસ્ક્યુ ઑપરેશન ચાલુ છે. આ બિલ્ડિંગ 17 માળની છે અને આ આગ એસીમાં લાગી જે બાદ તેણે બિલ્ડિંગની ઉપરના ફ્લોરને પોતાની ચપેટમાં લીધો છે.
ઓડિશાના ગંજામ જિલ્લાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં અંતિમ સંસ્કાર માટે લઇ જવા દરમિયાન વ્યક્તિ જીવતો થઇ ગયો. હકીકતમાં, જે વ્યક્તિને લોકો મૃત સમજીને અંતિમ સંસ્કાર કરવા લઇ ગયાં હતાં, તે અચાનક પોતાનું માથુ હલાવવા લાગ્યો અને તે જીવંત નીકળ્યો. તેનાથી કેટલાંક લોકો એટલા ગભરાઇ ગયાં હતાં કે ત્યાંથી ભાગી ગયા. જો કે તરત જ વ્યક્તિને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જ્યાં ડોક્ટરે જણાવ્યું કે સારવાર બાદ વ્યક્તિની હાલત સ્થિર છે. ડોક્ટરે જણાવ્યું કે કપકહાલા ગામમાં ગ્રામીણ સીમાંચક મલિકને અંતિમ સંસ્કાર માટે લઇ જવામાં આવ્યો હતો. પરંતુ તેને માથુ હલાવતા જોઇને તેને સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર લઇ જવામાં આવ્યો હતો. ડોક્ટરે…
અંડરવલ્ડ ડૉન અને 1993ના મુંબઈના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોના માસ્ટર માઈન્ડ દાઉદ ઈબ્રાહિમ ભારત-ઈન્ડોનેશિયા વચ્ચે સંબંધોમાં ફૂટ પડાવવાનું કારણ બની શકે છે. દાઉદના ખાસ શૂટર મુન્ના ઝિંગડા ઉર્ફે મોહમ્મદ સલીમને થાઈલેન્ડે પાકિસ્તાનને સોંપી દીધો છે. તેથી ભારત અને થાઈલેન્ડના દ્વીપક્ષીય સંબંધો ખરાબ થઈ શકે છે. થાઈલેન્ડના જાણીતા સમાચારપત્ર ‘ધી નેશન થાઈલેન્ડે’ ભારત સરકારના સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે, અમે થાઈલેન્ડની ન્યાય પ્રક્રિયાનું સન્માન કરીએ છીએ. પરંતુ આ નિર્ણયથી અમને ભારે આશ્ચર્ય થયું છે. ભારત સંબંધોની સમીક્ષા કરે તેવી શક્યતા છે. એક દોષિત આરોપીના પ્રત્યર્પણ માટે બેંકોક ભારત અને પાકિસ્તાન વચ્ચે ફસાયેલુ છે. દાઉદના ખાસ મુન્નાનો કેસ થાઈલેન્ડની કોર્ટમાં ભારત વિરુદ્ધ ગયો…
ગુજરાત યુનિવર્સિટીમાં એમબીએ-એમએસસી આઈટી તેમજ લૉ સહિતના પાંચ વર્ષના 10થી વધુ જુદા જુદા ઈન્ટિીગ્રેટેડ કોર્સ ચાલે છે. જેમાં હાલ દરેક કોર્સમાં ત્રણ વર્ષના યુજી અને બે વર્ષના યુજી-પીજીના અલગ અલગ ફોર્મેટ તેમજ અલગ અલગ ક્રેડિટ ગુણ છે. જેને લઈને મુશ્કેલીઓ ઉભી થતી હોવાથી યુનિ.દ્વારા હવે આ તમામ ઈન્ટિગ્રેટેડ કોર્સને એક જ ફોર્મેટ અને એક સ્ટ્રકચરમા બદલવાનો નિર્ણય કર્યો છે. જેમાં ચાર વર્ષે યુજી ઓનર્સની ડિગ્રી અપાશે અને પાંચમુ વર્ષ પીજીનું રહેશે. સિન્ડીકેટમાં કુલપતિએ પ્રસ્તાવ મુક્યો જેને હાલ પ્રાથમિક તબક્કે મંજૂરીઃ યુનિ.માં ચાલતા 10થી વધુ કોર્સના ક્રેડિટ ગુણ, માર્કિંગ પેટર્ન પણ કોમન કરાશે. ગુજરાત યુનિ.માં બી.કે સ્કૂલ ઓફ મેનેજમન્ટ તેમજ કે.એસ…
