રામોલમાં પીએસઆઇ ઉપર હુમલો કરનાર 3 બુટલેગરોએ ગુજરાતી ગાયિકાને ચપ્પાની અણીએ તેનું અપહરણ તેની જ ગાડીમાં લઇ ગયા હતાં અને જાનથી મારી નાંખવાની ધમકી આપી રૂ.1 લાખની ખંડણી માંગી રૂ.10 હજાર પડાવી લીધા હતાં. જે પેટે ગાયિકાએ રૂ.10 હજાર આપતા તેને દસ્તાન સર્કલ પાસે છોડી દીધી હતી. આ ઘટના અંગે ગાયિકા ભૂમિ પંચાલે ત્રણેય આરોપી વિરુદ્ધ ફરિયાદ કરી છે. પર્સમાંથી 10 હજાર લઈને છોડી દીધી પરમેશ્વર પાર્કમાં રહેતી ભૂમિ પંચાલ અને કારમાં ફોટોગ્રાફર પાર્થ પટેલની સાથે સાઉન્ડવાળાને રૂપિયા આપવા ગઇ હતી ત્યારે અક્ષય પટેલ અને અજિત વાઘેલાએ ભૂમિને ફોન કરી કહેલું કે, તું નવરાત્રિમાં બહુ રૂપિયા કમાઇ છે મને રૂ.1…
કવિ: Satya Day News
ઉત્તર પ્રદેશના શામલી શહેરમાં કૈરાના વિસ્તારમાં એક માછલી પર ‘અલ્લાહ’લખેલું દેખાઈ રહ્યું છે. આ માછલીને જોવા માટે લોકોની ભીડ ઉમટી રહી છે. ફિશ પર ‘અલ્લાહ’ ઉપસેલું જોઈને લોકોએ 5 લાખ સુધી બોલી લગાવી દીધી છે. માછલીના માલિક શબાબ અહમદે જણાવ્યું કે, આ ફિશ મેં એક્વેરિયમમાં રાખી છે. હું તેને 8 મહિના પહેલાં લઈને આવ્યો હતો. માછલી જેમ-જેમ મોટી થઈ રહી છે, તેમ તેના પેટ પર પીળા રંગથી ‘અલ્લાહ’ લખેલું દેખવા લાગ્યું. શબાબે કહ્યું કે, આ માછલી જ્યારથી મારા ઘરે આવી છે, ત્યારથી મારા ઘરે પ્રગતિ થઈ થઈ રહી છે, આ માછલી અમારા ઘર માટે લકી છે. ઘણા લોકો આ માછલીને…
ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ હેઠળ આવતા વેપારીઓએ હવે મેન્યૂઅલ ઇન્વોઇસ બનાવાનું રહેશે નહીં તેમના માટે ઓનલાઇન ઇ-ઇન્વોઇસ મૂકવામાં આવ્યું છે. 1 જાન્યુઆરી 2020થી નવું ઇ-ઇન્વોઇસ લાગુ થશે. વેપારીઓ પોતાના સોફ્ટવેર સાથે આ ઇ-ઇન્વોઇસને સેટ કરી શકે તેમજ પ્રેક્ટિસ કરી શકે તે માટે ત્રણ મહિનાનો સમય અપાયો છે. સરકારનો મૂળ ઉદ્દેશ કરચોરી રોકવા માટે ઇ-ઇન્વોઇસ લાગુ કરવાનો છે. ગાઇડલાઇન ઓનલાઇન મૂકવામાં આવી સીબીઆઇસીએ 1 જાન્યુઆરી 2020થી જીએસટી કરદાતા માટે ઇ-ઇન્વોઇસિંગની પ્રોસેસિંગ શરૂ થશે. દરેક વેપારીઓએ ઇ-વે બિલની જેમ ટેકસ ઇન્વોઇસ પણ ઓનલાઇન બનાવાનું રહેશે. સીબીઆઇસીએ ઇ-ઇન્વોઇસનું ફોર્મેટ સોફ્ટવેરની ગાઇડ લાઇન બહાર પાડી છે. શરૂઆતમાં દરેક વેપારીએ મેન્યૂઅલ સાથે ઇ-ઇન્વોઇસ બનાવવું પડશે.…
