Surya Press: ગુજરાતનું ભરતી કૌભાંડી મોડલમાં 11 પેપર લીક, 201 આરોપી, સિલેક્શન બોર્ડના ચેરમેનનું રાજીનામું, પણ એક પણ સજા થઈ નથી. ભરતી કૌભાંડો સરકારી સમર્થન વિના શક્ય નથી. ભાજપના અગ્રણી નેતા અને નરેન્દ્ર મોદીના નજીકના નેતા અને મણીનગર વિધાનસભા બેઠક પર પ્રભુત્વ ધરાવતાં અસિત વોરાએ એક કુખ્યાત કૌભાંડ બાદ પસંદગી મંડળના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. એ જ રીતે પેપર લીક મુદ્દે જે પ્રિન્ટિંગ પ્રેસ સમાચારોમાં હતી તેણે એક સમયે મોદીનું પુસ્તક છાપ્યું હતું. ભાજપના ચૂંટણી ઢંઢેરામાં મોદીની એક બાંયધરી કહે છે કે ‘અમે સરકારી ભરતી પરીક્ષાઓમાં ગેરરીતિઓને રોકવા માટે કડક કાયદો બનાવ્યો છે. હવે, અમે આ કાયદાનો કડક…
કવિ: દિલીપ પટેલ
Exit polls: 1 તારીખે એક્ઝિટ પોલ લોકોનાં મગજ ફેરવી નાખશે એક્ઝિટ પોલ કેટલા સાચા કેટલા ખોટા 2019માં એક્ઝિટ પોલ ભાજપ માટે સાચા રહ્યાં, પણ કોંગ્રેસ માટે ખોટા હતા. 1 જૂન 2024માં મતદાનનો છેલ્લો તબક્કો સાંજે 6 વાગ્યે પૂર્ણ થતાં જ 892 ખાનગી ટેલિવિઝન સેટેલાઇટ ચેનલોમાંથી ન્યૂઝ અને કરંટ અફેર્સની 403 ઉપગ્રહ આધારિત ટેલિવિઝન ચેનલો પર કોની સરકાર બનશે તેના સમાચાર શરૂ થઈ જશે. 23 કરોડ ટેલિવિઝન સેટમાં દરેક ઘરમાં તે સમાચાર પહોંચી જશે. સૂચના અને પ્રસારણ મંત્રાલયે કહ્યું છે કે તેણે 1031 ચેનલોને પરવાનગી આપી હતી, પરંતુ બાદમાં 139ની પરવાનગી રદ કરી હતી. 30 જૂનની યાદી મુજબ સામાન્ય મનોરંજન ચેનલોની…
Lok Sabha Election: લોકસભાની ચૂંટણી સમયે નફરત અને વિભાજનકારી ભાષણો થયા છે. ખુલ્લેઆમ ધર્મના નામે ધ્રુવીકરણની વાતો થઈ રહી છે, જેના કારણે પાર્ટી ખુલ્લેઆમ વિભાજનના માર્ગ પર ચાલી રહી છે. આ ઉદ્દેશ્યને પૂર્ણ કરવામાં વડાપ્રધાન મોદી, ગુજરાતના મુખ્ય પ્રધાનની ભૂમિકામાં પાછા ફર્યા છે. મોદીએ 2002ના કોમી તોફાનો બાદ ચૂંટણી જીતવા માટે ગુજરાતમાં ગૌરવ યાત્રા કાઢી હતી. 30 વર્ષથી લોકસભા અને વિધાનસભાની કોઈપણ ચૂંટણીમાં નફરતી વાતો ફેલાવવામાં આવે છે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વખતે અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. લઘુમતી સમુદાય મુસ્લિમો પર હુમલો કરીને વિક્રામ તોડી નાંખ્યો છે. ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરતી વખતે, મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે…
