પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બુદ્ધદેવ ભટ્ટાચાર્યને શુક્રવારે શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેઓ ICUમાં સારવાર હેઠળ હતા. આજે સવારે રાજ્યના વર્તમાન મુખ્ય પ્રધાન મમતા બેનરજી ભટ્ટાચાર્યની તબિયતના ખબર પૂછવા હૉસ્પિટલમાં જઇ આવ્યાં હતાં. ગવર્નર જગદીપ ધનખડે પણ ભટ્ટાચાર્યની મુલાકાત લીધી હતી અને તેમની સાથે પંદર મિનિટ વાત કરી હતી. ભટ્ટાચાર્યની તબિયત સ્થિર હોવાનું ડૉક્ટરોએ કહ્યું હતું. ગઇ કાલે રાત્રે તેમને એક યુનિટ બ્લડ અપાયું હતું, તેમના લોહીમાં હિમોગ્લોબિન ઓછું હોવાનું ડૉક્ટરોએ કહ્યું હતું. એના કારણે WBC કાઉન્ટ વધી ગયા હતા. જોકે, હવે તેમની તબિયત કાબુમાં આવી ગઇ છે અને શરીરમાં હવે ઓક્સિજનનું પ્રમાણ પણ સંતોષકારક…
કવિ: Satya Day News
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને તેમના વિદેશ મંત્રી, રક્ષા મંત્રી અને ઘણા સૈન્ય અધિકારીઓ સાથે LoCની મુલાકાત લીધી અને ત્યાં જઈને આસપાસનાં ગામલોકો સાથે વાતચીત કરી. આ પહેલાં પાકિસ્તાન આર્મી ચીફ જનરલ બાજવાએ ભારતને યુદ્ધની ધમકી આપી હતી અને કહ્યું હતું કે, પાકિસ્તાન છેલ્લી ગોળી સુધી લડશે. પાકિસ્તાની સેના પ્રમુખે કહ્યું કે, કશ્મીર આજે બળી રહ્યું છે અને અમે છેલ્લી ગોળી અને છેલ્લા શ્વાસ સુધી લડશું. પાકિસ્તાની સેના આ માટે કોઇપણ હદ સુધી જવા તૈયાર છે. તેમણે એમ પણ કહ્યું કે, યુદ્ધનાં વાદળ મંડરાઈ રહ્યાં છે, પરંતુ અમે અમને શાંતિની આશા છે. તેમણે કહ્યું, “કશ્મીરની જનતા ભારતની હિંદુવાદી સરકાર અને ત્યાંની…
ચંદ્ર સપાટીથી 2.1 કિમી દૂર લેંડર વિક્રમ સાથે સંપર્ક તૂટી ગયો ચંદ્રયાન -2 મિશનને સંપૂર્ણ નિષ્ફળતા કહી શકાય નહીં મધ્યરાત્રિ હતી અને આખું દેશ લેન્ડર વિક્રમની આતુરતાથી રાહ જોઈ રહ્યું હતું કે તે ચંદ્રની ભૂમિને ચુંબન કરે અને આનંદમાં દુર્ભાગ્યે તે બન્યું ન હતું, પરંતુ તે ભારત અને ઇસરોની નિષ્ફળતા નથી. ચંદ્રયાન -2 દ્વારા ભારતે અંતરિક્ષ વિજ્ઞાનમાં નવો ઇતિહાસ રચ્યો છે. ભલે ચંદ્ર પર ઉતરાણ કરનાર, વિક્રમનો સંપર્ક ખોવાઈ ગયો હતો, પરંતુ દોઢ અબજ ભારતીયોની અપેક્ષાઓ તૂટી નથી. રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સહિત ઘણા નેતાઓએ ઇસરોને કહ્યું છે કે દેશને તેમના…