દર વર્ષની જેમ ચાલુ વર્ષે માદરે વતન જતા ડાયમંડ વેપારીઓ અને રત્ન કલાકારો પાસેથી વસૂલવામાં આવતા એસ.ટી.ના ભાડા અંગે મુખ્ય પરિવહન અધિકારી દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ વધારાના ભાડા સિવાય ફક્ત રૂટિન ભાડું વસુલવા એસ.ટી.નિયામક દ્વારા જાહેરાત કરવામાં આવી છે.જેને લઈ ડાયમંડ વેપારીઓ અને રત્ન – કલાકારોમાં ખુશી વ્યાપી ગઈ છે. સુરત ડાયમંડ એસોસસિયેશન ખાતે આ અંગે એક પત્રકાર પરિષદ નું આયોજન કરાયું હતું. જ્યાં ડાયમંડ એસોસિયેશન ના નવનિયુક્ત પ્રમુખ બાબુભાઇ કાઠીરીયાએ જણાવ્યું કે,ગત વર્ષે દિવાળી ના તહેવારો દરમ્યાન માદરે વતન જતા રત્ન – કલાકારો અને હીરા વેપારીઓ પાસેથી વધારાનું ભાડું વસુલવામાં આવ્યું હતું.જે અંગે રાજ્યના મુખ્ય…
યુપીના કુશીનગરમાં એક સરકારી અધિકારીએ અડધી રાતે મંદિર ખોલાવીને તાબડ તોબ લગ્ન કર્યા હોવાનો કિસ્સો ચર્ચાનો વિષય બની ગયો છે. યુપીના સરકારી અધિકારી દિનેશ કુમાર પહેલા ખડ્ડા નામના જિલ્લામાં એસડીએમ હતા.આ દરમિયાન તેઓ ચાર વર્ષથી એક યુવતી સાથે લિવ ઈન રિલેશનશિપમાં રહેતા હતા.એક મહિના પહેલા દિનેશ કુમારની ખડ્ડાથી હાપુડમાં બદલી થઈ હતી.તેમની સાથે રહેનાર યુવતી રેણુ પણ પાછળ પાછળ તેમની નવી ઓફિસ સુધી પહોંચી હતી. સમજાવવાની કોશિશ કરાઈ પણ… એવુ કહેવાય છે કે, યુવતીએ દિનેશ કુમારના ઉપરી અધિકારી એટલે કે કલેક્ટરને પોતાના સબંધોની જાણકારી આપીને લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. યુવતીને સમજાવવાની કોશિશ કરાઈ હતી પણ તે નહી માનતા…
કાનપુરના નર્વલ સ્થિત નરૌરા ગામમાં ગુરૂવારે રાત્રે પત્નીને પ્રેમીની સાથે આપત્તિજનક હાલતમાં જોઈને પતિએ મોટા ચાકુથી બંનેના ગળા કાપી નખ્યાં. ત્યાર બાદ પોતે જ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી ઘટનાની જાણકારી આપી. પોલીસે પતિને ચાકુ સાથે એરેસ્ટ કરી લીધો. શુક્રવારે સવારે એસએસપી અનંત દેવ, એસપી ગ્રામીણ પ્રદ્ધુમ્ન સિંહ અને ફોરેન્સિક ટીમ ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું. નરોરા ગામ નિવાસી રાજેશ કુરિલ મજુરી કરે છે. પરિવારમાં પત્ની સુનીતા સિવાય બે બાળકો મુકેશ અને શનિ સાથે પુત્રી કંચન પણ છે. રાજેશે જણાવ્યું કે છેલ્લાં ચાર વર્ષોથી સુનીતાના ફતેહપૂર નિવાસી મનીષ સાથે અવૈધ સંબંઘો હતા. મનીષ સંબંધમાં તેનો ફુઆનો છોકરો લાગતો હતો. તે હંમેશા…
અભિનેત્રી શ્રૃતિ હસને બોલીવુડમાં ભલે ઓછી ફિલ્મો કરી હોય પરંતુ તે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સતત સક્રિય છે. ગત કેટલાંક સમયથી તે પોતાના અંગત જીવનને લઇને પણ ચર્ચામાં રહી છે. હવે શ્રૃતિએ પોતાના વિશે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. શ્રૃતિએ પહેલીવાર સ્વીકાર્યુ કે તેને દારૂની ખોટી લત લાગી ગઇ હતી. એક શૉમાં પહોચેલી શ્રૃતિએ કહ્યું કે તેને દારૂ પીવાની આદત હતી. દારૂની લતના કારણે તેના કરિયર પર અસર પડી. આ અસર એટલી વધુ હતી કે કેટલાંક સમય માટે તેણે અભિનયમાંથી બ્રેક લેવો પડ્યો હતો. શ્રુતિએ જણાવ્યું કે, હું છેલ્લા એક વર્ષથી નશાથી દૂર છુ અને તે પછી મે દારૂને હાથ પણ…