સુરતમાં છેલ્લા ચોવીસ કલાકમાં હત્યાની બીજી ઘટના પ્રકાશમાં આવી સુરતના માન દરવાજા વિસ્તારમાં આવેલા ટેનામેન્ટમાં રહેતા યુવકની અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ ચપ્પુ વડે ઉપરાછાપરી ઘા ઝીંકી હત્યા કરી નાંખી. યુવકની હત્યા કોણે અને શા માટે કરી તે અંગેનું કારણ જાણી શકાયું નથી. હત્યાની આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં પણ ભયનો માંહોલ ઉભો થયો. કેટલાક અસામાજિક તત્વો અહીં પોતાનો અડીગો જમાવી ત્યાંથી પસાર થતી યુવતીઓની મશ્કરી પણ કરતા હોવાના આક્ષેપ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યા. ચરસ -ગાંજા સહિત જુગાર જેવી પ્રવૃતિઓ પણ ધનસધમતી હોવાની રાવ સ્થાનિક લોકોએ કરી. હત્યાની ઘટના બાદ ટેનામેન્ટમાં રહેતા લોકો વચ્ચે રીતસર નાશભગ મચી. જ્યાં ઘટનાની જાણકારી મળતા સલાબતપુરા…
છેલ્લા ઘણા રિસર્ચમાં સામે આવ્યું છે અલ્જાઈમરનો રોગને ઉંઘ સાથે પણ જોડાયેલો છે. પરંતુ એક નવી શોધમાં દાવો કરવામાં આવ્યો છે. કે વધારે ઉંઘ લેવાથી યાદશક્તિ પર ઉંડી અસર થાય છે. ઉલ્લેખનીય છે કે વૈજ્ઞાનિકોએ શોધ્યું છે કે જે કોઈપણ મનુષ્ય નવ કલાકથી વધારે ઉંઘ લે છે તે તેની ભાષા કૌશલ્ય અને યાદશ્કિતપર ઉંડી અસર અને તેમાં ઘટાડો જોવા મળે છે.એ લોકોમાં એક ખતરો જોવા મળ્યો હતો જે છ કલાકની ઉંઘ લે છે. સંશોધન પછી, વૈજ્ઞાનિકોએ દાવો કર્યો હતો કે સાત કે આઠ કલાકની ઉંઘ લેવી વધુ સારું છે અને આ આ જોખમોથી બચી શકે છે. જોકે સંશોધનકારોને સંપૂર્ણ ખાતરી…
કર્ણાટકના કનકપુરા ગામમાં બુધવારે એર અનોખી ઘટના સર્જાઈ હતી. જેમાં આસપાસના ગામો માંથી પણ લોકો પણ તે ઘટનાને નિહાળવા માટે અહીં આવી રહ્યાં છે. બેંગલુરુથી 60 કિલોમીટર દૂર આવેલા આ ગામમાં કંઈક એવું દેખાયું છે, જે તમને દાંત હેઠળ આંગળીઓ દવાબી દેવા માટે મજબૂર કરી દેશે. ગામના લોકોને એક ખેતરમાં સાત માથા વાળા સાંપની કાચળી મળી આવી છે. આ ગજબની કાંચળી જોઈને લોકોમાં આશ્ચર્ય અને ભયનો માહોલ છે. ઉલ્લેખનીય છે કે લોકો સાપની કાંચળી ગામના મંદિરમાં લઈ ગયા છે અને હળદર-કુમકુમ લગાવી તેની પૂજા-અર્ચના કરી રહ્યાં છે. હિન્દુ માયથોલૉજી અનુસાર, શેષનાગને સાત માથા હતા. કાંચળી જોઈને ગ્રામજનોને વિશ્વાસ થઈ ગયો…