Gujarat: 2024માં નીતિ આયોગ તેંડુલકર સમિતિની ગરીબી રેખા અપનાવીને કામ કરી રહી છે. તે પ્રમાણે 2011-12માં ગ્રામીણ ગુજરાતમાં, ગરીબીનું પ્રમાણ 21.9% હતું. પ્રતિ વ્યક્તિ માસિક આવક ગરીબી રેખા રૂ. 932 હતી. કોઈ પણ વ્યક્તિને જીવવા માટે રૂ.2 હજારનું ખર્ચ દર મહિને કરવું પડે છે. પણ ગુજરાત સરકાર માત્ર રૂ. 932 આવક હોય તો જીવી શકાય એવું માને છે. આંકડાઓની રમતમાં ગુજરાત સરકાર વાસ્તવિક ગરીબી રેખા છુપાવી રહી છે. આ હિસાબે ગુજરાતની અડધા કરતાં વધારે પ્રજા ગરીબી રેખા હેઠળ જીવી રહી છે. વિકાસની હવા વચ્ચે ગુજરાતમાં ગરીબી ઘટવાના બદલે વધી રહી છે. ગુજરાતની 10 ટકા પ્રજા શ્રીમંત છે અને 40 ટકા…
Surat: 2 લાખ 17 હજાર ચોરસ મીટરનો વિસ્તા એવો છે જે સુરતના કલેક્ટરે કોઈ નેતાના કહેવાથી વેંચી માર્યો છે. સુરત હવાઈ મથક પાછળ ડુમસમાં 21.7 હેક્ટર સોનાની લગડી જેવી જમીનના વિવાદો ચાલી રહ્યાં છે. અત્યારે કલેક્ટર તરીકે ર્ડા સૌરભ પારધી છે. તેમની પહેલાંના કલેક્ટર આયુષ ઓક – IAS હોદ્દાનો દૂર ઉપયોગ કરીને 90 વીઘા જમીનમાં કૌભાંડ કર્યું છે. સરકારી પડતર જમીનમાં ખાનગી લોકોને ગણોતિયા બતાવીને તેમને જમીન માલિક બનાવી દેવામાં આવ્યા છે. કલેક્ટર અને સુરત ભાજપના વગદાર નંબરી નેતા પર શંકાની સોય તાકવામાં આવી રહી છે. અંદાજે 2 હજાર કરોડ રૂપિયાની જમીન છે. આ કૌભાંડ બહાર આવતા પ્રધાન પાસેથી ખાતુ…
Gujarat: અમદાવાદથી શરૂ થતી અને દિલ્હીમાં સમાપ્ત થતી અરવલ્લીની પર્વતમાળાઓ પર ખતરો છે. 290 કરોડ વર્ષ અગાઉ સમુદ્રની સપાટીથી 7 થી 8 કિ.મી. ઉપર ઊઠેલા ખડકોથી અરવલ્લીની પર્વતમાળા બની છે. તેનું પર્યાવરણનું નિકંદન કરી નાંખવામાં આવી રહ્યું છે. દેશની સર્વોચ્ચ અદાલતે આ બાબતને ગંભીર લીધી છે. વિશ્વની સૌથી જૂની પર્વતમાળાઓ પૈકી અને એક સમયે હિમાલયથી પણ ઊંચી એવી અરવલ્લીની પર્વતમાળા હતી. કુદરતે 100 કરોડ વર્ષના ધોવાણથી અરવલ્લીની પર્વતમાળાને 90% અસ્તિત્વ ગુમાવ્યું છે. પણ હવે છેલ્લાં 200 વર્ષથી નુકસાન થયું છે તે 100 કરોડ વર્ષ કરતાં પણ વધારે છે. પર્વતમાળા ગુજરાતથી રાજસ્થાનના અજમેર અને જયપુર થઈને હરિયાણના દક્ષિણ ભાગમાં પ્રવેશે છે.…
Gujarat: ગુજરાત સરકારની ભંગાર એવી એર એમ્બુલન્સ છે. 108એ એર એમ્બુલન્સથી 26 અંગ, 15 દર્દીઓ માટે 42 વખત એરલિફ્ટ કર્યાં છે. જેમાં એક ફ્લાઈટના 2 લાખ રૂપિયા સરેરાશ આવક મેળવાય છે. 22 મે 2024માં સરકારે એરએમ્બ્યુલંસ અંગે કેટલીક જાહેરાત કરી હતી. જેમાં માર્ગ કે અન્ય અકસ્માતમાં લોકોના મોત ઘટાડવા માટે એરએમ્બ્યુલન્સ શરૂ કરવાની કોઈ વાત કરી ન હતી. પણ જ્યાં ઈમરજન્સી હોય એવા અકસ્માત, કુદરતી આફતોમાં એરએમ્યુલન્સનો ઉપયોગ કરાયો નથી. મુખ્ય પ્રધાન પોતે 200 કરોડનું પ્લેન ખરીદ કરે છે અને તેમાં ઉડે છે તો એ પ્લેન 200 દિવસ તો પડી રહે છે. આ પ્લેનનો ઉપયોગ માર્ગ અકસ્માતમાં લોકોને બચાવવા માટે…