લંડનના બ્રેંટફોર્ડ વિસ્તારમાં રહેતા માર્ટિન અને ડેબ્રા ઓલિવર પોતાના લગ્નની 42મી વર્ષગાંઠ ઉજવવા પૂર્વી સસેક્સના વિનચેલ્સિયાના સમુદ્ર કિનારે ગયા હતા. અહીં તેમને એક સીપ મળી. ડેબ્રાના જણાવ્યાનુસાર આ સીપ થોડી વિચિત્ર દેખાતી હતી. તેમણે જ્યારે તેને હાથમાં લઈ જોઈ તો તે એકદમ ઓસામા બિન લાદેનના ચહેરા જેવી દેખાતી હોવાનું લાગ્યું. આશ્ચર્યની વાત એ છે કે લાદેનના મૃતદેહને પણ સમુદ્રમાં ફેંકવામાં આવ્યો હતો. ડેબ્રાના જણાવ્યાનુસાર તેને સીપ એકઠી કરવાનો શોધ છે. જો કે આ પહેલીવાર છે જ્યારે તેને લાદેનના ચહેરા જેવી દેખાતી સીપ મળી. તેણે જણાવ્યું કે જ્યાંથી તેને આ સીપ મળી ત્યાં લાખોની સંખ્યામાં ચમકીલા પથ્થર અને સીપ જોવા મળે…
બહારની મોટી મોટી હોટેલ અને રેસ્ટોરામાં જીવડા, જીવાત વંદા મળવાની ઘટનાઓ વધારે જોવા મળી રહી છે. ત્યારે લોકો માટે એ સવાલ સર્જાયો છેકે ખાવું તો ખાવું શું. લોકો ઘરનું ભોજન બનાવીને જ ખાશે. પરંતુ ઘરે ભોજન બનાવવા માટે પણ સામગ્રી તો બહારથી જ લાવવી પડે. ત્યારે આ સામગ્રી પણ જીવડા જીવતાથી અછૂતી નથી રહી. વાત છે સુરતની જ્યાં એક શોપિંગ મોલમાં ગોળમાંથી ઇયળો અને જીવાતો મળી આવી. ગોળમાંથી ઇયળ અને જીવાતો મળી આવવાની ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં ઘણા બધા સીલબંધ ડબ્બામાં ઇયળ અને જીવાતો જોવા મળી છે. ત્યારે આ વીડિયો સુરતના કતારગામ વિસ્તારના ધીરજ સન્સ…
સુરતના સીંગણપોર ચાર રસ્તા ખાતે રહેતા 57 વર્ષીય હીરાના કારખાનેદારે ત્રણ માસ અગાઉ કામરેજની મહિલા સાથે લીવ ઇન રીલેશનશીપમાં રહેવા માંડયું હતું પરંતુ આ મહિલાએ પતિ સાથે છૂટાછેડા લીધા વિના જ લિવ ઇન રીલેશનશીપ કરાર કરતાં ઉશ્કેરાયેલા તેના પતિએ હીરા કારખાનેદારને જાનથી મારી નાખવાની ધમકી આપ્યા બાદ તેમને બદનામ કરતો એક વિડીયો ફેસબુક ઉપર વાયરલ કર્યો હતો. કેન્સરની બિમારીથી પત્નીનું થયું હતું અવસાન પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ બોટાદના ગઢડા તાલુકાના ઉગામેડી ગામના વતની અને સુરતમાં સીંગણપોર ચાર રસ્તા પાસે અક્ષરદીપ સોસાયટીમાં રહેતા 57 વર્ષીય વિનુભાઈ ઉર્ફે વી.બી ભુપતભાઈ મોરડીયાનું કતારગામ ગોતાલાવાડીમાં હીરાનું કારખાનું છે. એક વર્ષ…