સામાન્ય રીતે સિંહો માટે એવું કહેવાય છે કે સિંહોના ટોળા હોતા નથી, એ તો જંગલનો રાજા છે. એ તો એકલો જ વિહરવા નીકળે, પરંતુ ઘોર કળિયુગમાં બધું સંભવ છે. સિંહો ઘાસ ખાતા હોય તો સિંહોના ટોળા કેમ ના હોય. હાલ અમરેલીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જે વીડિયોને લઇને સોશિયલ મીડિયામાં ભારે ચર્ચાઓ થઇ રહી છે. સામાન્ય રીતે સિંહ સમુહમાં રહેતો નથી, તેને એકલવાયું જીવન પસંદ છે. જેથી અમરેલીનો વાયરલ થયેલો વીડિયો હાલ ભારે ટ્રેન્ડ કરી રહ્યો છે. તમને જણાવી દઇએ કે, અમરેલીમાં તાજેતરમાં સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થયો છે તે એ વાતની સાક્ષી પુરે છે…
દેશ એ ક્ષણની રાહ જોઇ રહ્યો છે જ્યારે ચંદ્રયાન-2 ચંદ્રનાં દક્ષિણ ધ્રુવ પર સૉફ્ટ લેન્ડિંગ કરશે. ભારતનાં અંતરિક્ષ કાર્યક્રમ માટે આજનો દિવસ ઐતિહાસિક છે. રાત્રે દોઢથી અઢી વાગ્યાની વચ્ચે દક્ષિણી ધ્રુવ પર ચંદ્રયાન-2 ઉતરશે. 7 સપ્ટેમ્બરની રાત્રે લગભગ 1.38 વાગ્યે ચંદ્રયાન-2 ચંદ્ર ઉપર 35 કિમીની ઊંચાઈથી સપાટી પર જવાનું શરૂ કરશે. લગભગ 10 મિનિટ પછી 7.4 કિમીની ઊંચાઈથી આના પર બ્રેક લગાવવામાં આવશે. આ બ્રેક તેના એન્જિનને અલગ દિશામાં સ્ટાર્ટ કરશે. લગભગ 2 મિનિટ પછી 1.50 વાગ્યે વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટીનું મેપિંગ શરૂ કરશે, ત્યારબાદ ઠીક બે મિનિટ પછી એટલે કે 1.52 વાગ્યે વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટીની સૌથી નજીકની તસવીર…
કાશ્મીરમાંથી કલમ 370 હટતા ગિન્નાયેલ પાકિસ્તાન દરરોજ બેફામ નિવેદનબાજી કરવામાંથી બાજ આવતું નથી. દરરોજ ભારત વિરૂદ્ધ ઝેર ઓકવાનું કામ કરે છે. પાકિસ્તાનના આર્મી ચીફ કમર જાવેદ બાજવાએ ફરી કાશ્મીરના રોદણા રોતા-રોતા બકવાસ કર્યો છે. શુક્રવારે બાજવાએ કહ્યું કે કાશ્મીર અમારી દુ:ખતી નસ છે. અમે કાશ્મીરી ભાઇ બહેનો માટે છેલ્લી ગોળી, છેલ્લા સિપાહી, છેલ્લા શ્વાસ સુધી દરેક ફરજ નિભાવા તૈયાર છીએ. એટલે સુધી કહીદીધું કે અમે દરેક પ્રકારની કુર્બાની આપવા માટે તૈયાર છીએ. આ વાત બાજવાએ રાવલપિંડીમાં આર્મી હેડક્વાર્ટરમાં એક કાર્યક્રમ દરમિયાન કહી હતી. બાજવા એ કહ્યું કે પાકિસ્તાને આતંકવાદના મુદ્દા પર તેની જવાબદારી વધુ સારી રીતે નિભાવી છે. હવે સમય…
એક પતિએ પોતાની પત્નીને તલાક આપવા માટે જે કારણ જણાવ્યું તે સૌને ચોંકાવનારૂં છે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં એક વ્યક્તિએ અરજી દાખલ કરીં છે. અરજીમા આરોપ લગાવવામા આવ્યો છે કે, પત્ની તેના માવતર સાથે ફોનમા વાતો કર્યા કરે છે અથવા તેના ઘરે જવાનું જ પસંદ છે. આરોપ છે કે તેની પત્ની તેના માટે જમવાનું પણ બનાવતી નથી. એવામા એને ભૂખ્યા પેટે સવારે કામ કરવા જવું પડે છે. હવે તેને પત્ની પાસેથી તલાક જોઈએ છે. મીડિયા રિપોર્ટ મુજબ, ચંદીગઢમા રહેનાર એક વ્યક્તિએ તલાક માટે જિલ્લા કોર્ટમા પણ અપીલ કરીં હતી. અપીલ ફગાવ્યા બાદ એમણે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમા અરજી આપી. કોર્ટમાં…
અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલી બહુમાળીના ત્રીજા માળેથી નીચે પટકાતા 25 વર્ષીય યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. લોકોની ભારે અવરજવર રહેતા બહુમાળી બિલ્ડીંગના ત્રીજા માળેથી યુવક કઈ રીતે નીચે પટકાયો તેનું રહસ્ય ઘેરાય રહ્યું છે. બહુમાળી બિલ્ડીંગ માં બનેલી આ વિચિત્ર ઘટના અગાઉ યુવકે પોતાના મિત્રને એક મેસેજ પણ મોબાઈલ પર કર્યો હતો. જેમાં લખ્યું હતું કે, “મારા શરીર માં કોઈ ઘુસી ગયું છે અને તે મને ટેરેસ પર લઈ આવ્યું છે. મારી પાસે ચાલીસ હજાર રૂપિયા રોકડા પડ્યા છે અને તું મને બચાવવા આવ”. સરકારી કચેરી માં બનેલી આ ઘટના હવે પોલીસ માટે તપાસ નો વિષય બની છે.…
આર્થિક મંદીની વચ્ચે કેન્દ્રની તરફથી રાહતની જાહેરાત થઇ શકે છે. કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે સરકારની તરફથી જીએસટીના દરોમાં ઘટાડાની વાત કહી છે. જીએસટી દરોમાં ઘટાડાથી મંદીનો સૌથી વધુ માર ઝીલી રહેલા ઓટો સેકટરને રાહત મળવાની આશા છે. ઓટો સેકટરની તરફથી સરકારને સતત જીએસટી દરોમાં ઘટાડો કરવાની માંગણી કરાઇ રહી છે. કેન્દ્રીય મંત્રી મેઘવાલે કહ્યું કે દિવાળી આવવાની છે. મેઘવાલે આ વાત ઓટો કંપોનન્ટ મેન્યુફેકચર્સના મંચ પરથી કહી. ઓટો સેકટર 28 ટકા જીએસટી દરમાંથી ઘટાડો કરીને 18 ટકા કરે તેની માંગણી કરી રહ્યું છે. જો સરકાર ઑટો સેકટરની માંગણી માની લે છે તો તેનાથી ઓટો સેકટરની સાથે કાર ખરીદનારા લોકોને…
પાર્લે પોઇન્ટ વિસ્તારમાં જર્જરિત એપાર્ટમેન્ટનો સ્લેબ ધરાશાઈ થતા સુરત ફાયર વિભાગ દોડતું થઇ ગયું હતું. વર્ષો જુના એપાર્ટમેન્ટ નું મેન્ટેનન્સ ન કરવામાં આવતું હોવાના કારણે સ્લેબ જર્જરિત થઇ ઘરાશાઈ થયો હતો. જેના કારણે એપાર્ટમેન્ટ માં રહેતા લોકો ના જીવ ટાળવે ચોંટી ગયા હતા. ફાયર વીભાગ તાત્કાલિક ઘટના સ્થળે પોહચી કામગીરી હાથ ધરી હતી. સુરતના પાર્લે પોઇન્ટ વિસ્તારમાં વર્ષો જૂનું અંજન સલાકા કોમ્પ્લેક્સ આવેલ છે. આ કોમ્પ્લેક્ષ ના સ્લેબનો ભાગ ધરાશાઈ થતા અંદર રહેતા લોકો તાત્કાલિક બહાર દોડી આવ્યા હતા. છજિયાનો ભાગ ધરાશય થતા ઘટનાની જાણકારી સુરત ફાયર વિભાગને કરવામાં આવી હતી. ફાયરે ઘટના સ્થળે પોહચી કામગીરી હાથ ધરી હતી. પોષ…