Gujarat: ગુજરાતમાં ખેતી પાક લેવા માટે વપરાતા બિયારણોમાં મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. અસલી અને નકલી બિયાણનો ગુજરાતમાં ધંધો રૂ.5 હજાર કરોડની આસપાસ હોવાનું માનવામાં આવે છે. પ્રત્યેર ખેડૂત સરેરાશ રૂ. 10 હજારના બિયારણનો ઉપયોગ કરે છે. જેમાં નકલી બિયાણ આવે ત્યારે તેને રૂ. 3 લાખનું કૃષિ ઉત્પાદન ગુમાવવું પડે છે. બીટી કોટન બિયારણે વિદેશી અમેરિકન કંપનીએ ગુજરાતને જેટલો ફાયદો કરાવ્યો હતો તેનાથી વધારે નુકસાન ગુજરાતના પોતાના બીટી બિજમાફિયાઓ કરાવી રહ્યાં છે. હવે બીજમાફિયાઓ કૃષિ વિભાગ ચલાવી રહ્યાં છે. તેઓ ધારે તે કરી શકે છે. કૃષિ નિયામક અને કૃષિ પ્રધાન બિજમાફિયાઓના ઈશારે નાચ કરી રહ્યાં છે. પ્રમાણપત્રો વગરના બીજ 17…
Gandhinagar: લોમેશ બ્રહ્રમભટ્ટ કે જે, ગાંધીનગર ઈકોલોજી કમિશનમાં સીનીયર મેનેજર પ્રોજેક્ટ છે. તેઓ તેઓ વિશ્વના સૌથી ઊંચા સરદારના પુતળા નીચે આવેલાં ચીલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કના તમામ ચૂકવણાં છેલ્લા સમયમાં કરતાં હતા. કરોડ રૂપિયાનો વહીવટ તેમની પાસે હતો. ચીલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કના કૌભાંડો બહાર આવતાં હવે તેની આસપાસ ગાળીયો ભરાઈ રહ્યો છે. 5 કરોડના 30 કરોડ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 2019ના માર્ચમાં થીમ બેઝ્ડ આઉટડોર ઈન્ટરપ્રિટીશન ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક બનાવવાનો કોન્ટ્રાક્ટ 7 કરોડ 66 લાખમાં ઉત્તર પ્રદેશના નોઈડાની મેરોફોર્મ કંપનીને આપવામાં આવ્યો હતો, જેનું કામ પાંચ મહિના એટલે કે, ઓક્ટોબર 2019માં પુરૂ કરવામાં આવ્યું હતું. જેનું બિલ આખરે 31 કરોડ સુધી પહોંચી ગયું,…
India: હાઉસિંગ એન્ડ લો રાઈટ્સ નેટવર્ક (HLRN) દ્વારા બળજબરીથી ખાલી કરાવેલા ઘર અંગે અહેવાલ જાહેર કર્યો છે. 2022 અને 2023 વચ્ચે 1.5 લાખથી વધુ મકાનો મનસ્વી રીતે તોડી પાડવામાં આવ્યા હતા. લોકોના ઘરોના આ ક્રૂર વિનાશને કારણે દેશમાં 7.4 લાખથી વધુ લોકોને ઘર ખાલી કરવા પડ્યા છે. 2022ની સરખામણીમાં 2023માં તોડી પાડવામાં આવેલા મકાનોની સંખ્યા અને વિસ્થાપિત લોકોની કુલ સંખ્યા બમણી થઈ ગઈ છે. દિલ્હી (NCT) માં 2023 માં જ વિવિધ રાજ્ય અને કેન્દ્રીય એજન્સીઓ દ્વારા લગભગ 2.8 લાખ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા, જે આ જ સમયગાળા દરમિયાન દેશમાં સૌથી વધુ સંખ્યા છે. ત્યાર પછી ઉત્તર પ્રદેશ અને ગુજરાત…